SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ શારદા રત્ન અવાસના વધુ ભયંકર અનકારી બતાવી છે. કામવાસના અમુક સમય પૂરતી જાગે જ્યારે અવાસના ચાવીસે કલાક જીવતી અને જાગતી છે. આનું ખપ્પર પૂરવા જે ગયા તે બિચારા અમૂલ્ય જિંઢગી હારી ગયા. આવા ઉત્તમ ભવ અર્થ - પ્રાપ્તિ પાછળ ખર્ચાઈ જાય, જીવનમાં સઘળા પાપાને છૂટો દોર ન મળી જાય તે માટે જ્ઞાનીઓએ ધનપ્રાપ્તિની આગળ ન્યાયસ પન્નતા શબ્દ ગેાઠવ્યા છે. જો ન્યાયસ પન્નતા આવી જાય તેા લાભ વૃત્તિ પર જબરદસ્ત ફટકો પડી જાય અને લાભ વૃત્તિ પર નિય ́ત્રણ આવે એટલે પાપા પ્રત્યે પણ નિયંત્રણ આવે, કારણ કે શાસ્ત્રકારોએ સર્વ પાપેાના ખાપ તરીકે લાભને વણવ્યા છે. જ્યારે જીવનમાંથી લેાભ જાય અને સાષ આવે ત્યારે પર હિત કાજે પાતાની સ*પત્તિના છૂટા હાથે સદ્વ્યય કરે છે. તે સમજે છે કે હાથનું ઘરેણું કંકણુ નથી પણ દાન છે. જગડુશા, ભામાશા, ખેમા દેદરાણી વગેરે અનેક દાનવીર મહાપુરૂષષ થઈ ગયા છે કે જેમણે દુષ્કાળના સમયમાં પેાતાના ભંડારા ખુલ્લા મૂકી દીધા હતા. જે પ્રેમથી ઉત્કૃષ્ટ ભાવે દે છે તેને શુભ કર્મના બંધ થાય છે. તે ખીજા ભવમાં પણ સુખ મેળવે છે. કરેલા કર્યાં ચાહે શુભ હેાય કે અશુભ હાય, પશુ જીવને અવશ્ય લાગવવા પડે છે. ન એક માતાને બે સંતાન હતા. એક દીકરી અને એક દીકરા. દીકરીનું નામ વિનાદી દીકરાનુ નામ વિનુ હતુ. વિનાદી ભાઈ કરતાં બે ત્રણ વર્ષ માટી છે. માતા ખૂબ સસ્કારી અને ધર્મિષ્ઠ છે. પર્યુષણમાં દર વખતે એની અઠ્ઠાઈ તા હાય જ. વિનુ જ્યારે માંતાના ગર્ભ માં આવ્યા ત્યારે માતાને છ મહિના થયા હતા ને પર્યુષણ આવ્યા. અડ્ડાઈ . કેવી રીતે થાય ? માતાની આંખમાં આંસુ આવી ગયા. આ વર્ષે હું અઠ્ઠઈ નહિ કરી શકું ? તેના તેને ખૂબ અસાસ હતા. ગર્ભના જીવે જાણે તેને પ્રેરણા ન કરી હેાય કે તું અઠ્ઠાઈ કર. ગર્ભના જીવની શક્તિ ઘણી છે. તે વાત ભગવતી સૂત્રમાં ચાલી છે. આ માતાના અફ્સાસ જાણી ગર્ભના જીવે તેને પ્રેરણા કરી કે તુ' અડ્ડાઈ કર. સંતા તેને આ સ્થિતિમાં કરવાની ના પાડે છે. સતા ખીજાને અઠ્ઠાઈના પચ્ચખાણ કરાવતા ત્યારે તેણે છાની રીતે પચ્ચખાણ લઈ લીધા અઠ્ઠાઈ કરી. ગર્ભના જીવ સારા હાય તા માતાને ધર્મ કરવાનું' મન થાય. સમય જતાં માતાએ દીકરાને જન્મ આપ્યા ને તેનું નામ વિનુ પાડથું. આ માતાએ ખૂબ સુંદર સ`સ્કારોથી સતાનાના જીવનનું ઘડતર કર્યું". કર્મની દશા એર છે. આ બાળકે સાત વર્ષના અને પાંચ વર્ષના થયા ત્યાં અચાનક ભયંકર રોગે માતાને ઘેરી લીધી. તેના હંસલા દેહરૂપી દેવળમાંથી છૂટવાની તૈયારી કરવા લાગ્યા. માતા પોતાના વહાલસેાયા એ કુલ સામે જુએ છે ને રડે છે. અર૨૨... આ મારા બાળકાનું શું થશે ? મારા પતિની ઉમર નાની છે એટલે એ નવી પત્ની જરૂર લાવશે ત્યારે નવી આવનારી મારા બાળકોને સાચવશે કે નહિ ? દુનિયામાં બધું મળે છે પણ માતા પિતાના પ્રેમ મળતા નથી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy