SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર મધુએ ! આ ખાખતમાં જીવને ખાસ વિચાર કરવાની જરૂર છે કે આ જીવે અનંતકાળથી આવી ભેગ સાધના કરી છે છતાં તેને અંત આવ્યે નથી. તે હવે કયાં સુધી આમાં રાચવુ છે? જો એકાગ્ર ચિત્ત કરીને વિચાર કરશેા તેા સમજાશે કે આ ભાગના ભેાગવટામાં સુખ નથી. કારણ કે ગઇ કાલે કરેલા ભોગવટા આજે સુખ કે આનંદને અનુભવ કરાવતા નથી. ગઈ કાલે ખાધેલા મધુરા ભેાજન થોડા ટાઇમ પછી જીભને રસમય બનાવતા નથી. સવાર પડતાં ઊલ્ટી નવી ભૂખ જન્મે છે. ગઈ કાલે જે રૂપને જોઇને ક્ષણવાર આનંદ માન્યા હતા તે આનંદ અત્યારે દેખાતા નથી. તે રીતે સારી સુગંધ, સારા શબ્દ કે સારા સ્પર્ધા વિગેરેના સુખના કાંઇ અનુભવ અત્યારે થતા નથી તે સુખ કયાં રહ્યું? તમે માનતા હા કે પૈસા અને ભૌતિક સુખના ઢારાથી અમે મહાન સુખી છીએ પણ વિચાર કરા ચક્રવર્તિ અને ધન્ના શાલીભદ્રની સમૃદ્ધિ આગળ તમારી ઋદ્ધિ કેટલી? માટે ભાગના સાધના છોડીને ચાગ સાધનામાં આવે. સતા તમને ચાગની સાધના કરવાનું કહે ત્યારે તમને એ બહુ કઠીન લાગે છે. યાગ એટલે શું? જ્ઞાની ભગવા કહે છે ચેાગ એટલે જીવને મેાક્ષ સાથે જોડી આપે તેનું નામ ચાગ. પાંચ ઇન્દ્રિઓ અને મન ઉપર જેટલેા અંકુશ થાય તેટલે આત્માને લાભ થાય ને આત્માનું હિત થાય. વિષયપ્રિય ઇન્દ્રિઓને તથા મનને તૃપ્ત કરે તે ભેગ કહેવાય. ૧૬૪ જેમ કે કેાઈ સૌદર્યવાન નવયુવાન સ્ત્રીને આવતી જોઇ તેના ઉપર આંખા મુગ્ધ બને કે અહા! કેવું રૂપ છે ? આ જોઇ ચક્ષુઇન્દ્રિય નાચી ઉઠે છે આ ચક્ષુઇન્દ્રિયની તૃષ્ટિ કરાવે છે માટે એને ભેગ સાધના કહેવાય. તેના બદલે કાઇ સત સતીજીના દર્શન કરી એમ વિચાર આવે કે ધન્ય છે આ સતાને કે જેમણે ખાલપણમાં ભેગ-વિષયાને ત્યાગ કર્યો છે. હું એવી દશાને કયારે પ્રાપ્ત કરીશ ? આવે વિચાર આવે તે યોગ સાધના કહેવાય, આ રીતે મધા વિષયામાં સમજી લેવાનું આ રીતે તમારી દરેક પ્રવૃત્તિમાં ભેગ સાધના અને ચેગ સાધનાના વિચાર કરી ભેગ સાધના ઉપર અંકુશ મૂકી ચેગ સાધનામાં આવેા. આ સંસારમાં દરેક જીવાને લેાગમાંથી ચેાગમાં જોડાવાના અનેક નિમિત્તો મળતા રહે છે. દા. ત. રાજા ભર્તૃહરિ પિંગલાની પાછળ કેટલા પાગલ હતા પણ જ્યારે એને ખબર પડી કે જેના પ્રેમમાં પાગલ બન્યા છેં તે પિંગલા મારા મહાવતના પ્રેમમાં પડેલી છે. તે સમયે તેણે પિંગલાના દોષ ન કાઢયા. પણ વિચાર કર્યાં. અહા! આ સંસારનું સ્વરૂપ કેવું છે! તે સમયે મનને ભાગમાંથી ઉઠાવી લઇ ચેગસાધનામાં જોડી દીધુ. સંસાર છેડીને સાધુ બની ગયા. બંધુએ ! જ્યારે દરેક જીવા આવી દ્રષ્ટિ કેળવશે ત્યારે તેને સંસાર અસાર લાગશે. તેની દૃષ્ટિ સમ્યગ બની જશે ને એ વ્યિષ્ટિ મળી ગયા પછી એની દશા કેાઈ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy