SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શારા સરઘ ૩૫ કરવા જાય છે કે મારી બહેન આવે છે ત્યાં તે રથ ક્યાં ક્યાં પહોંચી ગયો. આ વાત ખૂબ લાંબી છે પણ ટાઈમ થયો છે તેથી ટૂંકમાં ચલ્લણના લગ્ન આ રીતે થયા છે તે ટૂંકમાં રજૂ કર્યું તેવા ચલણજી પરણીને આવ્યા. રાત પડી એટલે કહે છે સ્વામીનાથ! આપણે કઈ બાજી રમીશું? ત્યારે શ્રેણીક કહે છે કે સોગઠાબાજી રમીએ. ત્યારે ચલણ કહે છે નહિ સ્વામીનાથી આપણે જ્ઞાનબાજી રમીએ. જ્ઞાનબાજી કોને કહેવાય એ પણ શ્રેણુકને ખબર ન હતી. એટલે કહે છે જ્ઞાનબાજી કઈ? ત્યારે ચેલ્લણ કહે છે જ્ઞાનચર્ચા કરીએ. તમે મને પ્રશ્ન પૂછે. હું તમને પૂછું. ત્યારે શ્રેણુક કહે પહેલાં તમે પૂછે તમારી ચિલણાએ પરણ્યાની પ્રથમ રાત્રે તમને આમ કહ્યું હશે ને? (હસાહસ) ચેલણ કહે સ્વામીનાથ! જિનશબ્દની વ્યાખ્યા કરે. ત્યારે શ્રેણીક કહે છે અરે ચેલણ ! હું મગધ દેશને અધિપતિ છું. તું આ મામૂલીક પ્રશ્ન મને પૂછે છે? જિન એટલે પ્રેસ અને ઘેડા ઉપર નાંખવાની ગાદી પણ જિન કહેવાય શ્રેણુકને જવાબ સાંભળીને ચેલણનું મુખ પડી ગયું. આનંદ ઊડી ગયે. સ્વામીનાથી તમે જેન નથી. જેન હોય તે જિન શબ્દને અર્થ આ ન કરે. ઘણી વખત બંને જણા ધર્મમાં રસાકસી કરે. શ્રેણુક કહે મારો બૌદ્ધ ધર્મ સાચે છે. ને ચેલણ કહે મારે જેન ધર્મ સાચે છે. શ્રેણીક કહે તારા ગુરૂ તો ગંદા ગેબરા છે. મેલા કપડાં પહેરે છે. ત્યારે જેની હાડમીજામાં જૈન ધર્મને રંગ છે તેવી ચેલ્લણા કહે છે સ્વામીનાથ! મને જે કહેવું હોય તે કહે પણ મારા ધર્મને કે ધર્મગુરૂને ન કહો. મારાથી સહન નહિ થાય. મારા ગુરૂના અવર્ણવાદ હું સહન નહિ કરી શકું. બેધડક કહી દીધું. એમ વિચાર ન કર્યો કે રાજાને કંઈ કહીશ ને મને નહિ બેલાવે છે? કાઢી મૂકશે તે? બંધુઓ ! ધર્મ માટે આવું ઝનૂન જોઈએ. ખમીર જોઈએ. તમને જેમ તમારી પેઢી, પત્ની અને પૈસા વહાલા છે તેનાથી પણ અધિક દેવ-ગુરૂ અને ધર્મ વહાલા હેવા જોઈએ. તે જ ધર્મ ટકી શકશે. ચેલણાએ નિશ્ચય કર્યો કે જેને પરણીને આવી છું તે મારા પતિને ગમે તેમ કરીને જેને ધર્મ પમાડું તે જ હું સાચી પત્ની છું. ચેલ્લણએ પતિને ધર્મ પમાડવા માટે કેટલા પ્રયત્ન કર્યો છે. હવે રાજા મંડીકક્ષ બગીચામાં જશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન - ૫ અષાડ વદ ૭ ને સોમવાર તા. ૨૮-૭-૭૫ અનંત કરૂણાનિધિ, ભવના ભેદક, મોક્ષ માર્ગના પ્રરૂપક એવા શાસનપતિ વીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતીવાણી તેનું નામ સિધાંત આ સિદ્ધાંતની વાણીમાં જેને એક વખત યથાર્થ શ્રધ્ધા થઈ જાય તેના ભવને બેડે પાર થઈ જાય. એવી આ વચના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy