SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન ૩ ને અહી જ રહેા છે. તો હવે જીવનભર માટે યુરોપમાં રહેવા જાઓ તે તમારી ગયેલી સંપત્તિ કરતાં સવાયી સપત્તિ તમને મળી જશે, ત્યારે વહેપારીએ જવાબ આપ્યો કે સ`પત્તિ માટે હું અમેરિકા જેવી મારી જન્મભૂમિનો જીવનભર માટે ત્યાગ કેમ કરી શકું? મારી જન્મભૂમિ એ મારી અણુમાલ સપત્તિ છે. તેનો જીવનભર ત્યાગ કરવા કરતાં જન્મભૂમિમાં ગરીબ અવસ્થામાં રહેવું મને પસંદ છે, પણ જન્મભૂમિનો ત્યાગ કરવો પસંદ નથી. પાદરીએ કહ્યુ કે તેા હવે જમા માજી લખે કે મારી જન્મભૂમિ એ મારી ચેાથા નખરની મહાન સોંપત્તિ છે. તે પ્રમાણે વહેપારીએ લખી દીધું, ત્યારે પાદરીએ કહ્યું કે તમે ભગવાન ઇસુના ઉપાસક છે, જો તમે ઇસુની ઉપાસના છેડીને અન્ય ધર્મોનો સ્વીકાર કરવા તૈયાર હા તેા ન્યાલ કરી દઈશ, ખેલેા, ધર્મ બદલવા તૈયાર છે? ત્યારે વહેપારીએ કહી દીધું કે મારો ધર્મ બદલવા કરતાં મોતને ભેટવું હુ વધારે પસંદ કરું છું, પણ ધર્મ બદલવા તૈયાર નથી, એટલે પાદરીએ કહ્યું કે તેા જમા બાજુ લખા કે દુનિયાની બધી સોંપત્તિમાં ધ એ મારી સર્વોત્તમ સ'પત્તિ છે. વહેપારીએ કાગળમાં લખી દીધું. લખ્યા પછી પાદરીએ કહ્યું કે હવે તમે એ જમા તરફ્નુ' લખાણુ ૧૦૮ વખત વાંચી જાએ એટલે તમને યાદ રહી જાય. આ લખાણ વાંચતા વાંચતા ઉદ્યોગપતિની મૂંઝવણુ મટી ગઈ અને તેના મુખ ઉપર ચિંતાને બદલે પ્રસન્નતા છવાઈ ગઈ ને વહેપારીએ હસતાં ચહેરે કહ્યું-સાહેબ હવે મારે કંઈ જોઈતું નથી. આજ સુધી મને મારી સાચી મિલ્કતની ખબર ન હતી. તે આપે આજે મને બતાવી દીધી હવે મને સમજાણું કે મારી પાસે અઢળક સંપત્તિ છે. હુ ગરીબ નથી, મારી જે સંપત્તિ ગઇ તેના કરતાં અમૂલ્ય સપત્તિ મારી પાસે છે. હવે તેનો સદુપયોગ કરવા તે જ મારુ કતવ્ય છે. આપ તો પારસમણિ સમાન છે. આપે મને લેાઢા જેવાને સેના જેવો બનાવ્યે. આપના હું જેટલે ઉપકાર માનુ તેટલે આ છે. ખંધુએ ! વહેપારીને સાચી સોંપત્તિને ખ્યાલ આવતાં પરમાંથી સ્વમાં આવી ગયા, ગરીબ અવસ્થામાં પણ તેને અલૌકિક આનંદને અનુભવ થવા લાગ્યા. એણે બાકીની જિંદગી ધર્મારાધનામાં વ્યતીત કરી. આજે મેટા ભાગના માનવીએ પાતાની પાસે શુ' છે તે જાણતા નથી અને જાણવા માટે પ્રયત્ન પણ કરતાં નથી, અને ખાહ્ય સંપત્તિ મેળવવા માટે ફાંફાં માર્યા કરે છે. જેમ પાદરીએ વહેપારીને કહ્યું તેમ આપણા ભગવાને શું કહ્યું. છે તે યાદ છે ને? ચાર અ ંગો જીવને મળવા મહાન દુર્લભ છે. આના જેવી બીજી કોઈ ઉત્તમ સ ંપત્તિ નથી. તા વિચાર કરો, શુ' તમને આ બધું નથી મળ્યું ? મધુ જ મળ્યું છે. તે હવે ભૌતિક સુખા કે લક્ષ્મી આવે કે જાય, વધે કે ઘટે તેની શા માટે આટલી બધી ચિંતા કરે છે? તમે એની ગમે તેટલી ચિંતા કરશે! છતાં તે તમારી સાથે નહિ આવે. સાથે તે શુભાશુભ કમેર્યાં જ આવશે. કારણુ કે તે બધું આત્માથી પર્
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy