SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૧ ભાવના ભાવતા હતા. જેવી માતા હતી તેવા જ કૃષ્ણ પુત્ર હતા. સંતાને જોઈ ને તેમનું હૈયું હરખાઈ જતું હતું. અહીં દેવકીએ પેાતાને ઘેર ગૌચરી પધારેલા સંતાને કહ્યું-અહા ગુરૂદેવ ! મારી નગરીનાં પુણ્ય ઘટયાં કે મારા કૃષ્ણ વાસુદેવના પુણ્ય ઘટ્યાં! રાજાનાં પુણ્ય ઘટે તે જ દાતારાની ભાવનામાં ખામી આવે. જેથી મારા સતાને આટલી મેાટી દ્વારકા નગરીમાં આહાર-પાણીના તૂટી પડચા છે. દેવકીની વાત સાંભળીને એ સતા સમજી ગયાં કે અમે આમ તે! અલગ છીએ પશુ રૂપ, ક્રાંતિ બધુ' સરખુ' હાવાથી આ માતાના મનમાં અમારા પ્રત્યે સશય થયેા છે કે એકના એક મુનિએ મારે ઘેર ગૌચરી માટે આવ્યા છે ને અમે પણ અજાણ્યા હોવાથી બધા અહીં આવ્યા છીએ. હવે તે અણુગાર દેવકીરાણીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ- “ડતા હૃદયે મણીચૂડ રાજાએ આપેલી અર્જુનને વિદાય” :અર્જુનની સહાયથી મણીચૂડને તેના પિતાનું રાજ્ય મળ્યુ. તેથી ખૂબ આનંદ થયા, અને તે અર્જુનને પાતાના પિતા સમાન ગણવા લાગ્યા. હવે અર્જુને મણીચૂડ પાસે જવાની રજા માંગી. મણીચૂડૅ ન જવા દેવા માટે ખૂબ આનાકાની કરી. પણ અર્જુને રોકાવાની ના પાડી એટલે ન છૂટકે જવાની રજા આપી. પરદુઃખભંજન અને પરોપકારી માણસ જ્યાં જાય છે ત્યાં પૂજાય છે. તે દુશ્મનને પણ વહાલે ખની જાય છે. અહીં વિદ્યાધરામાં તેનું ખૂબ માન વધ્યું હતું. ખધા વિદ્યાધરાએ અર્જુનજીને રોકવા ખૂબ આગ્રહ કર્યા પણ અર્જુનજી રાકાયા નહિ. ત્યારે મણીચૂડ રાજાએ એક સુ ંદર વિમાન સજાવીને તૈયાર કરાવ્યુ અને અધા તે વિમાનમાં બેસી ગયા. અર્જુન ચલા ગગનમેં સંગ હૈ, વિધાધર, પરિવાર, આયે એક ગિરિ કે ઉપર, જહાં જ્ઞાની અણુગાર હૈ...શ્રોતા... ઘણાં વિદ્યાધરા અર્જુનને વળાવવા માટે વિમાનમાં બેસીને આવ્યા. તેમનું વિમાન આકાશમાં ઉડયુ.. આકાશમાગે કતાં ફરતાં એક માટા પંત ઉપર આવીને વિમાન ઉતાર્યુ. બધા ઘેાડા સમય પર્યંત ઉપર બેઠાં. આનદ વિનેાદની વાત કરી. વળાવવા આવેલા મણીચૂડરાજા તેમજ બધા વિદ્યાધરાએ અર્જુનને રજા આપી. બધાએ કહ્યું કે ૫મે તમારી સાથે હસ્તિનાપુર સુધી રહીએ પણ અર્જુને ના પાડી તેથી નમન કરીને કહ્યું કે વહેલાં વહેલાં રતનપુર પધારજો. આમ ખેલતાં મણીચૂડ ખૂબ રયેા. આંસુ સારતાં બધાએ વિદાય લીધી. “સંત દન થતાં જંગલમાં મોંગલ' – આ તરફ અર્જુન બધાના ગયા પછી પર્વત ઉપર ફરતાં હતાં ત્યાં એક વૃક્ષ નીચે જ્ઞાની પંચમહાવ્રતધારી સતને ધ્યાનમાં બેઠેલા જોયાં. સતને જોઈને તેને ખૂબ આનંદ થયા. તરત ત્યાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy