SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પામી રાજાએ દીક્ષા લીધી. બધા પ્રત્યેક બુદ્ધને દેવોએ સાધુવેશ આપે. સંયમ પાળી મોક્ષમાં ગયા. ચોથા પ્રત્યેક બુદ્ધ આપણું અધિકારના નાયક નમિરાજા, જેમને કંકણનું નિમિત્ત મળતાં અને જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્ય આવ્યો. તેમની રાણીઓને ખબર પડી કે અમારા પતિ હવે દીક્ષા લેવાના છે એટલે પટરાણ પૂછે છે, શું આપને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યો છે ? શું આપનું ચિત્ત સંસારથી અલગ થયું છે? નમિરાજે કહ્યું હા, પણ તેમાં તમને શું નુકશાન છે? રાણીઓએ કહ્યું-અમે તે ઈચ્છતા હતા, કે આપને રોગ મટી જાય, સંપૂર્ણ સ્વસ્થ થઈ જાવ, પછી લાંબા સમય સુધી આનંદ કરીશું. હજુ આપની ઉંમર નાની છે. આપ વાનપ્રસ્થાશ્રમમાં જાવ ત્યારે દીક્ષા લેજે. નમિરાજા કહે–તમે એ ચાહો છે, પણ મને જે વેદના હતી તે મટાડવાને માટે તમે શી સહાયતા કરી ? મહારાજા! આપના દર્દને ચંદનના વિલેપને મટાડી તો દીધું. રાણી ! એવું સમજવું એ તમારી ભૂલ છે. પુદ્ગલોમાં એ શક્તિ નથી કે તે કર્મ દ્વારા થતું દુઃખ મટાડી શકે. આ દર્દ મટાડનારા બીજા છે. મારું દર્દ ચંદને મટાડયું નથી પણ મારી શુદ્ધ ભાવનાએ મટાડયું છે. મને જે ભાવનાથી શાંતિ મળી છે, મારો રેગ શાંત થયો છે, તે ભાવનાનું હું શરણ લઈશ. હવે મારું મન આ સંસારમાં નથી. નમિરાજાની આ વાત સાંભળી પટરાણુ તથા બીજી રાણીઓને ખૂબ દુઃખ થયું. તે રડવા-ઝૂરવા લાગી, કલ્પાંત કરવા લાગી. જ્યાં સુધી જીવ ધર્મ પામ્યો ન હોય ત્યાં સુધી ત્યાગ-વૈરાગ્યની વાતો તેને દુઃખરૂપ લાગે છે. એટલે અધિક મેહ તેટલું દુઃખ વધારે થાય. જેમ એક માણસે સેનાના કડા પહેર્યા છે, બીજાએ લેખંડના કડા પહેર્યા છે અને ત્રીજાએ હીરાના કડા પહેર્યા છે. આ ત્રણે રસ્તામાં ચાલ્યા જાય છે. સામે ચોર ભેટી જાય છે ને ત્રણેના કડા ઉતારી લીધા તે ત્રણમાંથી દુઃખ વધારે કોને થશે? (શ્રોતામાંથી અવાજ-હીરાના કડાવાળાને, કારણ કે તે ઘણાં કિંમતી છે તેથી તેના પર મમત્વ વધારે છે. એથી ઓછું સોનાના કડાવાળાને અને એથી ઓછું જોખંડના કડાવાળાને, કારણ કે તેની કિંમત બહુ અ૫ છે. આ રીતે જેટલો મેહ વધારે તેટલું દુઃખ વધારે. નમિરાજાની દીક્ષાની તૈયારીઓ જોઈને બધી રાણીઓ રડવા લાગી, પણ જેને અંતરંગ વૈરાગ્ય છે તે તો પાછું વાળીને જેતે નથી. તે સમજે છે કે આ બધા મેહના કારણે રડે છે. માબાપ રડે, પત્ની રડે કે ભાઈ બેન રડે પણ દઢ વૈરાગી કેઈના સામું જેવા ન રહે. તમે મારી સામે અત્યારે રંગીલા દેખાવ છો, પણ તમારો વૈરાગ્ય નથી પણ ધૂતારાવેડા છે. (હસાહસ) તેથી બધા બહાના કાઢે છે પણ આ મિરાજાને વૈરાગ્ય તે સો ટચના સોના જેવો છે. જેમકુમાર પરણવા ગયા. રાજુલ તે રાહ જોઈને બેઠી છે. તેમનું મુખ જેવા અધીરી બની છે. બારણાની ઓથે ઊભી રહીને તેમને જોઈ રહી છે. કેટલે નેમકુમાર પ્ર. મેહ હશે. જેમકુમારનું મુખ જોતાં મનમાં થયું કે અહાહા... શું મારા નેમ છે, ભલે, રંગે કાળા છે, પણ તેમનું લલાટ કેટલું તેજસ્વી છે. બહારથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy