SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન “કહે અંધ બનેલે દાસીને કહે છે, તું ફરીવાર બધી ભેટ સામગ્રી લઇને જા. જ્ઞાતી કહે છે, દુઃખ ક્યાંથી આવે છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? ને કેવી રીતે નાશ પામે છે એ બતાવતા ભગવાન બોલ્યા છે કે दुक्खं हय जस्स न होइ मोहो, मोहो हो जस्स न होइ तण्हा । तण्हा हया जस्स न होइ लोहो, लोहो हो जस्स न किंचणाइ ॥८॥ જેને મેહ નથી, તેણે દુઃખને નાશ કર્યો છે. જેને તૃષ્ણા નથી તેણે મોહનો અંત ક્ય છે. જેણે લેભને ત્યાગ કર્યો, તેણે તૃષ્ણાને નાશ કરી દીધો છે. અને જે અકિંચન છે તેણે લેભનો નાશ કર્યો છે. આ જગતમાં આત્મા દુઃખથી બચવા ઈચ્છે છે પણ દુઃખના કારણથી બચવા ઈચ્છ નથી. “દુર્વ દયં ગરણ દો મોહો” આ સેનેરી સૂત્રને હૃદયમાં કતરી રાખજે. દુઃખનું બીજ મહ છે. તમારી માન્યતા પ્રમાણે વિયોગની ક્ષણે દુઃખનું કારણ બને છે. એ વિયેગ પછી સ્વજનોને હોય કે સંપત્તિને હોય, પણ તે માનવના મનને દ્રવિત કરી દે છે. તેમાંયે વળી પુત્ર વિયોગની વાત બધા કરતા કરૂણ હોય છે. જે મૃત્યુ દુઃખનું કારણ હોત તે દુનિયામાં પ્રતિક્ષણ મૃત્યુ પામતા હજારે માનવીઓનું તમને દુઃખ કેમ નથી થતું? બીજી રીતે વિચારીએ. જે મૃગુ દુઃખ આપતું નથી, તે કઈ પ્રિય વ્યક્તિ જ્યારે આ સંસાને માંથી વિદાય લે છે. ત્યારે શા માટે કલાકોના કલાકો અરે! દિવસના દિવસે સુધી વહાવ્યા કરો છો ? ટૂંકમાં જ્યાં મેહ છે, મારાપણું છે ત્યાં દુઃખ છે. એક કલ્પના કરીએ. કેઈ માણસે લાખ રૂપિયાનો ભવ્ય બંગલે બાંધ્યો. પછી સ્થિતિ બદલાતાં તે બંગલે વેચી દેવો પડ્યો. એને એને સવા લાખ રૂપિયા મળ્યા. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે એ બંગલાની પાસે આગ લાગી અને એ ભવ્ય બંગલાને સ્થાને અડધી બળેલી દિવાલના ખંડેર ઉભા છે. આ સમાચારથી એ માણસને શું દુઃખ થાય ખરું? નહિ થાય. શા માટે? પહેલા તે બંગલાને કંઈપણ નુકશાન થાય તે પણ દુઃખ થતું હતું ને હવે એ બંગલે રાખને ઢગલે બની ગયો છતાં ય દુઃખ નહિ. એનું કારણ સમજ્યા ? પહેલા પિતાને હતે, માટે દુઃખ થતું હતું. હવે એ બીજાની માલિકીને છે, તેથી દુઃખ થતું નથી. મારાપણું હતું, ત્યાં દુઃખ થયું ને મારાપણું ગયું ત્યાં દુઃખ ગયું. મેહમાં મૂઢ બનેલો આ સત્ય વાતને સ્વીકાર કરતા નથી. ભગવાન બોલ્યા છે. બાળવિ નવ યુતિ ને ગળા મો જag” આચારંગસૂત્ર અ. ૨. ઉ. ૪ મેહની આંધીમાં અંધ બનેલ છવ સત્ય અને સરળ વાતને પણ સમજતો નથી. મેહથી ઘેરાયેલ આત્મા સત્યને પ્રકાશ મેળવી શકતા નથી. મોહની આંધી જ્યારે હૃદયમાં પ્રચંડ રૂપે પ્રવેશે છે ત્યારે વિવેકને દીપક બુઝાઈ જાય છે. વિવેક પોતે પ્રકાશ છે. પણ મોહ અંધકાર ફેલાવે છે. સીતાજી સેનાના મૃગ ઉપર મેહિત થયા તેથી થનાર યુદ્ધના મૂળમાં મેહ છૂપાયેલો છે. સુવર્ણ મૃગનો મેહ પણ યુદ્ધની એક ચિનગારી બની ગયો. રાવણને સીતા પ્રત્યેને મોહ. દરેક
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy