SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત પ એને લેવાનું મન થઈ જાય. અમારી બેનેા નવી ડીઝાઈનની સાડીઓ જુએ, દાગીના દેખે તેા લેવાનુ મન થાય. ખાવાપીવાની નવી વસ્તુ અથવા શાશમાં રાખવાના નવા રમકડા દેખે તેા એ લેવાનું મન થાય છે તે। આ ભગવાનની પેઢીએ આવે! ત્યારે કંઈ લેવાનું મન થાય છે? જેમ દુકાનેામાં જાત જાતની વિવિધ વસ્તુઓ હાય છે તેમ આ માનવ– જીવનમાં અનેક જાતજાતની વસ્તુઓ મળે છે. આ જીવનમાં સૌથી મેઘામાં મોંઘા પાંચ મહાવત રૂપી રત્ના છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી સેાનાના દાગીના છે. માર વ્રત રૂપી મેાતીના દાગીના છે, અને સ ્ય સદાચાર, નીતિ, પાપકાર ભાવના, ક્ષમા, દયા, નિભિતા રૂપી આછી કિમતના રત્ના છે. આ રીતે આ માનવજીવનમાં જાત જાતના કિ`મતી માલ ભરેલા છે. તેથી તેને ઝવેરાતના ખજાના કહ્યો છે. તમારા રત્ના, મેતી, દાગીના નાશવત છે. એના પ્રત્યેની મૂર્છા જીવને ક્રુતિમાં લઈ જાય છે. જ્યારે માનવ– જીવનમાં રત્નાના જે ખજાના ભરેલા છે તે શાશ્વત છે એ શાશ્ર્વતની સાધના કરવાથી જીવ શાશ્વત સુખને મેળવી શકે છે. આ ખજાનામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સયમ છે. સયમની સાધના વિના સિદ્ધિ નથી. ત્રણ કાળમાં પણ સંયમ વિના શાશ્વત સુખ મળવાનું નથી. આ માનવ જીવનમાં જો કંઈ પણ સાધના થશે નહિ તેા પાછળથી પસ્તાવાના પાર નહી રહે. ઝવેરી દુકાનનું ધ્યાન રાખે નહિ અને બેદરકાર રહે, તે કયારેક તેના કિંમતી માલ પણ લૂંટાઈ જવાના પ્રસંગ આવે છે, તેમ આ જીવનમાં પણ જીવાત્મા સાધના કરવામાં બેદરકાર રહે, તે તેના ખજાના પણ કષાયેા રૂપી ડા દ્વારા લૂંટાઈ જવાના ભય રહે છે. એક વખત બાદશાહ વજીરના કાર્યથી તેના પર ખૂબ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઇને કિ`મતી દુશાલા આપ્યા. વજીરે તે દુશાલાના ઉપયાગ શું કર્યા ? તેનાથી તેણે નાક સાફ કર્યું. કોઈકને આ વાતની ખબર પડી ગઈ. તેણે જઇને રાજાને આ વાતની ફરીયાદ કરી. આ સાંભળી બાદશાહ તે તેના પર ખૂબ ગુસ્સે થયા અને વજીરને નાકરીમાંથી કાઢી મૂકયો. આ ન્યાય આપણા પર ઘટાવવા છે. વાત તેા સાવ નાની છે પણ સમજવા જેવી છે. મહાન પુણ્યના ઉદયે આ મનુષ્ય જન્મ રૂપ દુશાલે મળ્યે છે. તેનાથી આપણે વજીરના જેવું તેા નથી કરતાને? જે આ જન્મમાં પાપનું, અધર્મ નું આચરણ કરવામાં આવે તેા કર્મી પણ આ મનુષ્ય જન્મમાંથી બરબાદ કરી દેશે ને નરક–તિય ચ ગતિમાં મૂકી દેશે. જન્મની સાકતા શેમાં છે? એ વાત આપણે ખરાખર જાણી લેવી જોઇએ, કારણ કે એ જાણવાથી આપણને રસ્તે સમજાઈ જાય છે. જિંદગીની સાકતા શેમાં છે તે સમજાવવા માટે જગતના મહાપુરુષા, તીર્થંકર ભગવંતા અને ધર્મશાસ્ત્રો કહે છે કે મનુષ્ય પેાતાની પૂર્ણતાએ પહાંચવું, આત્માના પૂરો વિકાસ થવા દેવા તથા તેને કર્મ બંધનમાંથી મુક્ત કરવા એમાં સાચી સાકતા સમાયેલી છે. ધર્મીના સ્વરૂપને જાણ્યા વિના ગાડરીયા પ્રવાહથી જેમ સ`સારમાં ચાલ્યા કરવું તેનું નામ જિંદગીની સાર્થકતા નથી પણુ, જીવનને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy