SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રે નીચેના ભાગથી એકેક આકાશ પ્રદેશ ઓછો થતો જાય છે. આ રીતે અસંખ્ય આકાશપ્રદેશને ઉપરનો ગોળાકાર ભાગ સાત રાજુથી જૂન અસંખ્ય પ્રદેશવાળ થઈ જાય છે. આકાશ પ્રદેશ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. એ ક્ષેત્રનું સૂમમાં સૂમિ માપ બતાવે છે. આ રીતે એકેક આકાશ પ્રદેશ ઓછા થતા જ્યાં આપણે બેઠા છીએ ત્યાં અર્થાત્ મધ્યકમાં એક રાજુ પ્રમાણ ગોળાકાર રહે છે. સાત રાજુથી કંઈક અધિકભાગ આપણુથી નીચે છે. લોકનો આકાર એક પુરૂષના સમાન બતાવ્યો છે. કમર પર હાથ રાખીને પગ પહોળા કરીને ઉભેલા મનુષ્યના સમાન આ લોકને આકાર છે. નાભીની જગ્યાએ મધ્યલોક છે. ૪૫ લાખ જનના ક્ષેત્રમાં મનુષ્ય રહે છે. એમાં અઢીદ્વીપ છે. તે જંબુદ્વીપ, ઘાતકીખંડદ્વીપ અને અર્ધપુષ્કરદ્વીપ. એક રાજુના આ ક્ષેત્રમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. સાત રાજુથી કંઈક એ છે ઉપરનો ભાગ છે. જેમાં સર્વ પ્રથમ જ્યોતિષ ચક છે. જે સૂર્ય, ચન્દ્ર અને તારાના રૂપમાં વિદ્યમાન છે. ત્યાર પછી ૧૨ દેવક, ૯ કૈવેયક અને ૫ અનુત્તર વિમાન છે. પછી સિદ્ધશીલા છે. જ્યાં મુક્ત આત્માઓ વસે છે. મનુષ્ય લેકને ઉપરનો ભાગ ધીમે ધીમે વિસ્તૃત થતો જાય છે. પાંચમા દેવલોકથી ઉપરને ભાગ ફરી સંકુચિત થતું જાય છે. લેકના સર્વોપરિ ભાગને ? ગેળાકાર એક રાજુ પ્રમાણ માનવામાં આવે છે. એ લોકાગ્ર ભાગમાં સિદ્ધશીલા છે. આ લાંબા પહોળા સંસાર સમુદ્રમાં અનંતાનંત કામણ વર્ગણાઓ છે. કેઈ પણ આત્મા સારા અથવા ખરાબ કામ કરે છે ત્યારે તે પ્રમાણે કામણ વર્ગણાઓ તેની સાથે ચૂંટી જાય છે. એ કામણુ વગણા પાણી સમાન છે. આત્મા પનડુબ્બી જહાજના સમાન છે. આ પનડુબ્બીમાં એક બે છિદ્ર નહિ પણ ચાળણીની જેમ અનેક છિદ્રો પડેલા છે. આ છિદ્રોથી કર્મ વર્ગણુઓ પાણીની જેમ આવતી રહે છે. તેનું નામ આશ્રવ છે. અથવા કર્મોના પ્રવેશનો માર્ગ તે આશ્રવ. આ આશ્રવના સ્થૂલ રૂપથી ૨૦ ભેદ બતાવ્યા છે. એમાં અવ્રત નામને પણ એક આશ્રવ છે. જે આપણા જીવનમાં કઈ વ્રતપચ્ચખાણ નથી તે અત્રતથી આત્મામાં અનેક કર્મવર્ગણાઓને સંચય થાય છે. વ્રતપચ્ચખાણના અભાવમાં આશ્રવના દ્વાર ખુલ્લા રહેવાના કારણે કર્મો કર્યા વિના આપણને ક્રિયા લાગી જાય છે. તેનું ફળ જીવને ભેગવવું પડે છે. સર્વએ આ વિષય પર ઘણું ચિંતન કર્યા પછી એ નિર્ણય કર્યો કે પાપના દુષ્પરિણામથી બચવાને માટે મનુષ્ય વ્રતપચ્ચખાણ આદિનો આશ્રય અવશ્ય લેવા જોઈએ. આત્માને કર્મથી ભારે બનાવનાર આવતા કર્મોને રોકવા માટે સર્વજ્ઞ ભગવંતે એ વ્રત પ્રત્યાખ્યાન આદિના રૂપમાં વિજયી દિવાલોથી યુક્ત એવો દુર્ગ–કિલ્લે બનાવ્યું છે કે જેના સંરક્ષણમાં આત્મા કર્મવર્ગણાઓથી બચી શકે છે. જેમણે અવતની દિવાલે તેડી સંયમ રૂ૫ કિલામાં પ્રવેશ કર્યો છે એવા નમિરાજર્ષિની પરીક્ષા લેવા ખુદ ઈન્દ્રને મૃત્યુલોકમાં આવવું પડયું. તેમણે આવીને એ પ્રશ્ન કર્યો કે હે નમિરાજર્ષિ ! તારી મિથિલા નગરીમાં આટલો બધે ફેલાહલ કેમ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy