SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ ચારદા સાગર ચારી લીધી. તમે ઘરમાં બધાને પૂછયું કે કોઈના હાથમાં નેટ આવી છે? ખૂબ તપાસ કરતાં દીકરે પકડાયે. તો તમે તેને ઘરમાં ખૂણામાં બેસાડીને બે તમાચા મારી લેશે ને શિખામણ દેશે પણ બહાર કેઈને જાણવા નહિ દે. પણ જે કરે ચોરી લીધી હશે તો તેને કહી દેશે કે તું ચાર છે, તેને માર મારશે, કટુ શબ્દ કહેશે ને ઉપરથી દમદાટી આપશે કે પોલીસ પાસે નેંધાવી આવીશ કે આ માણસ ચેર છે. કદાચ નોકર બહુ કરગરશે તો એક વખત જતું કરશો. પણ બીજી વખત ચોરી કરે તે તેને તમે સરકારના હવાલે કરી દે છે ને? એને દુનિયામાં ચોર તરીકે જાહેર કરે છે. પણ પોતાને દીકરે પચ્ચીસ વાર ચોરી કરે તે પણ બહાર કઈ જાણતું નથી. આનું કારણ? પુત્ર પ્રત્યેને રાગ અને નકર પ્રત્યે દ્વેષ છે. જીવને હું અને મારું કરાવનાર હોય તો રાગ છે. પણ વિચાર કરે. ત્રણ કાળમાં પારકું પિતાનું થવાનું નથી. પરયાને પિતાનું બનાવવામાં આ જીવ અનંત કાળથી દુઃખી બની રહે છે. આવું અનુપમ વીતરાગ શાસન મળ્યા પછી મારા અને તારાની મમતા છોડી દેવી જોઈએ. આ દેહ પર છે ને આત્મા સ્વ છે. તમે જેટલે તમારા ઘરના સાથે સ્નેહ રાખો છો એટલે બીજા સાથે રાખે છે ખરા? (તામાંથી અવાજ:- ના. પારકા સાથે તે કામ પૂરતો નેહ રાખીએ છીએ.) તે સમજો. આ શરીર પરાયું છે. તે અહીં પડી રહેવાનું છે. તો તેની પાસેથી ધર્મકરણીનું કામ યુકિતપૂર્વક કઢાવી લેવા પૂરત સબંધ રાખે, પણ તેને સજાવવા પાગલ ન બનો. તેમ સગાસ્નેહી અને પૈસાની પાછળ પાગલ બનીને દેવ-ગુરૂ અને ધર્મને ભૂલી જાવ છો તે કેટલી મૂર્ખતા છે. અજ્ઞાની જીવ શું માને છે? મને દેવ-ગુરૂ અને ધર્મ વિના ચાલશે પણ પૈસા અને પરિવાર વિના નહિ ચાલે. પૈસા એ તો મારે પ્રાણ છે. પુત્ર-પત્ની અને પરિવાર મારો પરમેશ્વર છે. એના વિના તો મારે એક ક્ષણ પણ નહિ ચાલે. એ પૈસા અને પરિવાર મળે તે રાજી રાજી ને એ ન મળે તે નારાજ. કેટલું ભયંકર અજ્ઞાન છે! - જે સાધનો ભવસાગરમાં ડૂબાડનારા છે, આત્માને કર્મના મેલથી મલીન બનાવનારા છે તેને પોતાના માની એની પાછળ જિંદગીને અમૂલ્ય સમય વેડફી રહ્યા છે. સાથે શરીરને ખુવાર કરી રહ્યા છે, અને ભવસાગરથી પાર ઉતારનાર ધર્મ માટે તન, મન, ધન અને સમયને કેટલે ભોગ આપ્યો! ધર્મ માટે કેટલી તૈયારી કરી છે? બોલે તો ખરા. દેવાનુપ્રિય! તમે આ બાબતમાં જવાબ નહિ આપે. મૌન રહેશો. કારણ કે તમારી વૃત્તિ સંસાર તરફ છે. ઘણાં શ્રાવકે તે ધર્મસ્થાનકમાં પણ અહં અને મમ-ની માળા જપતા હોય છે. સંતોની સામે બેઠે હેવા છતાં પણ મનમાં પુલાતો હોય છે, કે હું માટે તપસ્વી! હું માટે શ્રીમંત શેઠીય! સંઘનો સેક્રેટરી ! હું તત્ત્વને જાણકાર છું ને માટે સત્તાધીશ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy