SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શાશા દર્શન પછી એ વિનશ્વર સુખને પકડી રાખી અવિનાશી-શાશ્વત સુખ અપાવનાર એ ધર્મ શા માટે છેઠું ? ભલે, ધોતીયા સમાન બધું ચાલ્યું જાય પણ ધર્મ રૂપી પાટીયું મરે છોડવું નથી. જીવનમાં ધર્મ હશે તે બધું મળશે. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. જે મનુષ્ય આવું સમજીને સંપત્તિ અને વિપત્તિમાં ધર્મ રૂપી પાટીયાને છેડતા નથી તે પરમપદ મોક્ષનગરે પહોંચી જાય છે અને શાશ્વત સુખ મેળવે છે. - કૃષ્ણ વાસુદેવને સમાચાર મળ્યા કે તેમનાથ ભગવાન પધાર્યા છે, એટલે તરત જ સિંહાસનેથી ઉભા થઈ ગયા. સહેજ પણ પ્રમાદ ન કર્યો. એમણે તે એક જ વિચાર કર્યો કે જહદી ભગવાનના દર્શન કરીને મારા નેત્ર પવિત્ર કર્યું અને એમની વાણી સાંભળીને મારા કર્ણ પવિત્ર કરું. ભગવાનના મુખેથી ઝરેલી અમૂલ્ય વાણી સાંભળવાની જશે તે તે ફરીને નહિ મળે. ભગવાનની વાણું રત્ન કરતાં પણ કિમતી છે. આમ વિચાર કરીને કૃષ્ણ વાસુદેવ તૈયાર થઈને પિતાને લઘુબંધુ ગજસુકુમારને સાથે લઈને હાથી ઉપર બેઠા. હવે કેવી રીતે દર્શન કરવા જશે તેના ભાવ અવસરે. ચરિત્ર -દુર્યોધનની પ્રેરણાથી પુરેચન પુરેહિત પાંડેને બાળી મૂકવા માટે મહેલ સળગાવ્યો, પણ જેના પુણ્ય પ્રબળ હોય તેને પાપી શું કરી શકે? તેણે મહેલે સળગાવ્યું, એટલે બધા સુરંગમાં ઉતરી ગયાં અને ભીમ પુરેચનને મારી અગ્નિમાં નાંખીને પિતાના ભાઈઓનાં ભેગો થઈ ગયે ને બધા સુરંગમાંથી બહાર નીકળી ગયા. આ તરફ સવાર પડતાં વારણાવતી નગરીના લોકો જાગ્યા. સૂર્યોદય થતાં બધાએ જોયું તે સુંદર મહેલ બળીને ખાખ થઈ ગયે હતો. એટલે પાંડ બળીને ભસ્મીભૂત થઈ ગયા હશે તેમ માની આખી નગરીમાં હાહાકાર મચી ગયે કે અરેરે...આપણી નગરીમાં આવા પવિત્ર પુરૂષને વિનાશ થઈ ગયો ? પાંડેએ કઈને કહ્યું નથી કે દુર્યોધને અમને બાળવા માટે આ બધે પ્રપંચ રચે છે ને પુરોચન મારફત મહેલ જલાવવાનું નક્કી કર્યું છે. આમ વાત કેઈને કરી નથી છતાં કુદરતે જનતાના હૃદયમાં એમ થઈ ગયું કે નકકી દુર્યોધને આ કાળા કામ ક્ય લાગે છે. એણે પાંડને વિનાશ કરવા માટે જ આવું કાવત્રુ કર્યું છે. નહિતર જેણે જુગારમાં પાંડેને હરાવીને વનવાસ મોકલ્યા હોય તેને પાછા બેલાવે ખરે ? આ તે બધી કપટબાજી છે. એ પાંડવોને દુશ્મન દેખતે હતે. અંતે એમને વિનાશ કર્યો ત્યારે જ. તે દિવસે આખી નગરીના લેકેએ અન્નપાણ લીધા નહિ. સૌ દુર્યોધનને ફિટકાર આપવા લાગ્યા કે આ દુર્યોધને કુરુવંશનું નામ લજાવ્યું. કુળને ઉછેદ કરનારે અંગારે પાક્યો. ધિક્કાર છે આ પાપીને! આવા કર્મ કરીને એ નરકમાં જશે. આ રીતે વારણાવતીમાં દુર્યોધનની ખૂબ નિંદા થવા લાગી અને પાંડેની ખૂબ પ્રશંસા થવા લાગી. સુરંગમાંથી નીકળી વનની વાટે ચાલતા પાંડે”-હવે પાંડ સુરંગમાંથી નીકળ્યા પછી તેમનું શું થયું તે જોઈએ. પાંડ સુરંગમાંથી બહાર નીકળીને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy