SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શાશા દર્શન ત્યારે આત્મા અજર, અમર અને અરૂપી છે. તે અગ્નિથી મળતું નથી, પાણીમાં ડૂબતે નથી, તાપથી સૂકાતું નથી. તે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિનો સ્વામી છે. આ હું આત્મા છું. જડ દેહ તે હું નથી. આ દેહ ભાડૂતી મકાન જેવું છે. જેમ ભાડૂતી ઘરવાળાને માલીક કહે એટલે ઘર ખાલી કરી દેવું પડે. તેમ કાળરાજાને હુકમ થતાં ચૈતન્યદેવે આ દેહ રૂપી ભાડૂતી મકાન તરત ખાલી કરવું પડે છે. ચૈતન્ય અને દેહને સ્વભાવ તદ્દન જુદે છે. આવું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. વિવેક ચૂડામણીમાં કહ્યું છે કે વા વૈજ્ઞ જ્ઞાન, શાન્ન ચાહવાન રામ્ वैदुष्यं विदुषां तद्वत्, भुक्तये न तु मुक्तये ॥ આત્મજ્ઞાન વિના વિદ્વાની વાફકુશળતા, શબ્દની ધારાવાહિકતા, શાસ્ત્ર વ્યાખ્યાનની કુશળતા, અને વિદ્વતા આ બધું સંસારિક સુખનું સાધન બને છે પણ મોક્ષનું સાધન બની શકતું નથી. સમ્યકજ્ઞાન વિના શાસ્ત્રોનું ગમે તેટલું અધ્યયન કરે અને ગમે તેટલા શાસ્ત્રોનું જાણપણું મેળવે તે પણ સાર્થક નથી. સમ્યકજ્ઞાન વિના મોક્ષ મળવું મુશ્કેલ છે. ભગવાને પાંચ જ્ઞાન બતાવ્યાં છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. માત્ર પાંચ જ્ઞાનનાં નામ બોલી જવાથી કંઈ જ્ઞાન થઈ જાય? “ના”. એક નાના બાળકને તમે એમ શીખવાડે કે આ ખુરશી કહેવાય. આ પેન કહેવાય. તમે જેમ નામ શીખવાડે છે તેમ શીખી જાય છે ને પૂછે ત્યારે તેના નામ બરાબર બોલી જાય છે. આ શબ્દજ્ઞાન છે. એક પિોપટને કઈ પઢાવે કે રામ-રામ બોલે તે એ રામ...રામ બોલતા શીખી જાય છે, પણ એને કઈ પૂછે કે રામ કેણ હતાં? એમના માતા-પિતા કે હતા અને રામચંદ્રજીના જીવનમાં કેવા કેવા ગુણ હતા? તે એ કહી શકે ખરો? “ના”. એ તે પઢાવ્યા પ્રમાણે રામ રામ બોલી જાય છે. કારણ કે એને સાચું જ્ઞાન નથી. આવી રીતે કઈ માણસ એમ બોલ્યા કરે કે દેહ તે હું નથી હું દેહથી ભિન્ન આત્મા છું. પણ આત્મા શુ છે? આત્માની કેટલી શક્તિ છે? તે વાત ન જાણતા હોય તે તમે એને શું કહેશે? આ તે પિપટીયું જ્ઞાન છે. પોપટની જેમ બોલી જાય છે. આવા પિપટીયા જ્ઞાનથી કંઈ થોડું કલ્યાણ થાય? “ના”. ઘણાં માણસે જ્ઞાનની માટી મેટી વાત કરે. તપ-ત્યાગ અને મેક્ષની વાતો કર્યા કરે પણ એ પ્રમાણે જે તેનું આચરણ ન હોય તે એને આપણે એમ કહીએ છીએ કે આનું જ્ઞાન તે પિોથીમાના રીંગણ જેવું છે. અહીં “પથીમાના રીંગણું જેવું જ્ઞાન” આવી કહેવત શા માટે, બોલાય છે તે જાણે છે? “ના.” તે સાંભળે. . એક ગામમાં એક શાસ્ત્રીજી કથા કરવા માટે ગયા, શાસ્ત્રીજીની ભાષા બહુ .
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy