SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૪ શારદં રત્ન શરીરને દિવસ-રાત ખુમય બનાવતો હોય છે. ચારે બાજુ પાણીથી છલોછલ ભરેલાં સરોવરે, એમાં ઉગેલા કમળો ને હરિયાળો લીલાછમ ત્યાં પ્રદેશ તું જુએ તે ખુશ ખુશ થઈ જાય. ત્યાં કઈ વસ્તુ એવી નથી કે જે સુંદર ન હોય અને ખાવાનું તે પૂછવાનું શું? અમે એકલે મોતીને ચારો ચરીએ છીએ. મોતી તે માનસરોવરના કાંઠે જ્યાં જુઓ ત્યાં પથરાયેલા પડ્યા હોય. બગલાએ તે કઈ દિવસ મોતીનું નામ સાંભળ્યું ન હતું કે મેતીનો સ્વાદ ચાખે ન હતો. બગલાએ પૂછ્યું-ત્યાં માછલા મળે કે નહિ ? હંસે કહ્યું-ના..ના. “ના” શબ્દ સાંભળતા બગલાનું મુખ બગડી ગયું. તેણે કહ્યું-જ્યાં માછલા ન મળે ત્યાં સ્વર્ગ હોય તે ય નકામું. એવા સ્વર્ગની શી કિંમત? માછલાને સ્વાદ કેવો હોય છે એની તને કયાં ખબર છે ? જા ભાઈ! તારું માનસરોવર તને મુબારક ! મારે નથી આવવું. માછલા ખાવા ટેવાયેલ બિચારો બગલે હંસના મોતીના ચારાને માછલાના સ્વાદ સાથે સરખામણી કરવા જાય છે. એને કોણ સમજાવે? ક્યાં માછલા અને ક્યાં મોતી! ક્યાં કથીર અને કયાં કંચન ! સાચા સુખની મોજ કેણુ માણું શકે? આ દુનિયામાં ઘણાં માનવસે અને ઘણું માનવબગલાઓ વસે છે. સંયમને શોભાવનાર મહામુનિઓ એ આ જગતના - હંસ છે, અને સ્વપ્નમાં પણ સંસારને ન છોડનારા, તેમાં રચ્યાપચ્યા રહેનારા સંસારીઓ આ જગતને બગલા સમાન છે. ઘણી વાર એ બંનેને ભેટે થઈ જાય છે. મહામુનિઓને ઈચ્છા પણ થાય કે સંસારના તુચ્છ વિષયસુખમાં મહાન સુખ માણનારા આ બિચારા સંસારી જીવોને સંયમની સોનેરી દુનિયાના દર્શન કરાવું. આ પૃથ્વી પર સંતે હંમેશા વિચરતા રહે છે. માનવને સત્યના રાહે ચઢાવવા માટે દિવસ રાત એમને પ્રયત્ન હોય છે, છતાં હજુ માનવને અસતને અંધકાર દૂર થતો નથી ને હસતા મુખે અંધારા ફવામાં ઊંડે ને ઊંડો ઉતરતે જાય છે. માનવી ભેગના સુખ માણવામાં એટલે પાગલ બની ગયો છે કે કેગના સુખ એને સ્વપ્નમાં પણ નથી આવતા. એની કલ્પના ય એને માટે દુઃખર બની જાય છે. ભૂલેચૂકે એની આગળ કઈ યેગની વાત કરવા જાય તે કાં એ વાત કરનારને ભગાડી મૂકે છે, કાં તે પોતે ભાગી છૂટવા મથે છે. જે શરીર ગ સાધનાનું સાધન છે એને માનવે ભોગાયતન બનાવી દીધું છે. શરીરથી આત્માની ભિન્નતાનું ભાન માનવને ભોગની દોડમાંથી કરીને ઠામ બેસાડે છે. મહાપુરૂષો એને ટકેર કરે છે કે સંસારમાં વસતા ઓ માનવ! કેઈક વાર તે સંયમની સહાગી દુનિયામાં સહેલવાના સ્વપ્નને જો. ત્યાં તે તને સુખ-સુખ ને સુખ મળશે. નમિરાજ સંયમની સોહાગી દુનિયામાં સહેલ કરી રહ્યા છે. તેમાંથી પીછેહઠ કરાવવા ઈન્દ્ર પરીક્ષા કરવા માટે તેમને કહી રહ્યા છે કે આ મળેલા કામોને શા માટે છોડે છે ? “સ્થાના રૂપે કામા, ગાયા” | પ્રત્યક્ષ કામગો અત્યારે તમારે સ્વાધીન છે, પણ ભવિષ્યમાં જે આગામી જન્મમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy