SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શારા રત્ન ગમે ત્યાં આંખ મળી પણ કાન નહેતા મળ્યા. જીવ જ્યારે પંચેન્દ્રિયપણનેજમે છે ત્યારે આંખ સાથે તેને કાન મળે છે. કાનથી જીવ સૃતવાણીનું શ્રવણ કરી શકે. મૃતવાણું સાંભળતાં જીવ સમ્યક્ત્વ પામી શકે છે. સમકિતી જીવને કોઈ પૂછે કે તમે આનંદમાં છે ને ? તે તે એમ નહીં કહે કે હું આનંદમાં છું. એ તે કહેશે કે હું સંસારરૂપી કારાગૃહમાં પાપના પિંજરામાં પડે છું. એમાંથી મારો કયારે છૂટકારો થશે ? સંસાર એ એક જેલ છે. એ બંધનમાંથી કયારે છૂટીશ ? અજ્ઞાની જીવ ધર્મસ્થાનકમાં આવે તે પણ એ સંસારને ભૂલતો નથી. જ્યારે સમકિતી સંસારમાં રહે પણ તેમાં આસક્ત, ન બને. સંતે અનંતકાળથી સંસાર રૂપી પિંજરામાં પૂરાયેલા જીવને ઉડવાનું કહે છે, પણ હજુ તમને સમજાતું નથી. કેમ બરાબર ? એક પિંજારાને દીકરો મુંબઈ રહે. પુણ્યદયે સુખી થયો. તેના મનમાં થયું કે મારા બાપુજી પિંજારાને ધંધો કરે છે. ને આટલી જિંદગી પિંજ્યા કર્યું છે. તે હવે તેમને મુંબઈ બોલાવી લઉં. એમ વિચાર કરી દીકરાએ પિતા પિંજારાને મુંબઈ બોલાવ્યો. મુંબઈમાં ગયા પછી દીકરાએ તેને બાપને એરોડ્રામ, પાલવા બંદર આદિ જેવા લાયક સ્થળે બધા બતાવ્યાં. એક વાર ફરતા ફરતા રસ્તામાં પિંજારાની દુકાન આવી. તેની દુકાનમાં રૂ ને ઘણે મેટો ઢગલો પડે છે. પિંજારાની નજર તે દુકાનમાં રૂ ના ઢગલા પર પડી. આટલું બધું રૂ જેઈને તેના મનમાં થયું કે હાય ! આટલું બધું રૂ કયારે પીંજાશે ? તેમાં તેનું મગજ ચસ્કી ગયું. દીકરાએ બાપને સુખ માટે બોલાવ્યો પણ આ તે દુઃખ થયું. તે તે બોલ્યા કરે છે હાય..હાય... આટલું બધું કયારે પીંજાશે ? (૨) પણ પુત્ર હોંશિયાર હતે. થોડા દિવસ બાદ દુકાનમાં રૂ ના ઢગલા ખાલી થઈ ગયા ત્યારે ત્યાં પિતાને લઈ ગયો. બધું રૂ પૂરું થયેલું જોયું તેથી તેમનું મગજ ઠેકાણે આવી ગયું. આપ પણ સંસારને રાગ છોડે. ચાર મહિના તેના મુખેથી એક ધારું શ્રુતવાણીનું શ્રવણ કરો. ધૃતવાણુના શ્રવણથી જીવને મહાન લાભ થાય છે. સમકિતનું બીજ વાવવા માટે શ્રુતવાણીનું શ્રવણ અતિ ઉપયોગી નીવડે છે. લાખેણી પળને ઓળખી લે. વર્ષની તુએ ત્રણ છે. શિયાળે, ઉનાળે અને ચેમાસું, તેમ આપણી પણ ત્રણ અવસ્થા છે. બાળપણ ખેલકૂદમાં રમતગમતમાં ગૂમાવ્યું, ઘડપણમાં ઇદ્રિયે શિથિલ થઈ જાય, એટલે તે અવસ્થામાં, પણ કંઈ થઈ શકે નહીં, રહી માત્ર યુવાની. યુવાનીને ઉપયેગ સવળો થાય, એટલે ધર્મ આરાધના સારી થાય તે યુવાની સફળ બને અને જે ગોપભોગમાં પડ્યા તો યુવાની દિવાની બને. કૂવા કાંઠે એક સંન્યાસી બેઠો હતો. તે માળા ગણ અને બલતે “ અગલી ભી અચ્છી, પિછલી ભી અચ્છી, બિચલીકે જુરોકા માર” આમ બોલ્યા કરતે હતું. તે સમયે ત્યાં ત્રણ બેને પાણી ભરવા આવી. આ ત્રણમાં સૌથી આગળ વાણીયાની દીકરી છે. વચ્ચે ક્ષત્રિયાણ છે ને પાછળ બ્રાહ્મણની દીકરી છે. સંન્યાસી તે તેમની ધૂનમાં મસ્ત હતા અને બેલતા હતા “અગલી ભી અરછી, પિછલી ભી અચ્છી. બિચલી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy