SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૫ બોલવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે ને કટુ વચન બોલવાથી મિત્ર પણ શત્રુ બની જાય છે. તુલસીદાસે પણ કહ્યું છે કે - તુલસી મીઠે વચન તે, સુખ ઉપજે ચહુ ઓર વશીકરણ એક મંત્ર હૈ, તજ જે વચન કઠેર મીઠી વાણી વશીકરણ મંત્ર જેવી છે. માટે જીભને વશ કરવાની જરૂર છે. તમે બીજાને મિત્ર બનાવે છે પણ જીભ સાથે કદી મિત્રતા બાંધી છે ? તમે તમારી જીભને મિત્ર બનાવે. જીભમાંથી કડવી વાણી શા માટે નીકળે? અમૃતવાણી કેમ ન નીકળે ? આ જીભ તે કહે છે તમે મને શા માટે દેષ આપે છે? હું તે કોશ જેવી છું. મારે ઉપગ હીરાની ખાણ દવામાં કરશે તે હીરા મળશે ને કેલસાની ખાણ દવામાં કરશે તે કેલસા મળશે. તમે હીરાની ખાણ છોડીને કોલસાની ખાણ ખેરવા જાવ ખરા? ના. કોલસાની ખાણ ખેદવાથી તમારા હાથ કાળા થશે ને મેટું પણું કાળું થશે. તમે જ કહેશે કે એ કણ મૂર્ખ હોય તે હીરા છોડીને કલસા કાઢવાની મજુરી કરે ? જેમ હીરાને છેડીને કેલસા કાઢવાને કોઈ પ્રયત્ન કરતા નથી તેમ આ તમારી જીભરૂપી કેશ વડે તમે હીર પણ કાઢી શકે છે ને કેલસા પણ કાઢી શકે છે. જે મીઠું ને મધુરું વચન બોલશે તે હીરા અને કટુ વચન બેલે તે કોલસા ખોદવા જેવું કામ છે. માટે મારા ભાઈઓ ને બહેને! તમે આડેશી-પાડોશી તેમજ દરેકની સાથે વિવેકપૂર્વક બોલજે. મીઠી વાણી બોલવાથી બીજાને પ્રિય લાગશે ને કડવી વાણું બોલશે તે અપ્રિય લાગશે. આ જીભ પિતે કેમળ છે તે આપણે તેના દ્વારા કેમળ વાણી બોલવી જોઈએ. જે વગર વિચાર્યું મન ફાવે તેમ બેલવામાં આવે તે અઢી ઈંચની જીભડી કે દાટ વાળે છે! કેઈની પાસેથી કામ કઢાવવું હોય તે જીભમાં મીઠાશ રાખવી પડે છે. જે વાણીમાં મીઠાશ ન હોય તે બધી બાજી બગડી જાય છે. બ્રાહ્મણનું નાનકડું દષ્ટાંત આપું. એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષાથે નીકળે છે. ભિક્ષા માંગતે માંગતે એક પટેલને ઘેર આવ્યા. ગરીબ બ્રાહ્મણને જોઈને પટલાણુને ખૂબ દયા આવી એટલે પ્રેમથી એટલે બેસાડે ને કહ્યું ભૂદેવ! તમે ખૂબ ભૂખ્યા લાગે છે? બ્રાહ્મણ કહે છે હા બહેન! ત્રણ દિવસથી રખડું છું પણ મને કઈ ભિક્ષા દેતું નથી. એટલે પટલાણુએ ઘરમાંથી ખીચડી ને શાક આપીને કહ્યું આપ આપના હાથે ખીચડી ને શાક બનાવી લે. હમણાં વલેણું કર્યું છે. માખણ ઉતારીને છાશ પણ આપું છું. એટલે બ્રાહણે તે પટલાણીના આંગણુમાં ઈને ચૂલે બનાવી તપેલીમાં ખીચડી ચઢવા મૂકી. ચૂલે ખીચડી ચઢે છે. બ્રાહ્મણ તે બેઠે બેઠે પટલાણુના શરીર સામું જોયા કરે છે. આ સમયે બ્રાહ્મણનું મોઢું મલકી ગયું. પટલાણની દષ્ટિ પણ તે વખતે બ્રાહ્મણ ઉપર પડી. એટલે પટલાણી કહે છે ભૂદેવ! આપ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy