SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ EXA શારદા દર્શન સખીઓને રાજકુમારને આપવા માકલી. પરણ્યાની પ્રથમ ાત છે. સખી પાનના ખીડા આપતા કહે છે કુમારસાહેબ! અમારી સખીઓએ કિંમતી મસાલા નાંખી પાતાની જાતે પ્રેમથી પાનના બીડા બનાવીને મેકલ્યા છે. તે આપ સ્વીકાર કરીને એને ધન્ય બનાવા, ત્યારે કુમારે દાવ જોઈ ને સેગડી મારી. કન્યાઓની સખીઓને કહ્યું કે તમારી સખીને માશ પ્રત્યે પ્રેમ છે ? સખીએ કહે-કુમારસાહેબ ! આાપના પ્રેમની તેા વાત જ શુ' પૂછવી ! જ્યારથી આપના ગુણાનુ' વન સાંભળ્યુ છે ત્યારથી આપની પાછળ પાગલ બની છે, અને આપને મળવા તલસી રહી છે. સખીઓની વાત સાંભળીને કુમારે કહ્યુ કે તમારી સખીને એટલું પૂછી જુઓ કે તેમને જેના પ્રત્યે પ્રેમ છે તેનું રક્ષણ થાય તેવું કરાય કે તેમનું નિક ંદન નીકળે તેમ કરાય ? આ ગૂઢ પ્રશ્નનો એવા ભાવ છે કે જો કન્યાઓને પાતાના પ્રત્યે પ્રેમ હાય તા તેનુ' કલ્યાણ થાય તેમ કરાય કે તેનું ભવભ્રમણ વધે તેમ કરાય ? સખીઓએ પાતાની રાજકુમારીએ પાસે આવીને રાજકુમારે પૂછેલા પ્રશ્ન કહ્યો. અને રાજકુમારીએ ખૂબ સંસ્કારી અને ચતુર હતી. તે પતિના પ્રશ્નનો ગૂઢાર્થ સમજી ગઈ, અને વિચાર કરવા લાગી કે ખરેખર, આપણે તે પતિ પાસે સંસાર સુખનાં રંગરાગની રંગાળી ખેલવા માટે આવ્યા છીએ અને સંસાર સુખના ભોગવટા કરવાથી ભવભ્રમણ અટકે નહિ પણ વધે છે, તે આપણા તેમના પ્રત્યે સાથે પ્રેમ તેા ન જ કહેવાય મૈં! તરત ખન્ને રાજકન્યાઓ કુમારના પગમાં પડીને કહે છે કે સ્વામીનાથ ! અમે તે સંસારના રંગરાગમાં રમનારી છીએ પણ આપનું અહિત થાય, આપનું નિકંદન નીકળે તેમ અમારે કરવુ નથી. આપની સાથે સાચે પ્રેમ કરવા છે ને આપનું ભલું થાય તેમ અમારે કરવુ છે. તેથી આપ જેમ કહેશે તેમ અમે કરવા તૈયાર છીએ, ત્યારે રાજકુમારે કહ્યું કે જો મારું ને તમારું ખંનેનું હિત કરવું હાય તેા આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લે. તેમાં મારું ને તમારું મહાન કલ્યાણુ છે. અને કુમારી સમજી ગઈ કે સ્વામીએ જીવનનો જુદો જ રાહુ પકડેલા છે અને આપણને એ રાહે ચાલવાનું કહે છે. તેા હવે એમનો જે રાહુ તે જ આપણા રાહ. એમને જે ગમે તે જ આપણને ગમવું જોઈ એ. એમ નક્કી કરીને તરત પતિના ચરણમાં નમી પડી અને પરણ્યાની પ્રથમ શત્રે હુ ભેર પતિ પાસે જીવનભર બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું ને એલી ઉઠી કે નાથ ! આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. આપના જેવા સૌભાગી કલ્યાણકારી પતિ અમને કોઈ ભવમાં નહિ મળ્યા હોય જેથી અમે ભવમાં ભટકી રહ્યા છીએ, નહિતર ભ્રમવાનુ' શેનુ હાય ? પતિ પર સાચો પ્રેમ કરવા બ્રહ્મચય વ્રત સ્વીકારી લીધું અને સમય આવતાં બધાએ ચારિત્ર સ્વીકાર્યુ. ટૂંકમાં આ દૃષ્ટાંતથી મારો કહેવાનો આશય એ છે કે, સાચા વૈરાગી પેાતાના સંગમાં આવનારને પણ વૈરાગ્યના રંગે રંગી દે છે, પણ તેની પાછળ તણાતા નથી. વૈરાગી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy