SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૩૨૯ ઘણું માણસને એવી આદત હોય છે કે કે માણસ ગરીબોની સેવામાં સંપત્તિને સદુપયોગ કરે તે વચમાં પથરો મુકવા જાય છે. આટલું બધું શા માટે આપી દે છે? હજુ કયાં અંદગી ચાલી ગઈ છે? અત્યારે બધું આપીને નવરા થઈ જશે તો ઘડપણમાં શું કરશો? આનું નામ “દાતાર દાન કરે ને ભંડારી પિટ કુટે.” એક વખત ભેજરાજા ગરીબની સેવામાં છૂટે હાથે દાન દેવા લાગ્યા ત્યારે પ્રધાનના મનમાં થયું કે રાજા જે આમ ધન ઉડાવશે તે ભંડાર ખાલી થઈ જશે. પણ હવે રાજાને કેવી રીતે કહેવાય? રાજાને સવળું પડે તે સારૂં ને અવળું પડે તે મારું આવી બને. એટલે ખૂબ વિચાર કરીને પ્રધાને રાજાના સિંહાસનની સામે ભીંત ઉપર લખ્યું કે “આજવાર્થ ઘન રક્ષેદ્ ” વિપત્તિ આવે ત્યારે ધનની જરૂર પડે છે માટે ધનનું રક્ષણ કરવું જોઈએ. બીજે દિવસે રાજા સિંહાસને બેઠા ને ભીંત સામે નજર પડી તે આ વાક્ય વાંચ્યું. રાજા ભોજ તે ખૂબ ચતુર હતા. તે સમજી ગયા કે આ મારા ઉપર લખ્યું છે એટલે રાજાએ તેની બાજુમાં લખાવ્યું કે “મા થવાનો જ લીવર” ભાગ્યવાનને કદાપિ આપત્તિ આવતી નથી. ત્યારે ફરીને પ્રધાને નીચે લખ્યું કે કાર પતવૈવ ભાગ્યવાનને આપત્તિ આવતી નથી પણ કદાચ તમારું ભાગ્ય કે પાયમાન થશે તે? ફરીને રાજાએ વાંચ્યું તે એની બાજુમાં લખાવ્યું કે “સંતોfજ વિનશ્યતિ” જે ભાગ્યે કોપાયમાન થશે તો રક્ષણ કરેલું ધન પણ ચાલ્યું જશે. માટે જેણે આ વાકય લખ્યા હોય તે મારા ભંડાર ખાલી થઈ જવાની કદી ચિંતા ન કરે. બંધુઓ ! આનું નામ દાતાર. રાજાએ પ્રધાનની આંખ ખોલાવી દીધી. તમે એમ ન માનતા કે પૈસા સત્કાર્યમાં વાપરવાથી ખૂટી જાય છે. સારા કામમાં જેટલું ધન વેરશે તેટલું ઊગી નીકળશે. ખેડૂત ખેતરમાં ધાન્ય વાવવા જાય છે ત્યારે તે એક ઠેકાણે ઢગલે કરતા નથી પણ આખા ખેતરમાં અનાજના કણ વેરતો વેરતો જાય છે. ને જ્યારે અનાજ પાકે છે ત્યારે ઢગલે ઢગલા થાય છે તેમ તમે સારા કાર્યમાં ધન વેરશે તે જેટલું વેરશે તેના કરતાં અનેકગણું ઉગી નીકળશે.--- જ્યારે આ જગતમાં જન્મ્યા ત્યારે મૂઠી વાળીને આવ્યા ને જતી વેળાએ પણ ખાલી હાથે જવાનું છે. તમારા સંસારના મેજશેખ અને કામગમાં વાપરશે તે સાથે નથી આવવાનું. માટે જે ખાલી હાથે ન જવું હોય તે બને તેટલા નાણુને સદુપયોગ કરો. પેલા શેઠે ગરાસીયાને વેણ કવેણ કહ્યા ને પૈસા આપ્યા નહિ. આ શબ્દ એને હાડહાડ લાગી ગયા. ખૂબ દુખ થયું એટલે પિતાને ઘેર ચાલ્યા ગયે. ક્ષત્રિયકા બચ્ચા અપમાન સહન કરી શકે નહિ, એના ઘેર જઈને એને વિસ વર્ષને ક્લયાકુંવર જે દીકરો મરી ગયેલ હોય તેમ છાતી ફાટ રૂદન કરવા લાગ્યો ને મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યો કે જુગાર રમવા ગયા ત્યારે મારા આદેશી-પાડેથી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy