SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન પછી ત્યાં ફરતાં ફરતાં અને એક દશ્ય જોયું. એક ગાયને એક સુવર (ભંડ) ખેંચી રહ્યું હતું. તેથી ગાયને છોડાવવા અને બાણથી સુવરને વધી નાખ્યું. પછી અર્જુન પિતાનું બાણ લેવા સુવર પાસે ગમે ત્યારે તેણે દૂરથી એક શિકારીને પિતાના તરફ દેડો આવતે જોયે. હાથમાં ધનુષ્ય લઈને શિકારી સુવર પાસે આવે ને અર્જુન પણ ત્યાં પહોંચે. અર્જુન સેનાના પૂંછવાળું પિતાનું બાણ લેવા ગયા ત્યારે શિકારીએ કહ્યું કે હે સૌમ્ય પુરૂષ ! આપની મુખાકૃતિ જોતાં આપ રાજવંશી પુરૂષ લાગે છે. તે આપ મારા બાણની શા માટે ચેરી કરી રહ્યા છે? અને કહ્યું-ભાઈ! તું જૂઠું શા માટે બેલે છે? હું કેઈનું બાણ ચોરી કરીને લઈ જતો નથી. હું તે મારું બાણ લેવા આવ્યું છે. જેનામાં શક્તિ હોય તે મને રેકે. મારી શૂરવીરતાની સામે દેવેન્દ્ર, નરેન્દ્ર તથા વિદ્યાધરેન્દ્રને પણ કંઈ વિસાતમાં ગણતું નથી તે પછી તારાથી કેણ ડરે છે? અજુનના આ શબ્દ સાંભળીને શિકારી ખૂબ ક્રોધે ભરાયે. અજુન ઉપર બાનો વરસાદ વરસાવ્યા. અર્જુને પણ તેની સામે બાણે ફેંકવા માંડયા. બંને વચ્ચે ભયંકર લડાઈ જામી. બંનેનું યુદ્ધ જેવા માટે આકાશમાં વિદ્યાધરે આવ્યા હતા. શિકારી અર્જુનના બાણે અધવચથી જ કાપી નાંખતે હતું, ત્યારે અને તેની સામે અનેય બાણને પ્રયોગ કર્યો એટલે શિકારી બળવા લાગે, ત્યારે શિકારીએ વરૂણાસ્ત્રને પ્રયોગ કર્યો. છેવટે શિકારીને લાગ્યું કે આની સાથે શસ્ત્રથી જીતવું મુશ્કેલ છે. તેથી અર્જુનને શિકારીએ બાયુદ્ધ કરવા કહ્યું. બાહુયુદ્ધ કરતાં અને શિકારીને પગ પકડી લીધા અને આકાશમાં ચારે તરફ ભમાવીને જ્યાં પથ્થરની શીલા ઉપર પછાડવા જાય છે ત્યાં શિકારી પિતાનું રૂપ બદલી વિદ્યાધરનું રૂપ લઈને અર્જુનની સામે ઊભે રહ્યો. આ જોઈને અર્જુન આશ્ચર્ય પામ્યો. - અર્જુન ઉપર પ્રસન્ન થયેલ વિદ્યાધર -વિદ્યાધરે કહ્યું, હે વીર પુરૂષ! તારી જે ઈચ્છા હોય તે માંગ. હું આપવા તૈયાર છું. ત્યારે અને આશ્ચર્યથી પૂછયું, હે પુરૂષ! તું કોણ છે? તું કઈ માયાવી ઈન્દ્રજાળી છે કે સાચે વિધ ધર છે? તે તું મને કહે, ત્યારે તેણે કહ્યું, મેં તમારી વિરતાની પરીક્ષા કરવા માટે માયા રચી હતી. તમારી વીરતા જોઈને હું ખુશ થયે છું. માટે તમારે જે જોઈએ તે માગી લે. તે પહેલાં આપ મને પૂછે છે કે તમે કહ્યું છે? તે હું કહું તે તમે સાંભળે હું વિશાલાક્ષ નામના વિદ્યાધરને પુત્ર ચંદ્રશેખર નામે વિદ્યાધર છું. મેં પ્રજ્ઞપ્તિ વિગેરે વિધાઓ સિદ્ધ કરેલી છે, ત્યારે અને પૂછયું કે તમે શા માટે અહીં આવ્યા છે? વિધાધરે કહ્યું, આપની સાથે મિત્રતા કરવા માટે આવ્યો છું. મારી સાથે મિત્રતા બાંધવાનું તમારે શું પ્રજન પડયું? ત્યારે વિદ્યાધરે કહ્યું આ વૈતાઢય પર્વત ઉપર રથનુપુર નામે એક નગર છે. ત્યાં વિદ્યુપ્રભ નામના રાજાને પ્રબળ પરાક્રમી બે પુત્ર હતાં. તેમાં મેટાનું નામ ઈન્દ્ર અને નાનાનું નામ વિદ્યુમ્ભાલી.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy