SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૩૫ વહુઓ ! હું દુઃખણ થઈ ગઈ. આ રીતે બધી પત્ની અને માતા ખૂબ વિલાપ કરે છે ત્યારે બધા સ્નેહીજને તેમને આશ્વાસન આપતાં કહે છે આ સંસારમાં સંગ-વિયોગના દુઃખે આવ્યા કરે છે. સંસારની માયા જાદુગરના ખેલ જેવી છે. દેખાવમાં રૂપિયાના ઢગ દેખાય પણ અંતે તે ધૂળની ધૂળ રહી જાય છે. આ સંસારમાં સાચું શરણુ ધર્મનું છે. ધર્મ સિવાય કોઈ સાચું રક્ષક નથી. આવી વિચારણા કરી મનને ધર્મમાં જેડી દે જેથી કમને ક્ષય થશે. આ રીતે તેમને પણ સંસારની અસારતાનું ભાન થયું ને બધા વૈરાગ્ય પામ્યા. બત્રીસ પત્નીઓમાં એક ગર્ભવતી હતી. તેને ઘરે રાખી ભદ્રામાતા સહિત એકત્રીસ સ્ત્રીઓએ આર્ય સુહસ્તિ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ગર્ભવંતી સ્ત્રી રડવા લાગી. અહે ! હું કેવી પાપી કે બધી બેને પતિના પગલે ચાલી ને હું રહી ગઈ. તેને એક પુત્ર થાય છે. પુત્ર માટે થતાં તે પત્ની પણ ચારિત્ર અંગીકાર કરે છે. દુષ્કર તપ તપ કર્મોને ખપાવી અંતિમ સમયે અણુશણ કરી આયુષ્ય પૂર્ણ થતાં ઔદ્યારિક શરીરને ત્યાગ કરી બધા દેવલોકમાં ગયા. ધન્ય છે તે મહાત્માઓને કે જેમણે આત્મસાધના સાધી લીધી. - શ્રેણીક રાજા અનાથી મુનિને કહે છે તમે અનાથ છે માટે દીક્ષા લીધી છે. “ોમ નફો મચંતા” હું તમારે નાથ બનું ને તમને જે જોઈએ તે સુખની સામગ્રી આપું. તેમાં સહેજ પણ કમીના નહિ આવવા દઉં. તમે મારા મહેલમાં ચાલે એક ત્યાગી છે ને બીજે ભોગી છે. ત્યાગી ત્યાગમાં મસ્ત છે. ભોગી ભોગની પરાકાષ્ટા એ પહોંચે છે. ભેગી ભેગનું આમંત્રણ આપે છે. ત્યાગી એ આમંત્રણને ધૂળ સમાન ગણે છે. આત્માનું સ્વામિત્વ સ્વીકારી લેવું એ ત્યાગને વિષય છે ને ભોગની ગુલામી સ્વીકારી લેવી એ તૃષ્ણાને વિષય છે. ત્યાગમાં તૃપ્તિ છે ત્યારે ભોગમાં અતૃપ્તિ છે. તૃપ્તિ અને અતૃપ્તિ એ બંને ભિન્ન શબ્દ છે. ભિન્નતામાં એકતાની ખુશબે કયાંથી હોય ? બનેના રાહ જુદા છે. દુનિયામાં રિવાજ છે કે જેની પાસે જે હોય તેનું તે આમંત્રણ આપે છે. રાજા પિતાની બુદ્ધિના માપે મુનિનું માપ કરે છે પિતે ભોગવિલાસમાં મસ્ત છે એ ભેગવટામાં તેને મનુષ્યભવની સાર્થકતા સમજાઈ નથી એટલે વૈભવનું બહુમાન કરે છે. ને મુનિને પોતાના રાજ્યમાં આવવાનું આમંત્રણ આપે છે હવે મુનિ શ્રેણીક સજાને ભમ ટાળવા માટે શું કહેશે તેના ભાવ અવસરે. - ચરિત્ર અંજના સતીના માથે કર્મના કાળા વાદળાં ઘેરાઈ ગયા છે તેના સાસુએ તેના ઉપર ખૂબ કેધ કર્યો ને એ તો તેને ચાલ્યા જવાનું કહીને પિતાના મહેલે ગયા અને પ્રહલાદ રાજાને બોલાવીને કહ્યું તમે કંઈ જાણે છે? અંજનાએ કેવા કાળા કામ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy