SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રહે ૧૩૦ રૂપી એકેક તણખલા વિખૂટા થતાં તારા આયુષ્યના માળા તૂટી જશે ને જીવને પુસ્તકમાં પ્રયાણ કરવું પડશે. જીવ આ બધુ જાણે છે, છતાં તેની ખળતરાના પાર નથી. હાય પૈસા । હાય પૈસા કરે છે, પણુ સમજે. ધનની ક`મત સંગ્રહ કરવાથી નહિ પણ તેના સદ્દવ્યય કરવાથી છે, ધૂપસળીને માત્ર સાચવી રાખવાથી એની સુગંધ મળતી નથી, પ એને સળગાવવામાં આવે તે એની સુગંધ મળે છે. રાજાને એક પુત્ર હતા. અચાનક રાજાનુ મૃત્યુ થયું, તેથી રાજકુમારને રાજતિલક કરીને ગાદીએ બેસાડયો. રાજકુમાર ન્યાય, નીતિ ને પ્રમાણિકતાથી રાજ્ય ચલાવે છે. તેથી તેની ખ્યાતિ દેશેાદેશમાં ફેલાઈ. રાજાને આશીર્વાદ આપવા એક સન્યાસી પધાર્યા. સંતે રાજાને આશીર્વાદ આપતા કહ્યું-રાજન્! ધુપને સાચવી રાખવાથી એની સુગંધ નથી મળતી પણ એને બાળવાથી મળે છે. સંતના આ ગૂઢ શબ્દો યુવાન રાજાના હૃદયમાં કોતરાઈ ગયા ને શબ્દોનું રહસ્ય સમજી ગયા. ટકારે ચકાર બનેલા રાજકુમાર :-રાજકુમારના પિતાના ભંડારમાંસાના, ચાંદી, ઝવેરાતના ભડારા ભર્યાં હતા. પિતાએ કોઈ દિવસ ધનને તિજોરીની બહાર કાઢ્યું ન હતું. લખલૂટ લક્ષ્મી હાવા છતાં લાભના પાર ન હતા. ચેનકેન પ્રકારે પ્રજા પાસેથી સપત્તિ મેળવીને ભંડારા ભર્યો પણ કાઈ દિવસ ગરીબ, અનાથ, અપંગાની સંભાળલીધી ન હતી. દુઃખી પ્રજાના આંસુ લૂછ્યા ન હતા. ગમે તેટલું મેળવ્યું પણ અંતે તા બધુ... અહી મૂકીને જવું પડયું. આ રાજકુમાર સ`તની ગૂઢ વાત સમજી ગયા કે ધૂપસળીને કાઈ માણસ વર્ષાં સુધી ઘરમાં રાખી મૂકે છતાં એની સુગધ મળતી નથી, પણ એને ખાળવાથી એની સુગંધ મળે છે, તેમ લક્ષ્મીના ભંડારા ઘરમાં સાચવી રાખવાથી જીવનમાં પરાપકારભાવના, તૃપ્તિ, સંતાષ આદિ સદ્ગુણાની સુગંધ મળતી નથી. એ લક્ષ્મી જો પરદુઃખભજનના કાર્યમાં વપરાય, દુઃખીએની રાહતમાં વપરાય, સત્કાર્યોમાં એના સદુપયેાગ થાય તે જીવન સદ્ગુણાની સુગંધથી મ્હેંકી ઉઠે છે. સંતની વાતનું રહસ્ય સમજાતાં રાજકુમારે શું કયું"? તેણે મહેલમાં તપાસ કરી તેા એના પિતા ધનના મેાટા મોટા ભડારી મૂકીને ગયા છે. એ ભંડારામાંથી લક્ષ્મી કાઢીને રાજકુમારે છૂટે હાથે ગરીબેને, અનાથ, અપંગાને અને નિરાધાર લેાકેાને વહેંચવા માંડી. કરવેરા, ટેક્સ બધુ` માફ કર્યું. સિપાઇઓના, નોકરીના બધાના પગાર બમણા કરી દીધાં. રાજકુમારનું આ વન એક વજીરને ન ગમ્યું. તેણે કહ્યું-મહારાજા ! ધન વહેંચવું હાય તે વહેચા પણ એ દાન વ્યવસ્થિત રીતે કરા. રાજા કહે તમે કેવી રીતે ધન વહેંચવાનું કહેા છે. ? વજીર કહે–રાજવીની રીત તા એવી છે કે આપણે રૈયતને ચાખાના એકેક દાણા આપીએ અને તેના બદલામાં તેમની પાસેથી સેાનાના એકેક દાણા લઈએ તા ધન વહેચ્યુ કહેવાય. ખજાના ખાલી ન થાય. કહેવત છે ને કે “ રાજા દાન દે ને ભંડારી પેટ કુટે. ” રાજા કહેતમે કહા મ એ રાજવીની રીત નથી. વજીરે કહ્યું-દુનિયામાં જે માટા ચક્રવતી રાજાઓ, મહારાજાએ ܕܕ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy