SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ ७७२ શારદા રત્ન ઉપર નથી આનંદ કે નથી ઉર્મિઓ; માટે તેની અંદર કાઈ ભેઢી રહસ્ય હાવું જોઇએ, માટે એક વાર તે મહેલમાં સાતમે માળે મારે જવું જોઈ એ. એ નિશ્ચય પર આવતા વિચારમાળાને તાડી તેણી સાતમે માળેથી સડસડાટ સીડી ઉતરી ગઈ. હિંમત કરીને તે કન્યા હવે કિશેાર પાસે કેવી રીતે જશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન−૮૭ આસો વદ ૭ ને સામવાર તા. ૧૯-૧૦-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષો ક્રમાવે છે કે શાશ્વત સુખાનું મૂળ ધર્મ છે. ધર્મની આરાધના બે પ્રકારથી થઈ શકે છે. એક તા સાધુ ધર્મ દ્વારા અને બીજી શ્રાવક ધર્મ-દ્વારા. સાધુના ધર્મ સવિરતિરૂપ છે અને શ્રાવકના ધર્માં દેશવિરતિરૂપ છે. સર્વ એટલે સ`પૂર્ણ અને દેશ એટલે થાડુ, સપૂર્ણ રૂપથી વિરક્ત થઈ જવું અથવા વિરમણુ કરવું એ સ`વિરતિ છે. વિરમણુ એટલે વિ+રમણુ. વિરમણુ શબ્દનું નિર્માણુ વિ ઉપસર્ગ અને રમણુ શબ્દથી થયું છે. રમણના અથ તા સ્પષ્ટ ‘ રમવું ’ છે. જેવી રીતે સમાન સ્વભાવ અને સમાન વિચારવાળા એ બાળકે એટલા હળીમળીને રમે છે કે તેમની ક્રિયામાં કાંઈ અંતર દેખાતું નથી. તેમનું ખાવું-પીવુ–બેસવુ. ઉઠવું બધું એક સાથે કરે છે. એને ગુજરાતી ભાષામાં રમવુ' કહેવાય છે. એ વ્યક્તિઓ વચ્ચે એકદમ ગાઢ "મિત્રતા જોઈ ને લેાકેા કહે છે કે આ એ મિત્રાના સબંધ તા એવા છે કે જેમ દૂધમાં પાણી. દૂધ અને પાણી છૂટા થઈ શકતા નથી, એવી રીતે આ મિત્રાના સ્નેહ કયારે અલગ થઇ શકે એમ નથી. સજ્જન મિત્રો માટે આવી ઉપમા અપાય છે અને દુન મિત્રો માટે કહેવાય છે કે જેમ જીત્તામાં તેલ, તેવી રીતે રમણ’ના બે ભેદ છે. ઉચિત રમણુ અને અનુચિત રમણુ. આત્મા પાપમાં રમણતા કરે છે અને પાપની સાથે એકમેક થઈ જાય છે. આ રીતે રમવુ' એ આત્મા માટે સારું નથી. આ આત્મા થાડા સમયથી નહિ પણ અનંત કાળથી પાપમાં રમતા આવ્યા છે, અને પાપમાં રમવુ' તેને પ્રિય લાગે છે. કહ્યું છે કે પાપ બાંધતા સાહિલા, ઔર ભાગવતા દાહિલા, પુણ્ય બાંધતા દૌહિલા, ઔર ભાગવતા સાહિલા, પાપ સહેલાઈથી ખંધાઈ જાય છે, પણ એના કટુ ફળ ભાગવતા જીવને દુઃખ થાય છે. પુણ્ય ખાંધવું મુશ્કેલ છે પણ ભાગવતા સુખરૂપ છે. જીવ કુમતિ સાથે ખેલ ખેલે છે અને પાપમાં રમણતા કરે છે. પાપ કેટલા પ્રકારના છે? અઢાર પ્રકારના, તેમાં મુખ્ય પાંચ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. એ પાંચ મુખ્ય પાપ છે. તે સિવાયના બીજા પાપા પણ છે. પ્રાણાતિપાત આદિ પાંચ પાપાથી સથા વિરમણુ થવુ' એટલે મુક્ત થવું તેને મહાવ્રત કહેવાય છે અને અંશતઃ મુક્ત થવુ... એ અણુવ્રતા કહેવાય છે. આ પાંચ પ્રકારના પાપા સાથે જો રમવું છેાડી ઈ એ તા તેનાથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy