SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન જીવ નિગદ તથા એકેન્દ્રિય (પાંચ સ્થાવર) ની ભવમાં હતા. ત્યાં તે છવ બેધ પામી શકે નહિ, કારણ કે એકેન્દ્રિય જીવોની ચેતના અત્યંત સુષુપ્ત છે. એકેન્દ્રિયમાં અકામ નિર્જરા કરતા પુણ્યની રાશી વધતાં અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચોરેન્દ્રિય સુધી પહોંચ્યો. આ વિગલેન્દ્રિયના ભવમાં એકેન્દ્રિય કરતા થોડો વિકાસ વધ્યો. એકેન્દ્રિયમાં માત્ર કાયા હતી. જ્યારે અહીં જીભ, નાક અને આંખ મળ્યા, છતાં આત્મ સ્વરૂપને બેધ પામ દુર્લભ હતો, તેથી ત્યાં પણ બંધ પામી શક્યો નહિ, તેથી આગળ વધતા અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ગમે ત્યાં પણ બેધ પામવા દુશક્ય હતા, કારણ કે આ બધા જીને મન નહિ હેવાથી તે સ્પષ્ટ વિચાર કરી શકતા નથી. અસંજ્ઞી પંચેન્દ્રિયમાંથી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય બન્યો. સંજ્ઞી તિર્યંચમાં કઈ કઈ જીવ પૂર્વજન્મ કૃત જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી બોધ પામી શકે છે. દા. ત. નંદમણીયારને જીવ મરીને દેડકામાં ઉત્પન્ન થયે. ત્યાં પૂર્વજન્મના સ્મરણથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થતાં પિતાને પૂર્વભવ જે ને ત્યાં બેધ પામી ગયો ને શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. ત્યાં ભગવાન પધાર્યાના સમાચાર પનીહારીઓના મુખેથી સાંભળ્યા. એટલે કૂદતે કૂદત ભગવાનના દર્શન કરવા નીકળ્યો. આ રીતે કેટલાક હાથી, બળદ, ઘોડા આદિ પશુઓને જાતિસ્મરણ જ્ઞાનથી કયારે કયારે કથંચિત્ બોધની પ્રાપ્તિ થાય છે, પણ તે બહુ અલ્પ તિયાને થાય છે. સંસી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આગળ વધતાં અસીમ પુણ્યને પુંજ એકત્ર થયો ત્યારે મનુષ્ય જન્મ મળે. આ જન્મમાં પણ જો અનાદેશ અને અનાર્યકુળ મળ્યું તે ત્યાં બિધ પામવો બહુ દુર્લભ થાય છે. તે અને એટલું ભાન નથી હોતું કે હું કોણ છું ? મારો આ જન્મ શા માટે છે ? મારે ક્યાં કાર્યો કરવા જોઈએ ? મારા આત્માના વિકાસને માટે કયા ક્યા તો છે ને આત્માને બાધક કયા તો છે? આ બધા જ્ઞાનથી અજાણ હેવાને કારણે ત્યાં બધ પામવો અશક્ય હોય છે, માટે ભગવાન કહે છે કે જીવે બેધ પ્રાપ્ત કરવો જોઈએ, કારણ કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી અને મનુષ્ય જન્મ સુધી કેટલા જન્મો થઈ ગયા. જેમાં બંધનું એક બુંદ પણ મહ્યું? ના. હવે મનુષ્ય જન્મ, ઉત્તમ શરીર, આર્યક્ષેત્ર, આર્યકુળ, પાંચ ઈન્દ્રિય અને દીર્ઘ આયુષ્ય મળ્યું છે. તે એમાં સર્વશ્રેષ્ઠ, સૌથી દુર્લભ, મહત્ત્વપૂર્ણ વસ્તુ આત્મબોધ છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે. હવે એ પ્રશ્ન થાય કે બોધ શું છે? એને પ્રાપ્ત કરવાને ભગવાનનો શો ઉપદેશ છે? તથા બંધ કેણે પ્રાપ્ત કરવો જોઈએ ? આ પ્રશ્નોના જવાબમાં ભગવાને આ ગાથામાં બંધનને બેધ પ્રાપ્ત કરવાની વાત કહી છે. જ્ઞાનીઓને સર્વ પ્રથમ આશય તે આત્મબોધ કરવાને છે. જે આ ન માનવજન્મ પામીને આત્મબોધ પ્રાપ્ત નહીં કરીએ તે ફરી ફરીને આવે અવસર નહીં મળે, છતાં કંઈક અજ્ઞાની છે એમ વિચારે છે કે અત્યારે વિષયભોગનો આનંદ લુંટી લઈએ ને પછીના જન્મમાં બધ પ્રાપ્ત કરીશું, હમણું શી ઉતાવળ છે? તે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy