SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર શા માટે રડે છે? ભગવાને કહ્યું છે કે “ત્તાવ અનુગારું ભંકર્મ કરનારની પાછળ જાય છે. કર્મ જે કરે છે તેને ભેગવવું પડે છે. હજાર ગાયે ઉભી હોય પણ વાછડું તેની મા હોય ત્યાં જાય છે. માતાથી વિખુટું પડીગયેલું બાળક એની માતાને દેખે છે કે તરત વળગી પડે છે. તેમ કર્મ પણ કરનારને વળગે છે. તે રીતે તારા કરેલા કર્મો તને ઉદયમાં આવ્યા છે તેમાં રડવાનું શું ? જીવને સમજ આવશે ત્યારે આવા ભાવ આવશે. પાતાળ કૂ દતાં ખૂબ જીવન જોખમ ખેડવું પડે છે. છેવટમાં પાતાળ કૂવે દાઈ ગયા પછી પાણીની અછત રહેતી નથી. ચોવીસે કલાક પાણી ચાલુ રહે છે. નદીમાં જ્યાં રેતી હોય ત્યાં બહેને વીરડા ખોદે છે. તેમાં છાલીયા વડે પાણી ઉલેચે છે. પાંચ-વીસ બેડા પાણી ઉલેચે છે ને વીરડો ખાલી થઈ જાય છે. તેમ તમારું માનેલું સુખ પણ વીરડાના પાણી જેવું છે. થોડા સમય સુખ ભંગ ને ચાલ્યુ. જાય. વળી પુણ્યને ઉદય થાય તે પાછું સુખ મળી જાય છે. જયારે આત્મિક સુખ મેળવતાં કષ્ટ પડશે. પાતાળ કૂવો ખોદતાં કષ્ટ પડે છે પણ એક વાર કૂ ખોદાઈ ગયા પછી પાણીના પુવાર ઉડયા જ કરે છે. તેમાં એક વખત આત્મિક સુખના ઝરણું વહેતા થશે પછી તેની મજા કઈ જુદી જ હશે. એ સુખના ઝરણાંમાંથી આનંદ લૂંટયા જ કરો. પછી એ આનંદ વધતે જ જશે. અમને ગુરૂદેવના શરણે આવ્યા પછી એ આનંદ ને એવું સુખ મળી ગયું છે કે તેની સીમા જ નથી. એવા ગુરૂદેવનું શરણું લઈને તમને સમજાવું છું કે આ છાલીયાના પાણી જેવા ભૌતિક સુખ જીવ અનંતકાળથી ભગવે છે ને કર્મબંધન કરે છે. હવે આત્મિક સુખનું શાશ્વત ઝરણું જીવનમાં વહાવવું હોય તે દિશા બદલે. એક છોકરો દેડી રહ્યો હતે. દોડતે દેડિતે જતો હતો. તેને જોઈને સ્વામી રામતીર્થ કહે છે તે લડકા! તારે કયાં જવું છે? બેટા! ઊભો રહે. આમ બેબાકળો કયાં જઈ રહ્યો છે? બંધુઓ! મહાન પુરૂષ ભાષા કેવી મધુરી ને મીઠી બેલે છે. તમને બદામ કેવી મીઠી લાગે છે. સુખી લોકો હોય તે બદામ ખાય. મધ્યમ લોકો શિંગ ખાય ને બિચારા સાવ ગરીબ હોય તે દાળીયા ખાય છે. તેમને મન એ બદામ છે. તે બદામ જેમ મીઠી લાગે છે તેમ જ્ઞાની પુરૂષ કહે છે કે માનવ? તું ભાષા બેલ તે આવી મીઠી બોલજે. સ્વામી રામતીર્થે કહ્યું–લડકા! તું કયાં જાય છે? ત્યારે છોકરો કહે છે બાપુ! હું પકડવા જાઉં છું. તે પૂછે છે કેને પકડવા જાય છે? ત્યારે છોકરે કહે છે આ મારા પડછાયાને પકડવા જાઉં છું. હું દેડી દેડીને થાકી ગયો. હું ઝડપે ચાલું છું તે પડછા પણ ઝડપે ચાલે પણ પકડાતું નથી. મારી આગળ દેડે છે. ત્યારે સ્વામી રામતીર્થ કહે છે બેટા! જે તારા પડછાયાને પકડે હોય તે તારે એની પાછળ દોડવાની જરૂર નથી. પણ પડછાયાને તારી પછવાડે દેડતો કર. તારું મુખ ફેરવી નાંખ. તારું મુખ સૂર્ય તરફ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy