SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શારદા રત્ન ગતિ કેવી કરશા ! –વિચારેા. મેાક્ષમાં જવું એટલે આપણા સાચા ઘરમાં જવું. ઘેાડા કે બળદ બહુ થાકી ગયા હોય તે પણ જ્યારે તેએ પાતાના ઘર તરફ વળે છે ત્યારે ખૂબ જોરમાં વેગથી ચાલે છે તેમ આપણે પણ મેાક્ષમાં જવું તા ધર્મના માર્ગે ખૂબ ઝડપથી ચાલવું પડશે. આ સ`સારમાં તે કાઈ ૨૫-૫૦ કે સાવ માટે આવ્યા છે પછી અહીંથી જવાનું છે, પણ જ્યાં ગયા પછી ત્યાંથી પાછુ આવવાનુ નથી ને અનંતકાળ સુધી આત્માના અનંતા સુખમાં રહેવાનું છે એવા ઘર તરફ જવા માટે પુરૂષા કરો. ઘેાડાએ અને મંળદો જેવા જનાવરા ખૂબ થાકી ગયેલા હોય છતાં પણ પાતાના ઘર તરફ જવા માટે ઉતાવળ કરે છે. ત્યારે એ પશુએ કરતાં તે માનવા વધુ સમજુ છે, જ્ઞાની છે, અનુભવી છે માટે તેણે તેા ખૂબ ઝડપથી મેાક્ષમાગ તરફ ચાલવુ ઇએ. તે જો માણસને લાંબી મુસાફરીએ જવું હોય તે પાતાને જરૂરીયાતની વસ્તુઓની અગાઉથી તૈયારી કરી રાખે છે, કારણ કે જો અગાઉથી તૈયારી ન કરી રાખે તેા લાંખી મુસાફરીમાં ઘણી જાતના દુઃખો ભાગવવા પડે છે. જે ડાહ્યા માણસા હાય છે તા બધી તૈયારીએ અગાઉથી કરી લે છે. તેમ હું આત્મા ! આ જીવને પણુ પરલેાકની લાંબી મુસાફરીએ જવાનુ છે. માત્ર એક જ દિવસની મુસાફરી કરવી હાય તા પણ ખાવા પીવાના સાધના કપડાં વગેરે રાખવા પડે છે. તેા આ જીવને તા લાંબી મુસાફરીએ જવાનું છે. પેાતાના મેાક્ષરૂપી ઘરમાં જવું છે કે જ્યાં અન’તકાળ સુધી રહેવાનુ છે, પાછુ' આવવાનું નથી, તે એ માટે કેટલી બધી તૈયારીઓ જોઈશે ? માટે હવે પ્રમાદમાં ન રહેતા. આત્મસાધનામાં લાગી જાવ. ભલે આ કાળમાં સીધા માક્ષમાં ન જવાય પણ એકાવતારી તા થઇ શકાય છે. એ માટે આત્માએ ખૂબ તૈયારી કરવાની છે. પ્રમાદમાં પેાઢેલા આત્માને હવે જાગૃત કરવાના છે. આજ સુધી અજ્ઞાન દશાએ જીવ દેહના પૂજારી બન્યા પણ હવે આત્માના પૂજારી બનવાની જરૂર છે. કહે છે કે દેહટષ્ટિએ કર્મ દળાય નહી. ને દેહ વિના મુક્તિ સધાય નહીં. જ્યાં સુધી શરીર તરફ દૃષ્ટિ છે, શરીર પ્રત્યે રાગ છે ત્યાં સુધી કર્મી દળાવાના નથી. દૃષ્ટિ બધાની અલગ અલગ હેાય છે, દરિયાને કિનારે અનેક મનુષ્યા ઉભા હાય પણ બધાની દૃષ્ટિ જીદ્દી હેાય છે. કેાઈ દરિયાના માજાને જુએ, તેા કેાઈ ભરતી-ઓટને દેખે, માછીમારા માછલા દેખે. અને કેાઈ દરિયાની મધ્યમાં રહેલા રત્નાકરને દેખે છે. બધા ઉભા દરિયાના કિનારે પણ દૃષ્ટિ સૌની અલગ અલગ છે, સ'સારમાં વસેલા જીવાએ સંસારમાં સુખદુઃખના અનેક તરંગા જોયા. અનેક જીવા સાથે સબધા ખાંધ્યા પણ હવે એ બધામાંથી મુક્ત બની મેાક્ષનુ મેાતી મેળવવું છે ? મેાક્ષનુ મેાતી મેળવવા માટે આ ઔદ્યારિક શરીર એ અમૂલ્ય સાધન છે. મેાક્ષે જવા માટે વક્રિય શરીર કે આહારક શરીર કામ નથી આવતું, પણ એ માટે તે ઔદારિક શરીર જોઈ શે. સર્વાર્થસિદ્ધ વિમાનથી સિદ્ધક્ષેત્ર કેટલું નજીક છે ? છતાં દેવા વૈક્રિય શરીરથી ત્યાંથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy