SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૫૯ જોવી ન ગમે એવી આ કંદોઇની દુકાનની ખરાખર સામે રાજાના મહેલ હતા. કંદોઇની દુકાનમાં એક તરફ ચુલા છે, એક તરફ્ કોલસા છે, રાખ પડી છે. આંખને ચીકણી, ગંધાતી કંદોઈની દુકાન છે. કોઈની દુકાનમાં બીજું શું હોય ? એ દુકાનની સામે મહેલ છે. તેમાં ખારીએ રાજા બેઠા છે. તેમનું ધ્યાન મુનિ તરફ છે. સંતનું તા કયાંય ધ્યાન નથી. ધ્યાન માત્ર આત્મ રમણતામાં છે. મુનિ તે સમય થતાં પ્રતિક્રમણ કરવા બેસી ગયા. રાત્રે બાર વાગ્યા સુધી પેાતાની આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરી થાડી વાર સૂઈ ગયા. ઘેાડીવારમાં જાગીને પાછા ધ્યાનમાં બેસી ગયા. સામે મહેલમાં રાજા બેઠા છે એ આ બધુ જુએ છે. એમના મનમાં થયું કે દુનિયામાં આવા કેટલાય લેાકેા હશે કે જેમને રહેવાની ને સૂવાની પણ જગ્યા નથી. એ લાકો કઈ રીતે જીવન ચલાવતા હશે ? હું સવારમાં મહાત્માને ખાલાવીને પૂછીશ. રાજા સવારમાં ઉઠયા. તેમણે પેાતાના એક સૈનિકને મુનિ પાસે મેક્લ્યા. સૈનિકે આવીને કહ્યું-મહાત્માજી ! આપને અમારા મહારાજા ખેાલાવે છે. આપ અમારા મહેલમાં પધારા. સંત કહે- હું તા ત્યાગી છું. રાજાને વળી મારુ. શું કામ હાય ? રાજાના સૈનિક કહે–અમારા મહારાજાની આજ્ઞા છે માટે આપને આવવું પડશે. મુનિ કહે—ભલે, ચાલ ભાઇ ! હું આવું છું. મુનિને જવામાં શું વાંધા હતા? એ તા એમ વિચાર કરવા લાગ્યા કે મારા જવાથી જો કેાઈકનું હિત થતુ હોય તે મને જવામાં વાંધા નથી. મને કાઇ દુઃખ તા પડવાનું નથી. આપણે તે ત્યાગી છીએ. મુનિ તેા રાજા પાસે ગયા. રાજાએ સત્કાર સન્માન કરીને બેસાડયા ને પછી એક પ્રશ્ન કર્યાં. હું મહાત્મન્ ! “ કહા, રાત કેસી બીતી ?' રાજાનાં મનમાં એમ હતું કે એમને આખી રાત ઉંઘ આવી નથી ને રાત દુઃખમાં પસાર થઈ છે. એ સંત કહેશે કે હું તેા હેરાન હેરાન થઈ ગયા પણ એમને કયાં ખબર છે કે આ તા જૈનના મહાન અવધૂત યાગી છે. એમને વળી દુઃખ કેવુ* હેાય ? વીતરાગી સંતા જેવા તા કાઇ સુખી નથી. રાજાના પ્રશ્ન સાંભળીને મુનિને લાગ્યું કે આ રાજાને અભિમાન છે. એ એમ સમજે છે કે જગતમાં હું સુખી છું. ખીજા બધા દુઃખી છે. મારા જેવુ' સુખ કાઇને નથી, માટે મારે એના ઉપકાર માટે પણ યથાર્થ જવાબ તો આપવા જોઇએ, એટલે એ કહે છે કે રાજન્ ! “ આધી તેરે જૈસી ઔર આધી તેરે સે ભી અચ્છી”, મારી અધી રાત તારા જેવી વીતી છે ને અધી` રાત તારા કરતા પણ સારી વીતી છે. સુનિના જવાબ સાંભળીને રાજાને ગુસ્સે આવ્યા. એમને થયું કે આ સંતનું સૂવાનું ઠેકાણું નથી, રહેવાનું ઠેકાણું નથી ને ઉપરથી કહે છે કે તમારા કરતા સારુ રાજાના તા પાવર ગયા ને ક્રોધના આવેશમાં કહે છે મહાત્મા ! કંઇ ભાન છે કે નહિ ? તમારુ' મગજ ઠેકાણે છે કે નહિ ? આપ આ શું કહેા છે ? રાજા ગુસ્સામાં ખાલી રહ્યા છે. એમને ગુસ્સા આવવાનું કારણ એમની પાસે ચાર વસ્તુ છે. એ ચારમાંથી એક હાય તા પણ અનથ કરાવે છે, તેા રાજા પાસે તા એ ચારે ય છે એટલે એ ગુસ્સા કરે એમાં નવાઈ શી ? એ ચાર વસ્તુ કઈ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy