SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શારદા સાગર હસ્યા કેમ? ભૂદેવ કહે છે કાંઈ નહિ પટલાણીએ ખૂબ પૂછ્યું ત્યારે ભૂદેવ શુ કહે છે ? તમે પટેલનું ખાઈ ખાઈને આ શરીર કેવુ પાડા જેવું બનાવ્યુ છે? હવે જેણે ખાવા ખીચડી આપી તેને એમ કહે કે ખાઇ ખાઇને પાડા જેવી થઇ છું તેા પટલાણી એક ઘડી પણ ઉભે! રહેવા દે ખરી ? પટલાણીને મિજાજ ગયા. હાથમાં લાકડી લઇને કહે છે ભામટા! અહીંથી ચાલ્યા જા. પટલાણીનું રૌદ્ર સ્વરૂપ જોઇને બ્રાહ્મણ તે થરથર ધ્રુજવા લાગ્યા અને કરગરીને કહે છે બહેન ! હવે ખીચડી ચઢવાને થાડી વાર છે. જમીને ચાર્લ્સે જઈશ. પટલાણી કહે છે હવે તું મારે આંગણે એક સેકન્ડ પણ ન જોઇએ. બ્રાહ્મણુ ખૂખ કરગર્યો ત્યારે પટલાણીએ પેલી અડધી ચઢેલી ખીચડી તેની ઝોળીમાં નાંખી ને વિદાય કર્યો. ખીચડી હજુ પૂરી ચઢી ન હતી એટલે પાણી નીતરતું હતું. બ્રાહ્મણુ ચાર્લ્સે। જાય છે. ગામના ચારે ઘણાં માણસા બેઠા હતાં. તેમાંથી એક માણસ કહે છે ભૂદેવ ! આ ઝેળીમાંથી શું નીતરે છે ? ત્યારે ભૂદેવે પશ્ચાતાપ ભર્યા સ્વરે કહ્યું. બીજું શુંનીતરે ભાઈ ? એ તા મારી લૂલી નીતરે છે. (હસાહસ). આ મારી જીભ વશમાં ન રાખી એણે દાટ વાળ્યેા. માણસ ગમે તેમ ખેલી નાંખે છે. ખાલે ત્યારે એ વિચાર નથી કરતા કે આનું શું પરિણામ આવશે ? બ્રાહ્મણે એની જીભ વશ ન શખી તેા અધકચરી ખીચડી લઈને ભાગવું પડયું અને પશ્ચાતાપના પાર ન રહ્યો. માટે ખૂબ વિચારીને વચન ખેલવુ જોઇએ. શ્રેણીક રાજા ખૂબ વિનયપૂર્વક મુનિ પાસે ખેલ્યા. હજુ શું કહેશે તે ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - અંજના સતીના માથે વિપત્તિની વીજ ઝબૂકી રહી છે. એ કાળા પાણી એ કલ્પાંત કરતી કાળા ઘેાડે ને કાળા વચ્ચે વનવગડાની વિષમ વાટે રથમાં બેસીને પિયરના પંથે જઈ રહ્યા છે. વસંતમાલા તેને આશ્વાસન આપતી જાય છે. મને સખીના નિર્દેષ વાર્તાલાપ સાંભળી સારથીનું કાળજું ચીશઇ જાય છે. રથ ચાલતા ચાલતા ભયંકર વનમાં આવી ગયા. અંજનાના પિયરનુ ગામ મહેન્દ્રપુરી ત્રણ ચાર માઇલ દૂર છે. રાત પડવા આવી તે સમયે સારથીએ રથ ઊભા રાખ્યા. પણ એને કહેવાની હિંમત નથી કે તમે રથમાંથી નીચે ઉતરે. અરરર... હું કેવા પાપી છું કે આ સતીને મારે આવા ભયંકર વગડામાં મૂકીને જવું પડશે ? તે ભાંગ્યા તૂટયા શબ્દોમાં કહે છે માતા ! તને આ અવસ્થામાં આવા ગાઢ. ભયંકર વનમાં મૂકીને જતાં મારું મન માનતું નથી પણ રાજાની આજ્ઞાનુ ન છૂટકે પાલન કરવુ પડે છે. મા ! મને માફ કર. આ સારથી અન્યા તે સતીને સંતાપવાના વખત આવ્યેા ને ? મા ! તુ મને શ્રાપ ન ઇશ હાં..... આમ કહી સારથી ખૂબ રડયા. સતી અંજના કહે છે વીરા ! એમાં તારા દોષ નથી, મારા વડીલ સાસુ-સસરાને મારા પ્રણામ કહેજે. આટલુ ખેાલતાંની સાથે સતી થમાંથી નીચે ઉતરી ગઇ. સારથીને અજનાને અઘાર જંગલમાં નિરાધાર મૂકીને જવા માટે મન માનતું
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy