SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૫૯ માટે કાબલીને આપી દઉં. તે કાબલીને આપવા તૈયાર થયો. આ સંસાર કે સ્વાર્થમયે છે. જેના પ્રત્યે ભરવાડના દીકરાને ઘણે રાગ હતો તેને આજે મૃત્યુના મુખમાં ધકેલી દેવા તૈયાર થયે. આવા સંસારને નવ ગજથી નમસ્કાર. કાબલી અમલદારને આપી તેને ઘેર લઈ જઈને એક ધડાકે તેનું માથું ઉડાવી દીધું. ત્યાં તેણે ઘણી બૂમ પાડી પણ કેણ બચાવે? સિંહની સુરક્ષિત ગેદ છેડીને ભરવાડના મેહમાં પડી તો તેનું મસ્તક ધડથી જુદુ થઈ ગયું. તેણે ભરવાડને ખૂબ આજીજી કરી કે હું સુખ છેડીને તારી પાસે આવી ને તે આ શું કર્યું? ભરવાડ કહે મારે ને તારે શું લાગે વળગે? એમ કહીને છૂટી ગયે. બંધુઓ! સંસાર કે સ્વાર્થમય છે. જે સાધક સાધુપણું લઈને સંસારીના મેહમાં ફસાય છે ને સંયમ માર્ગ છોડી દે છે, ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેની દશા કાબલી જેવી થાય છે. તે દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. સાધુપણું લેનાર આત્માએ સંસારના તમામ સબંધને ભૂલવા પડે છે. ઉપરથી સાધુપણાના વેશ પહેરીને નીકળી ગયા પણ અંદરનો રાગ છૂટયે નહિ તે આત્મસાધના સાધી શકાશે નહિ. કર્મના બંધન તેડવાને બદલે બંધાય છે. માટે તરવા માટે જે કોઈ સાધન હોય તે ભગવંતની અને સદ્દગુરૂની આજ્ઞા છે. જે શિષ્ય ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે કર્મના ભુકકા ઉડાવી કલ્યાણ સાધી જાય છે તેમ તમારે પણ આ વાત ખૂબ સમજવા જેવી છે. સંસારમાં કઈ કેઈનું સગું નથી. આ બધી સગાઈ સ્વાર્થની છે એમ સમજીને મમતા છોડી દે. જેણે સંસારના સંબંધની સાંકળ તોડી નાંખી છે, સંયમ અને તપના ઝૂલે આત્મ મસ્તીમાં ઝુલી રહ્યા છે તેવા અનાથી નિગ્રંથને શ્રેણીક રાજાએ કહ્યું કે આ સુંદર દેહ દ્વારા સંસારના સુખ ભોગવી લે. તમારે કેઈ નાથ નથી તો હું તમારે નાથ બનીને તમારું રક્ષણ કરીશ. તેના જવાબમાં મુનિએ કહ્યું. अप्पणा वि अणाहोसि, सेणिया मगहाहिवा । . अप्पणा अणाहो सन्तो, कस्सनाहो भविस्ससि ॥ ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૨. હે રાજન ! તું પોતે અનાથ છે ત્યાં મારે નાથે કેવી રીતે બની શકીશ? તું સમજે છે આ શરીર ભેગે પગ મટે છે. એ વિચાર આવતાં આત્મા ગુલામ અને અનાથ બની જાય છે. તમે એમ સમજે છે કે અમુક વસ્તુ અમારી પાસે છે એટલે અમે તેના માલિક છીએ. પણ જ્ઞાનીઓ કહે છે કે તમારી પાસે જે વસ્તુ છે તેને લીધે તમે અનાથ બનેલા છે, માની લે છે કે માણસ સેનાની કંઠી પહેરીને અભિમાન કરે છે કે મારી કંઠી કેવી સરસ છે. મારા જેવી કંઠી કેઈની પાસે નથી. તે જ્ઞાની કહે છે તું સેનાને ગુલામ બની ગયું છે, મહાપુરૂષે શરીરને કેવળ સાધન રૂપ માને છે, પણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy