SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ki પણ જમાલિ અને ગેાશાલક કેવા નીવડ્યા ને અર્જુનમાળી કેવા પવિત્ર નીવડયા ! ભગવાનના ઉપદેશ તે બધા જીવા માટે સમાન હોય છે. ભગવાન આચારગ સૂત્રમાં આવ્યા છે. जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ, जहा तुच्छस्स कत्थई तहा पुण्णस्स कत्थइ । વીતરાગ પ્રભુ ચક્રવર્તી, માંડલિક રાજા, શેઠ, શ્રીમંત આહિં પુણ્યવાન આત્માઓને જે ઉપદેશ આપે છે તેજ ઉપદેશ દરિદ્રી, કઠિયારાને આપે છે. જે ઉપદેશ રિદ્રી, કઠિયારા આદિને આપે છે તેજ ઉપદેશ પુણ્યવાનને આપે છે. તેમાં કેાઈ ભેદભાવ હાતા નથી. જેવી રીતે મેઘની ધારા જળમાં અને સ્થળમાં સમાન રૂપથી વરસે છે તેવી રીતે ભગવાનના ઉપદેશમાં પણ ભેદભાવની વૃત્તિ હાતી નથી. પણ પાત્ર પાતપેાતાની ચૈાગ્યતા પ્રમાણે તેને ગ્રહણ કરે છે. ૯૭૦ ܕܙ રાજા શ્રેણીક મિથ્યાત્વી હતા ત્યારે તેમણે અનાથી મુનિને કહ્યું હતું કે આપ આ મનુષ્ય જન્મને સાધુપણુ લઇને હીશને પથ્થરના બદ્દલામાં આપી દેવા જેવું કા કરી રહ્યા છે. પણ જ્યારે તે મુનિના ઉપદેશથી મેધ પામ્યા ત્યારે તે શ્રેણીક રાજાને કહેવા લાગ્યા કે આપના મનુષ્ય જન્મ સફળ છે. અને આપ મનુષ્ય જન્મને સાચા લાભ ઉઠાવી રહ્યા છે. હે મુનિ! આપ જ સનાથ અને સમાંધવ છે. જે દુ:ખ વખતે સહાયક અને તે સાચા ખાંધવ છે. તમે પણ મારું અજ્ઞાન દૂર કરાવી જ્ઞાનના પ્રકાશ મને આપ્યા છે એટલે મને અ ંધકારમાંથી પ્રકાશમાં લાવનાર' આપ સાચા ખાંધવ છે. કારણ કે આપે જિનેશ્વર પ્રભુના મા ગ્રહણ કર્યા છે તેથી આપ સનાથ છે, ખાંધવ છે. ને મનુષ્ય જન્મને લાભ લેનાર છે. તમારુ જીવન સફ્ળ છે. આ રીતે શ્રેણીક રાજા અનાથી મુનિના ખૂમ ગુણગ્રામ કરવા લાગ્યા. ને તેમને મહાન ઉપકાર માનવા લાગ્યા. તેમનું હૈયું હર્ષોંથી નાચી ઉઠયુ. અહા ! આજે મારા ભાગ્ય ખુલી ગયા. મને ભવસાગર તારનારા સાચા સુકાની મળી ગયા. આવા સતા જગતના જીવા માટે મહાન ઉપકારી છે. તે વિશાળ વડલા જેવા ગહેર ગભીર હાય છે. સંસારની ઉપાધિથી આકુળ - વ્યાકુળ બનેલા, અકળાયેલા ને મૂંઝાયેલા જીવાને માટે વિસામારૂપ છે. તમે સંસારની ઉપાધિથી ગમે તેટલા અકળાયેલા હશે! પણ જો સંતની પાસે આવીને બેસશે! ને તમારૂં હૈયું ઠાલવશે। તે હળવા બની જશે. સાધુને શાસ્ત્રમાં અપેક્ષાએ ઉકરડાની ઉપમા આપવામાં આવી છે. ઉકરડામાં કઈ સારી ચીજ નાંખી જાય ને કાઈ ખરાખ ચીજ પણ નાંખી જાય છતાં કોઇને કહે નહિ, તેમ સંતની પાસે કાઇ સારી વાત કરી જાય ને ખરાબ પણ કરી જાય પણ સતા કોઇને કહે નહિ. કોઇ ગમે તેવું ખારૂં, ખાટુ કે કડવું વહેારાવે તે પણ એમ ન કહે કે આણે મને આવું વહેારાખ્યુ છે. ધર્મ રૂચી અણુગારના પાત્રમાં નાગેશ્રીએ કડવી તુંબડીનું શાક વહેારાખ્યું પણ કદી કોઇના માઢ ખેલ્યા નથી. પેાતે કડવા ઘુંટડા પચાવીને પણ જગતના જીવાના ઉદ્ધારનું નિમિત્ત બને છે,
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy