SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ઉત્તરાધ્યયન સૂત્રની ૩૪ માં અધ્યયનમાં લેશ્યાની ઘણી સુંદર વાતે સમજાવી છે. જીવને પોતાને કઈ ગતિમાં જવાનું છે, એનું થર્મોમીટર પિતાને આત્મા મૂકી શકે છે. જીવને જેવી વેશ્યા, જેવા પરિણામ વર્તતા હોય એ પરથી આત્મા સમજી જાય કે મારે કઈ ગતિમાં જવાનું છે. જે નરક અને તિર્યંચ ગતિમાં ન જવું હોય તે આરંભ પરિગ્રહના કામ છોડી દે, માયા કપટને ત્યાગ કરે, અને જીવનમાં જે દુર્ગની દુર્ગધ ભરાઈ ગઈ હોય એને દૂર કરી સદ્દગુણોની ખુબે એમાં ભરી દે. જ્યારે આત્માની જાગૃતિ થાય ત્યારે “ભવે ખેદ અંતર દયા” તે સંસારમાં વસ્યો હોય છતાં એને ભવ પ્રત્યે ખેદ થાય છે, અને જ્યારે આત્મા રંગરાગમાં, રમણીના પ્રેમમાં પડે છે ત્યારે સંસાર દુઃખરૂપ બની જાય છે, માટે તેમાં લપટાવા જેવું નથી. સંસારમાં જાતજાતની અનેક પ્રકારની કહાનીઓ જોવા મળે છે. કે ઘરમાં સાસુ જમાદાર હોય, તે કોઈ ઘરમાં વહુ જમાદાર હોય. કેઈ ઘરમાં બાપ જમાદાર હોય, તો કઈ ઘરમાં દીકરા જમાદાર હોય છે. સંસારમાં નજર કરીએ તો કંઈક નવી કહાનીઓ જોવા મળે છે. આ સંસારમાં પડવા જેવું કે રહેવા જેવું નથી. કર્મો જીવને કેવા નાચ નચાવે છે, કર્મોથી જીવ કેવું દુઃખ ભોગવે છે તે સાંભળો. સંસાર કે –ગરીબ માતાપિતાને એક દીકરો હતો. દીકરો બાર તેર વર્ષનો થયે ને પિતા તે મૃત્યુ પામ્યા. દીકરાની તમામ જવાબદારી માતાના માથે આવી પડી. માતાએ પેટે પાટા બાંધીને, કાળી મજુરી કરીને ભણાવ્ય–ગણાવ્યો. માતા દીકરાને મોટો કરે, ભણાવે ત્યારે એના મનમાં તે મોટી આશાઓ હોય છે. ભલે હું દુઃખ ભેગવું પણ તેને ભણાવું તે એ ભવિષ્યમાં સુખી થાય. તેને અમારા જેવા ગરીબાઈના દુઃખો ભેગવવા ન પડે. એ સુખી થાય તે હું સુખી. પણ ઘણીવાર માતાના આ અરમાને જમીનદોસ્ત થઈ જતાં દેખાય છે. આ દષ્ટાંતથી હું તો તમને સંસારની અનિત્યતા સમજાવવા માગું છું. દીકરો ભણી ગણીને તૈયાર થયો એટલે માતાને વહુ લાવવાના કેડ જાગ્યા. એક સારી સુખી ઘરની કન્યા સાથે દીકરાના લગ્ન થયા. વહુ ઘરમાં આવી. આ માતાને પોતાના પતિને વિગ ખૂબ સાલતે હતે. ઘણીવાર તેમના વિયોગમાં આ માજી રડતા હતા. તેમના મનમાં એમ થાય કે મારો દીકરો સુખી થયો. હવે સુખના દિવસે આવ્યા. પણ તે તે જોવા ન રહ્યાને? આ રીતે ઘણીવાર પાર્વતીમા રડતા. આ ડોશીમા રડે તે પણ વહુને ગમતું નહિ. વહુ વીસમી સદીની ખાધેલા જમાનાની આવી હતી. તે ઘણી વાર કહી દેતી કે આવા સુખી ઘરમાં વારંવાર રડવું એ બરાબર નથી. રમેશે પણ કહ્યું કે બા ! મૃત્યુ પામેલા બદલ શેક કરીને જીવતા માણસોના સુખમાં શા માટે વિદ્ધ નાખે છે ? દુઃખને ટાળવા જાય કથામાં –દીકરા વહુએ ઓમ કહ્યું ત્યારથી પાર્વતીમાં કયારે પણ ઘરમાં રડતા નહીં. માતા પિતાના દુઃખને ભૂલવા ગામમાં જ્યાં કથા થતી હોય ત્યાં સાંભળવા જાય ને પોતાનું દુઃખ હળવું કરે. એક દિવસ શાસ્ત્રીજીએ કથામાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy