SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ By શારદા સા ઇન્દ્રને ખખર પડી કે અર્જુનજી ત્યાં પહોંચી ગયા અને શત્રુને પરાજય કર્યાં, અને હું: તો રાહ જોઉ છુ. તરત જ વિમાનમાં બેસીને પૂવેગે ઇન્દ્રરાજા સુવણ પુર આવ્યા. ચંદ્રશેખરે અર્જુનને ઈન્દ્રરાજાની એળખાણ આપી. ઈન્દ્રરાજા અર્જુનના ચરણમાં પડી ગયાં ને સ્નેહથી ભેટી પડચા. ઈન્દ્રરાજાએ અર્જુનજીને હાથ જોડીને કહ્યુ, હું વીરપુરૂષ ! હુ' આપના જેટલે ઉપકાર માનુ' ને જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. તમારા પ્રભાવથી આજે હું નિર્ભય બન્યો છું. આજથી મારુ. રાજ્ય અને મારા પ્રાણુ આપના ચરણમાં ધરુ છું. હવે આપ મારી સાથે રથનુપુર પધારીને મારી નગરીને અને પ્રજાને પાવન કરો. અજુને ઘણી ના પાડી પણ ઈન્દ્રરાજાના ખૂબ આગ્રહથી રથનુપુર જવું પડયું. આખા નગરમાં ખબર આપ્યા કે આપણાં શત્રુને હણનાર અર્જુનજી પધાર્યાં છે. રાક્ષસ અને વિષ્ણુન્પાલીના ત્રાસથી લાકો ખૂબ ત્રાસી ગયા હતા, અને તેના નાશ થવાથી પ્રજામાં આનંદ માનદ થઈ ગયા. 66 અર્જુનજીનુ' ભવ્ય સ્વાગત :-ખૂબ આડંબરપૂર્વક અર્જુનજીને રથનુપુરમાં લાવ્યા. લોકો અર્જુનને માતીથી વધાવવા લાગ્યા ને લળીલળીને ચરણમાં પડવા લાગ્યા. ખૂબ માન-સન્માન સહિત અર્જુનજી ઈન્દ્રરાજાના મહેલમાં આવ્યા, ત્યારે ઇન્દ્રરાજાની રાણી ઈન્દ્રારાણીએ રત્નાથી અર્જુનજીને વધાવીને સ્વાગત કયુ... અને ખૂબ પ્રેમથી જમાડયા. ત્યાર આદ ઈન્દ્રરાજાએ કહ્યુ, આ મારી પુત્રીને આપની સાથે પરણાવવા ઈચ્છું છું, પણ અર્જુને કહ્યુ કે અમે તે વનમાં રહીએ છીએ. વનવાસમાં લગ્ન કરીને શું કરુ...? હુ` કેઇ ઉપકારના ખદલાની આશા રાખતા નથી. હવે મને જવાની આજ્ઞા આપે! પણ ઈન્દ્રરાજાના અતિ આગ્રહથી થોડા દિવસ રોકાઇ ગયા. ܕܙ ચિત્રાંગદાદિ સા રાજપુત્રાએ અર્જુનજીના ચરણમાં પડીને ધનુર્વિદ્યા શીખવાડવા માટે વિનંતી કરી એટલે અર્જુનજીએ શેાડા સમયમાં ધનુવિદ્યા શીખવાડી, બધા ખૂબ રાજી થઈ ગયા ને તેમના ઉપકાર માનવા લાગ્યા, અને હાથી, ઘેાડા, રત્ના વિગેરે મૂલ્યવાન ચીજો અર્જુનજીને ભેટ આપવા આવ્યા ત્યારે અર્જુનજીએ કહ્યું, મારે લેટની જરૂર નથી, પણ મને તમારી જરૂર પડે ને યાદ કરું ત્યારે જલ્દી આવો. તે સમયે રાજપુત્રોએ કહ્યું, અમે આવીશુ. પણ અમારી ભેટ સ્વીકારા, પણ અર્જુને કાંઇ લીધું નહિ. અર્જુને થનુપુરમાં રાજાના અને પ્રજાના ખૂબ પ્રેમ સંપાદન કર્યાં, અને થાડા દિવસ રોકાઈ ને ઈન્દ્રરાજા તથા બધા ભાઈ એ પાસે જવાની રજા માંગી. બધાએ અશ્રુભીની આંખે અર્જુનજીને વિદાય વિદાય તેમને આપી. આપવા માટે ઈન્દ્રરાજા સહિત આખી નગરીનાં પ્રજાજના ઘણે દૂર સુધી ગવા. ઈન્દ્રે અજુ નને માટે એક દિવ્ય વિમાન તૈયાર કર્યુ હતુ. તેમાં અર્જુનજી, ચંદ્રશેખર અને ચિત્રાંગદ આદિ રાજકુમારેશ એસી ગયા. ઈન્દ્રરાજાએ કહ્યું, હું આપની સાથે આવું, પણ અર્જુને ના પાડી એટલે ઘણે દૂર સુધી સાથે આવીને પાછા ફર્યાં. આ તે વિમાન માગે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy