SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં જોડાવા લાગ્યા. પછી પૂમહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. સકરીબેનની તબિયત વધુ બગડતા વી. એસ. હેસ્પિતાલમાં દાખલ કર્યો. ૧૦ દિવસ બાદ અષાડ સુદ ૧૧ ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે મને સંથારે કરાવે. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે. આથી તેમને પરિવાર વિચારમાં પડી ગ ને બાજુના રૂમમાં દાખલ થયેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજી મહારાજને બોલાવ્યા. તેમણે તરત સાગારી સંથારો કરાવ્યું. બધા વ્રત પચ્ચખાણ લીધા ને મા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જૈનશાસનને આવું અણમેલું રત્ન અર્પણ કર્યું છે તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રેત હોય એ તે સહજ છે. તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. • આ વિરાટ સંસાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે પૂ. શારદાબાઈ મહાસતીજીએ પિતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી અને પિતાનું જીવન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. પુ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પિતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂઆજ્ઞાનું ઉલંઘન તે શું પણ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર, મુકિતનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે સદ્દગુરૂદેવની આજ્ઞા રૂપી સર્ચલાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજાર ટયુબલાઈટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત બને છે. તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી શકે છે. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીને ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ ખૂબ પ્રબળ બ, અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રનું વાંચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને બીજાને લાભ આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતી પામ્યા. ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસન રત્ન પિતાના જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની મધમધતી સુવાસથી સારા જૈન શાસનનું કહીનુર રન બનીને પ્રકાશી રહ્યું છે. પૂ. મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના શેતન્યની વિકૃધિને રણકાર તેમને અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મના, તત્વના, શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રેતાગ્રંદ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે. અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અંતર વનિ આવે છે, અને તે ધ્વનિએ અનેક જીવને પ્રતિબંધ પમાડયા છે. સુષુપ્ત આત્માઓને ઢઢળીને સંયમ માર્ગે દોર્યા છે. તેમાં પૂ. મહાસતીજીને પ્રવચનના પુસ્તકએ તે લોકમાં એવું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy