SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૩૬. ફસાય છે અને મહાન કષ્ટ ભાગવે છે. ગુણુચ'દ્ર લક્ષ્મીવ્રુત્તના પંજામાં ફસાઈ ગયા છે. ગુણચંદ્રે કહ્યું-શેઠજી! આપ મારા પર કૃપા કરો, ને મને લાકડા આપા, તેથી મારા ભાઈ ના અગ્નિસ સ્કાર કરું, પણ આ શેઠ હવે જવા દે ખરા ? તેમાં તેમના સ્વાર્થ છે. માતીના લાભ લાગ્યા છે. સ્વતંત્ર ચારો ચરવા જતું આ બિચારું ભાળું પ’ખી પારધીના પજામાં સાઈ ગયું. શેઠ કહે છેાકરા ! તારે સુખડના લાકડા જોઈએ છે ને ? ચાલ, મારા ભાંયરામાં તને બતાવું, એમ કહીને શેઠ તેને ગુપ્ત ભાંયરામાં લઇ ગયા અને તેને ભોંયરામાં પૂરી દીધા. ગુણ'દ્ર વિચાર કરે છે અહા ! સહાયતાને બહાને સ્વાર્થની લાલસાના આવા વર્તન ! પેાતાના સ્વાર્થ સરતા હાય તા માનવ માનવતાને ઓળખી શકતા નથી. સામાના હૈયાની આહ પણ સુણતા નથી. એના દિલમાંથી દયાએ તા દેશવટા લીધે છે ! ભેાંયરામાં પૂરીને ખાવાપીવા પણ આપતા નથી, અને હન્ટરના માર મારે છે. કામળ ફૂલ જેવું બાળક કેટલું' વેઠી શકે? માર તા એટલા બધા મારે છે કે સેાળ ઉઠી જાય. બિચારા ગુણચંદ્ર ત્યાં રડે છે. અહા ! મારા ભગવાન ! જે હું રડચો ન હોત તે મેાતી પડત નહિ ને માતી પડત નહિ તા શેઠ લેાભી-લાલચુ બનત નહિ. મારું સુખનું સાધન મને દુઃખરૂપ બન્યું. મારા માટે તેા જીવનમાં રડવુ' એ પણ પાપ છે. હુ આવ્યા કાષ્ટ લેવા માટે ને પૂરાયેા કાષ્ટના પિંજરામાં ! એક પ્રમાદના કારણે મૃત્યુ જેવી ભયંકરતામાં મારા વહાલા ભાઈને ધકેલનાર આ પાપી એના અગ્નિસંસ્કાર માટે પણ અસમર્થ બન્યા. આ પાપથી હુ કયારે છૂટીશ ? ગુણચંદ્ર સાચમે પડીયા, મેરા દુ:ખકા ભાગ મે અનીયા t અભી તા મુજને રેાના નહિં, રાઉં તેા ન પા" છૂટકારા. ગુણચંદ્રને ભાંયરામાં પૂરી માર મારે છે ને પછી બારણે તાળું વાસી દે છે, જેથી કયાંય ભાગી ન જાય. ગુણુચંદ્ર વિચાર કરે છે કે હવે મને ગમે તેટલું મારે તા પણુ રડવુ' નથી. રડીશ તા આંસુના મેાતી બનશે ને શેઠે મને વધુ મારશે, માટે હવે રડવું નથી. મારા કરેલાં કર્મા મારે ભાગવવાના છે તેમાં દીનતા શા માટે બતાવવી ? હે આત્મા ! દ્વીન બનીશ તા પણ કર્મો તે ભાગવવાના છે. આવેલુ* દુઃખ એમ ચાલ્યું જવાનું નથી. આવા સમયે પંચ પરમેષ્ઠી ભગવાનનું શરણું સાચું છે. હું આત્મા ! તને એકાંત સ્થાન મળ્યું છે. તા પરમેષ્ઠીનુ ધ્યાન ધર. આ શેઠના પરમ કે તને ધર્મ કરવા માટે નિવૃત્તિને સમય આપ્યા. ગમે તેવા વિઘ્ના હાય તા તે પરમેષ્ઠીના ધ્યાનથી ક્ષણમાં પલાયન થઈ જાય છે. વિશ્નોની પરંપરા કસાટી કરવા આવે છે, જો મારા ભાગ્યનો ભાનુ ચમકતા હશે તેા વિપત્તિના વાળા ક્ષણમાં વીખરાઇ જશે. થા...થા...ચેતન, નિર્ભીય થા. એમ વિચારી પરમેષ્ઠીના ધ્યાનમાં લીન બન્યા. ઉપકાર માન ધ્યાનમાં લીન બનેલા ગુણચંદ્રને થાડી ઉંઘ આવી ગઈ. ભૂખ, શ્રમ અને દુઃખના એક સામટા હુમલા થવાથી તેને નિદ્રા આવી ગઈ. ઉંઘમાં તેને એક સ્વપ્ન આવ્યું.સ્વપ્નમાં તેણે શું જોયું,? લક્ષ્મીદત્ત શેઠને મારા પર ખૂબ કરૂણા આવી. ખૂબ સ્નેહભાવથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy