________________
સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વિરાણી
“વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે. એટલે મળેલી લક્ષ્મી સમાજ કલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યોમાં વાપરી. પુણ્યાનુબંધી પુણય ઉપાર્જન કરવા માટે આપે અમારું જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વિરાણી પરિવાર આપના જન્મોજન્મના ઋણી છીએ.
મણિલાલ શામજી વિરાણી
અને પરિવાર