SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ) [ શારદા શિરામણિ નાના ખાળક કહે છે માતા! મેં તને દૂધ મેળવતા જોઈ, તેમાં તે છાસ નાંખી. દહીં એવું સરસ જામી ગયુ` કે મને ખાવાની ખૂબ મઝા પડી. તને દહીં મેળવતા જોયા પછી બીજા દિવસે મેં દૂધ મેળવ્યુ. તે હી જામ્યું નહિ. મેં તારી માફક વાસણમાં દૂધ લીધુ.. પછી તેમાં મેળવણુ નાંખવા છાસ લઈ આળ્યે, તે છાસ દૂધમાં નાંખી. અને તે મેળવવા પ્રયત્ન કર્યાં છતાં તારું' મેળવેલું દૂધ દહી. બન્યું અને મારુ' મેળવેલુ દૂધ કેમ નહી' ન થયુ? છેકરાની માતા કહે બેટા! તે મેળવણુ નાંખ્યા પછી દૂધનુ શુ કર્યું હતું? એ તપેલીને સારી રીતે હલાવ હલાવ કરી, તપેલીને હલાવવાથી દૂધ મળે ખરુ? દૂધ ન મળે. તપેલીને એક જગાએ સ્થિર રાખે તા નહી મળે. મેળવણુ શાનુ નાંખશે ? : આ તો દૂધ મેળવવાની વાત કરી. હવે આપણા દૂધની વાત કરીએ. આપણે પણ દૂધ મેળવવું છે. આપણુ જીવન એ દૂધ છે. તેને આપણે મેળવવુ છે. સમજો. જીવન રૂપી દૂધમાં આરાધના રૂપી મેળવણુ નાંખવું છે. આપણા જીવનની કાર્યવાહી સારી હશે, ધ આરાધનાએથી જીવન ભરચક હશે તેમાં એવું મેળવણુ નાંખશો તેા સાધના રૂપી દહીં જામી જશે. તમે બધા આરાધના તો કરો છે. કોઈ એક વમાં સે, કઈ ખસે તે કોઈ રાજની પાંચ સામાયિકા કરતા હશો. પ્રતિક્રમણ, પૌષધ, ચૌવિહાર કરતા હશો. જેવુ' જોઈ એ તેવુ... મેળવણુતા છે. આરાધનાનુ` મેળવણુતા ખરાબર છે, છતાં દૂધ કેમ નથી જામતુ ? મેળવણુ તેા ખરાખર નાંખ્યું છે પણ સાથે મનની સ્થિરતા હૈાવી જોઈ એ, તે। દહીં ખરાખર જામે, દૂધમાં મેળવણુ નાંખીને તપેલીને એક ખુણામાં મૂકી દો, ત્યાંથી ઉપાડ ઉપાડ ન કરો તા દહી' જામે છે તેમ જીવનરૂપી દૂધમાં સાધનાનું દહી' જમાવવા માટે મનની સ્થિરતા જોઈ એ. પાંચ ઈન્દ્રિયા અને મનને જીતી લેવા જોઈએ. તેના પર બ્રેક લગાવવી જોઈ એ. જેથી હલનચલન ન થાય. તમે એ ઘડીની સામાયિક લઈને બેઠા. છ કેટિએ પાપના પચ્ચખાણ કર્યાં છે છતાં મન સ્થિર રહી શકે છે ખરું ? મનના ઘેાડાએ તે કયાંય દોડતા હોય છે. દહી' મેળવવા તપેલીને સ્થિર રાખવી પડે છે તેમ આત્મામાં સ્થિરતા લાવવાની છે. એક વાત યાદ રાખજો. જીવન રૂપી દૂધ મળ્યું છે પણ મેળવણુ વારંવાર નિહ મળે. મન કાને હોય ? સંજ્ઞી 'ચેન્દ્રિયને, એકેન્દ્રિયમાંથી અકામ નિર્જરા કરતાં કરતાં આગળ વધતાં વધતાં સન્ની પ'ચેન્દ્રિયમાં આવ્યા. અહી મન મળ્યું. જ્યાં જ્યાં મન મળ્યું ત્યાં ત્યાં આરાધના મળી એવું નથી. જેટલી ગતિમાં ઉત્પન્ન થયા એ બધી ગતિમાં આરાધના, તપ, ધર્મ મળ્યા હતા? ના. આ મનુષ્યગતિ એવી છે કે મન મળ્યુ છે, સાથે ભાગ્યેય આરાધના પણ મળી છે. ભાગ્યવાન ! વિચાર કરે. હવે આત્મામાં ઝેક લગાવે. સંસારમાં કોઈ ને પાંચ લાખની લોટરી લાગે તેા તમે તેને ભાગ્યવાન સમજો છે, પુણ્યવાન કહેા છે. એથી અધિક આ આરાધના તમને મળી એ લેટરી કરતાં પણ વધારે છે. સન્ની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થયા ત્યાં મન મળ્યું પણ બધાને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy