SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૩૭ શાશા દર્શન કેવી રીતે માર્યો? આ સમયે ભીમ મૌન રહ્યો. કારણ કે મહાન પુરૂષે કદાપિ પોતે પિતાની પ્રશંસા કરતાં નથી. જેમ “હીરા મુખ ના કહે લાખ હમારા મૂલ” હીરો ગમે તેટલે કિંમતી હોય પણ તે એમ નથી કહેતે કે આ મૂલ્યવાન છું એના મૂલ્ય તે ઝવેરી જ કરે. એ રીતે ભીમ મૌન રહ્યો. * “બક રાક્ષસનો પુત્ર ભીમના ચરણમાં” આ સમયે આકાશમાંથી એક વૃધ અને એક યુવાન બે વિદ્યાધરો નીચે ઉતર્યા ને ભીમની સામે મસ્તક નમાવીને ઉભા રહ્યા. યુધિષ્ઠિરે તેમને પૂછયું કે તમે કેણ છે? ત્યારે વૃધપુરૂષે કહ્યું અમે બંને વિદ્યાધરે છીએ. તેમાં હું બક રાક્ષસને દુબુધ્ધિ નામનો મહામંત્રી છું, અને આ મહાબલ તેમને પુત્ર છે. જયારે બક રાક્ષસનું મરણ થયું ત્યારે તેઓ લંકા ગયા હતા. લંકાથી આવ્યા ત્યારે તેમણે પિતાના મૃત્યુની વાત જાણી અને મને પૂછ્યું કે મારા પિતાજીને મારનાર કેણુ બળવાન આ દુનિયામાં પાક ? ત્યારે મેં તેને કહ્યું કે એક સ્કૂલ શરીરવાળે માણસ આવ્યું હતું, તેને બકરાજ બટકા ભરવા ગયા તે તેના દાંત પડી ગયા. નખ માર્યા તે નખ તૂટી ગયા. છેવટે મહામુશીબતે તેને ઉંચકીને પર્વત ઉપર લઈ આવ્યા તેમાં પણ ઘણું પડી ગયા, હાથ પગ ભાંગી ગયા ને ખૂબ હેરાન થઈ ગયા. પર્વત ઉપર લાવીને સુવાડા છતાં સહેજ ઉંચે નીચે થી નહિ પણ જયાં બકરાક્ષસ સૂર્યહાસ તલવાર ખેંચીને તેને કાપવા માટે ગયા ત્યાં તે છલાંગ મારીને સિંહની માફક ઉઠ ને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કોણ જીતશે અને કોણ હારશે તેને નિશ્ચય થઈ શકે તેમ ન હતું. ઘણી વાર યુધ્ધ કર્યા પછી તે બળવાન પુરૂષ અમારા બકરાજાને મૂર્શિત કર્યો ને અંતે તેમને મારી નાંખ્યા. આ બધી વાત જાણ્યા પછી મહાબલે ભીમને મારીને પિતાનું વૈર લેવાનું નક્કી કર્યું. શસ્ત્ર લઈને રૌન્ય સજજ થયું ત્યારે અમારા કુળદેવીએ અવાજ કરીને કહ્યું કે તમે ભીમને મારવા જાઓ છે પણ પાંચે ભાઈઓ મહાબળવાન અને મોક્ષગામી જીવે છે. તેમની સાથે લડાઈ કરીને જીતી શકશે નહિ, માટે લડાઈ કરવાનું છેડી ભીમની પાસે જઈને તેમને વિનય કરે, તેમની સેવા કરે અને તેમની કૃપા મેળવે તે તમારું કલ્યાણ થશે. આ પ્રમાણે કુળદેવીના કહેવાથી અમે આપની સેવામાં હાજર થયા છીએ. તે આપ અમને કંઇ સેવા ફરમાવે. ત્યારે યુધિષ્ઠિર તથા ભીમે કહ્યું કે જો તમે સાચા દિલથી અમારી પાસે આવ્યા હો તે આજથી કોઈ પણ માણસને વધ કરે નહિ તેવી પ્રતિજ્ઞા કરો. યુધિષ્ઠિરના કહેવાથી બકરાક્ષસપુત્રે કરેલ હિંસાને ત્યાગ: યુધિષ્ઠિરના કહેવાથી તેમણે કઈ મનુષ્યને નહિ મારવાની પ્રતિજ્ઞા કરી. પછી યુધિષ્ઠિરે દુર્બધિને પૂછયું કે મારો ભાઈ જીવતે આવ્યા છે. તે પહેલાં તેનું મસ્તક અહીં કેણે નાંખ્યું હતું ? ત્યારે બુધિએ કહ્યું કે અમે વિચાર કર્યો કે ભીમ મહાબળવાન છે તે તેને ભાઈએ પણ બળવાન હશે ! જે તે જીવતા હશે તે વૈર લેવા આવશે. તેથી શા.૨૩
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy