SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન સલામતી માટે નીકળ્યો છું. મણિરથના શબ્દથી ઉશ્કેરાયેલા તરૂણ ક્ષત્રિય યુગબાહુએ કહ્યું, તમે જેનું રક્ષણ ઈચ્છે છે, તે પણ તે જ વીર ક્ષત્રિયને બંધુ વીર છે. એટલે ડરનું કઈ પ્રયજન ન હતું. તમે હૃદયમાં બીજી વાત રાખી બહારથી બીજી વાત ન કરે. કામવાસનાનું પિષણ કરવા આપ પ્રપંચ કરીને આવ્યા છો! મણિરથ સમજી ગયા કે મયણરેહાએ મારી બધી વાત કહી દીધી લાગે છે. મારી બધી વાત મારા ભાઈ જાણી ગયો. પ્રપંચથી પેટમાં તલવાર મારતે મણિરથ –યુગબાહુએ કહ્યું, હું પોતે મારી રક્ષા કરવા સમર્થ છું. તમારે આવવાની કોઈ જરૂર ન હતી, છેલ્લે મણિરથે કિમિયો કરી કહ્યું કે ભાઈ! મારાથી ભૂલ થઈ ગઈ, પણ મને પાણીની તરસ ખૂબ લાગી છે, માટે થોડું પાણી તે પીવા આપ, કે જેથી હું પાણી પીને ચાલ્યા જાઉં! યુગબાહુના મનમાં થયું કે મોટાભાઈ પાણી પીવા માંગે છે, તે પાણી તે આપવું જોઈએ. એમ વિચારી યુગબાહુ પાણી લેવા ઉઠ્યો, અને જે તે પાણી લેવા નમ્યો કે તરત જ મણિરથે પોતાની કમ્મરેથી તલવાર ખેંચી અને માડી જાય નાનાભાઈને પેટમાં જેરથી ખસી દીધી. તલવારની ધારને વિષ ચઢાવેલું હતું, એટલે તલવારનો ઘા પડતા યુગબાહુના શરીરમાં વિષ ફેલાઈ ગયું. જેવી તલવાર પેટમાં કી તેવી યુગબાહુએ કારમી ચીસ પાડી. હે પાપી! તું આવા કાળા કામ કરવા આવ્યો હતો ! યુગબાહની ચીસ તેમની પત્ની મયણરેહાએ સાંભળી. પટાવાળા, ચોકીયાતે બધાએ સાંભળી. બધા ત્યાં દોડી આવ્યા. આ દશ્ય જોઈને બધાના હદય કંપી ગયા. બધાના દિલ બળભળી ઉઠયા. મણિરથનું ત્યાં શું થશે અને અહીં યુગબાહુ પડ્યો છે, તેમનું શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૨૫ શ્રાવણ સુદ ૧૦ ને રવીવાર તા. ૯-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આગમના નેતા, મેક્ષના પ્રણેતા, અનંત જ્ઞાની, અનંત દર્શની વીતરાગ ભગવંતે ફરમાન કર્યું કે હે ભવ્ય છે ! જાગૃત બને. આ સંસાર સગ-વિયેગને અખાડે, દુખને દરિયે અને ઉપાધિને ઉકરડો છે. જીવ સંસારમાં સુખ માનીને મલકાય છે, પણ એ સુખ સાચું સુખ નથી. સુખાભાસ છે. સંસારના સુખ પિત્તળ પોલીશ જેવા છે. જેમ પિત્તળને પલીશ કરાવવામાં આવે ત્યારે સેનાની જેમ ઝગમગે છે, પણ યાદ રાખજો કે એ કંઈ સેનું નથી, પિત્તળ છે. તેમ આ સંસાર પિત્તળ છે. માટે જ્ઞાનીઓને સંદેશ છે કે જાગે. આ લાખેણું ક્ષણ જાય છે. ભગવાન બોલ્યા છે કે – मुत्तेसु यावि पडिबुद्धजीवी, न वीससे पंडिए आसुपन्ने । વોરા જુદુ કવરું શરીર, માપણી વ પૂજે છે ઉત્ત. અ. ગા. ૬, સૂતેલા છતાં જાગતા અને જાગેલા જીવન વ્યતીત કરવાવાળા કુશાગ્ર બુદ્ધિવત
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy