SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્ત્રા દર્શન ૨૫ મેળવવા તરફ હાય છે. તમે તમારુ ઘર છેડીને બહારગામ કોઈ સગાં સ્નેહીને ઘેર જાશે. ત્યાં મધી જગ્યાએ તમને ગમે તેટલા સન્માન મળે છતાં જ્યારે ઘેર આવે ત્યારે શું કહે ? હાશ....હવે શાંતિ તે રીતે સાધુને ગૃહસ્થ તરફથી ગમે તેટલાં સત્કાર ને સન્માન મળે છતાં તેમને આનન્દ્વ ન હાય અને તેા માત્ર માક્ષ મેળવવાના કામાં જ આનંદ ડાય. ટૂંકમાં સાધુ પોતાની પ્રશંસા કરનાર પ્રત્યે રાગ ન કરે તેમ નિર્દેદા કરનાર પ્રત્યે દ્વેષ ન કરે, પણુ અને પ્રત્યે સમભાવ રાખે. અજ્ઞાની જીવ નિર્દેદા કરે તેા સાધુ એવા વિચાર કરે કે ખરેખર, મારામાં એવા ઢાઈ દોષ નથી છતાં તે આત્માને એમ લાગ્યુ તા મારે નિંદા કરનારના ઉપકાર માનવા, પણ તેના ઉપર ક્રોધ ના કરે. અને વિચાર કરે કે મારા દોષ નથી છતાં એણે મારી નિંદા કરી છે તે એમાં મારું શું ખગડવાનું છે ? મારું કંઈ નુકશાન થવાનું નથી પશુ નિંદા કરનાર પાતાનું અહિત કરીને અશુભ કમ માંધે છે. બિચારા મારા નિમિત્તે પાપમાં ડૂબે છે. એટલે સ ંતની દૃષ્ટિમાં તે ક્રોધને પાત્ર ન બનતાં યાને. પાત્ર બને છે. અથવા એવા વિચાર કરે કે અત્યારે મારે કંઈ દોષ નથી છતાં મારી નિંદા કરે છે તે મેં કૈાઈ બીજા ભવમાં એવા અશુભ કર્મો ખાંધ્યા હશે કે જેથી મારા મેં મારી નિંદા કરાવે છે. નિદા કરનાર તે નિમિત્ત માત્ર છે. તે મારે એના ઉપર શા માટે ક્રોધ કે દ્વેષ કરવા જોઇએ ! પૂર્વ ભવમાં એવા કર્મો કરીને આવ્યે છું તેા સેગવી રહ્યો છું. આ ભવમાં જો ક્રોધ કે દ્વેષ કરીશ તે અશુભ કર્મોના અધ થશે ને કર્મો ભાગવવા પડશે. આવું સમજીને સમતાભાવમાં સ્થિર રહે ને આત્મા સાધનામાં સમય માત્રને પ્રમાદ કરે નહિ. બંધુઓ ! આ તે સાધુની વાત કરી પણ તમારા જીવનમાં આવા પ્રસંગે આવે ત્યારે તમારે પણ સમભાવ રાખવા જોઈએ. તમે પણ સાધુના ઉપાસક છે ને ? હવે પર્યુષણ પર્વ નજીક આવે છે. આપણે ત્યાં કાલે એ ભાઈએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાના છે. એમને જોઈને તમને થવું જોઈએ કે હવે અમે પણ એવા મહાન વ્રતમાં વીએ. જ્યારે તમે દીક્ષા લઈ શકતાં નથી તેા ઉત્તમ આરાધના કરી જીવન સફળ મનાવે. જો તમારે જન્મમરણનાં ફેરાથી મુક્ત થવું હાય તેા આ ભાગવિલાસ છેડવા પડશે, ને આત્માનું કલ્યાણ થાય તેવી ધર્મોની આરાધનામાં જોડાવુ પડશે. ભગવતી સૂત્રમાં ભગવાને આરાધકના ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં એક જ્ઞાન સંપન્ન છે પણુ શીલ સ’પન્ન નથી. એક શીલસ પન્ન છે. પણ જ્ઞાન સંપન્ન નથી. એક શીલ સંપન્ન છે ને જ્ઞાનસપન્ન પણ છે, અને એક શીલસંપન્ન નથી ને જ્ઞાનસંપન્ન પણ નથી. જે આત્મા શીલસપન્ન છે પણ જ્ઞાનસંપન્ન નથી તેને દેશ આરાધક કહેવામાં આવે છે. જે આત્મા જ્ઞાનસપન્ન છે પણ શીલસંપન્ન નથી તે દેશવિરાધક ૩૪
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy