SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્ત્રા દેશન ૬૦૧ દ્રવ્યાનુયોગ સમજવા ખૂબ કઠીન છે. જે દ્રવ્યાનુયોગ જાણે તેને જડ અને ચેતનનું ભેદજ્ઞાન થાય છે પણ આજે એ જ્ઞાન મેળવવાના કાને રસ છે? એ સમજયા વિના ભેદજ્ઞાન નહિ થાય. ભગવાનનાં દશ દશ શ્રાવકોએ સંસારમાં રહીને પણ તત્ત્વનું જાણુપણું કર્યું હતું. આજે તા કંઇક જીવાને જીવ–અજીવનું પણ જાણુપણું નથી. સામિલ બ્રાહ્મણુ ધનમાં ને જ્ઞાનમાં આગળ હતા. હવે તેના વિષે શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર :—ભીષ્મ પિતામહ, વિદુરજી, દ્રોણાચાય વિગેરેના ફીટકારથી ધૃતરાષ્ટ્રને ખૂબ ક્રોધ આવી ગયા. એટલે કહ્યું-હું પાપી! તે આ શું કર્યું? મેં તને ઘણું સમજાવ્યેા છતાં માન્યો નહિ. હું કુલાંગાર ! તું તા દુનિયામાં ફટ ફટ થઈ ગયા પણ તારા પાપે મારે કેટલું સાંભળવું પડે છે ! હજી પણ તને કહું છું કે તું આ કુકતવ્યથી અટકી જા, પાંડવાની માફી માંગ અને તેમનું જે કંઈ લીધું છે તે પાછું આપી દે, નહિતર મારી તલવારથી તારું માથું ઉડાવી દઈશ. ભીષ્મપિતા, વિદુરજી અને ધૃતરાષ્ટ્રનો કોપ જોઇને દુર્ગંધને કહ્યું કે હુ. પાંડવોની માફી તે નિડુ જ માગુ' અને એમનુ રાજ્ય પાછું નહિ આપું. મેં કંઈ ચારી કરીને નથી લીધું, જીત મેળવીને લીધું છે. એ પાંડવા તા મારા પાકા બૈરી છે, હું' એમનુ સુખ કદી જોઈ શકવાનો નથી. હું તે તેમને ખરાખર દુઃખી કરત પણ તમને બધાને બહુ દુઃખ થાય છે તેથી એક રસ્તા કાહુ છું. દ્વાદશ વર્ષ હૈ। પૂણ વહાં તર્ક, રહ કર કે વનવાસ, વર્ષી તેરહ મેં પ્રચ્છન્ન રહે જો, ઇચ્છે. રાજ્ય કી આસ હૈ...શ્રોતા... પાંડવા જુગારમાં હારી ગયા છે એટલે તે મારા નાકર છે, હું ગમે તે શિક્ષા તેમને કરી શકું છું, પણ તમારા બધાના આગ્રહથી જતાં કરુ છું, પણ પાંડવા ખાર વર્ષ સુધી વનવાસ ભોગવે ને ખાર વર્ષ પૂરા થયા પછી તેરમું વર્ષ ગુપ્ત રહે. તેમાં જો પકડાઈ જશે તેા ફરીને બધી શિક્ષા ભેગવવી પડશે. વડીલેાએ આ વાત માન્ય કરી અને પાંડવાને વનવાસ જવાનુ નક્કી કર્યું. એટલે ભીષ્મપિતાએ કહ્યું-દુર્ગંધન! તે પાંડવાનાં કપડાં ઉતરાવીને નગ્ન જેવા મનાવ્યાં છે આ સારુ· નથી કર્યું. એમના કપડા તો પાછા આપ, એમ કહીને કપડા પાછા અપાવ્યા, તેમજ ભીમની ગદા, અર્જુનનું ધનુષ્ય વગેરે શસ્રો પાછા અપાવ્યાં અને દુર્ગંધને જે શરત કરી તે પાંડવોએ મંજુર કરી લીધી. અત્યારે ભીમ અને અર્જુને ધાયું. હાત તો દુૉંધનનાં ફાદા ઉડાવી નાંખત પણ પાતે વચનથી બંધાઈ ગયા હતાં એટલે દુર્ગંધને કરેલુ' અપમાન સહન કરીને વનમાં જવાનું નક્કી કર્યું. સજ્જન પુરૂષા પોતે કષ્ટ સહન કરે છે પણ પોતાનુ વચન બદલતાં નથી. પાપી દુર્ગંધને વૈરનો બદલે લેવા કેવી શરત કરી ! ખાર વર્ષ વનમાં રહેવાનુ ને તેરમું વર્ષ ગુપ્ત રહેવાતું. આવા મહાનપુરૂષોને માટે ગુપ્ત રહેવુ તે મ્હેલ વાત નથી,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy