SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૯૩ દીકરી છે. આ નારી એક પતિને છેાડીને ખીજા પતિના કયારે પણ સ્વીકાર કરતી નથી. પેાતાના પ્રાણનું બલિદાન દઈ દે પણ સ્વપ્નમાં ય પરપુરૂષની ઈચ્છા ન કરે. પાઁચની સાક્ષીએ તે લગ્ન કર્યા છે એટલે કિશારની પત્ની તેા કહેવાઈ ગઈ. હવે કિશાર તારા જીવનસાથી છે અને તું કિશારની અર્ધાંગના છે. શેઠ આટલું બધું બોલ્યા છતાં શુભમતિ મૌન રહી છે. તે ઉતાવળી થતી નથી. 66 શુભમતિની ધૈયતા * : -આ બધી વાત સાંભળતા તમારા મનમાં પણ થઇ જાય કે શેઠ આટલું બધું બેલે છે તે શુભાએ એકવાર ધડાકા કર્યા હોત તે શુ ખાટું ? પણ શુભા તેા વિચાર કરે છે કે મારા પતિ તા બંધનમાં પડચા છે. ઉતાવળ કરવા જતાં શેઠ જો પેાતાના (મારા) ભાવ જાણી જાય તે આજ સુધી કરેલા પ્રયત્ના અને મારી બધી આશાએ વ્યથ જાય. ઉતાવળું પગલુ ભરવા જતાં કદાચ ગુણચંદ્રને મારી નાંખે તે પછી પેાતાની જિંદગીનુ શુ ? જ્યારે મારા કર્મના ઉદય પૂરા થશે ત્યારે સત્ય વાત આપે।આપ પ્રગટ થવાની છે. શ્રેણીક રાજાને કાણિકે જેલમાં પૂર્યા છતાં ચલ્લણા કહી ન શકી. એ સમજતી હતી કે સમય આવે સાગઠી મારીએ તે કામ થાય. પ્રસંગ આવતાં કહ્યું કે તને તારા દીકરા જેટલા વહાલા છે એથી અધિક તું તારા પિતાને વહાલા હતા. તેમ આ સતી એજ વિચારે છે કે અત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી, છતાં શેઠે આટલું બધું કહ્યું ત્યારે તેણે વિનયથી એટલું કહ્યુ -બાપુજી !આપની શિખામણ બધી સાચી અને હિતકારી છે. તે શિખામણના હું જરૂર વિચાર કરીશ પણ જે પેાતાના પતિ હૈાય તેને માટે, નહિ કે ખીજાને માટે. આટલા શબ્દો ખાલીને શુભા અટકી ગઈ પણ શેઠે કઈ સમજી શકયા નહિ, પણ એમના મનમાં આશા ખંધાઈ કે હવે શુભા માનશે, છતાં કહે છે કે તમે આ જે વર્તન કરી રહ્યા છે તે અમારા કુળને કલંક લગાડા છે. હું તે સારો છું કે વાત બહાર પાડતા નથી, નહિ તા આ ધરતી પર ઉભા રહેવું ભારે પડી જાય ને ઝેર પીવાના પ્રસંગ આવે. શેઠ મનમાં તા સમજે છે કે મે ખાટી બનાવટ ઉભી કરી છે તેથી મારો વિજય થવાના નથી, છતાં એમ સમજતા હતા કે સંપત્તિ, સત્તા અને વૈભવામાં તેને સાવીશ તે ફસાઈ જશે પણ શુભા તા સપત્તિમાં કે સત્તામાં કાઈમાં ફસાય તેમ નથી. શુભાના શરીરની ચિકિત્સા કરાવતા શેઠ : ત્યાં વૈદરાજ આવ્યા એટલે શેઠે શુભમતિને બૂમ મારી. શુભા ! તું જલ્દી આવ, વૈદ્યરાજ આવ્યા છે, તારી નાડી બતાવી દઈ એ કે તને કયા રોગ લાગુ પડયા છે ? તેના મનમાં થયું કે કપાળ...મને તા કાઈ રોગ નથી. તમારા દીકરો એવા છે ને કે મારા ભવ બગાડયા. ( હસાહસ) શેઠ કહેજલ્દી આવ. પિતાજી ! આવું છું. એમ કહીને બહાર ગઈ. વૈદ્યરાજને શુભમતિની એળખાણુ આપતા શેઠે કહ્યું, આ શુભમતિ, એ આપણા કિશારની પત્ની. કિશારની પત્ની'' આ શબ્દ સાંભળતા તા તેના મનમાં ધ્રાસ્કા પડચેા. એક ક્ષણ માટે તેને થયું કે હું. અહીં થી ચાલી જાઉ. આ રીતની ઓળખાણ મારા માટે કલ`ક રૂપ છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy