SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદાન-નિમિત્ત મીમાંસા : ૫૬૭ દ્રવ્યમાં અવગાહન આપવાના ગુણ છે એટલે નિમિત્ત હાવા છતાં પણ એ દ્રવ્યને અનુસરીને જ તે કાય થાય છે એમ નથી; પરંતુ યથાયોગ્ય જીવાદિ દ્રબ્યાની જ્યારે ગતિ આદિ ક્રિયાએ થાય છે ત્યારે તે તે દ્રવ્યેા નિમિત્ત થાય છે. (૨) ખીજા પ્રકારના જે નિમિત્તા છે તે ઇચ્છા, પ્રયત્ન અને કારક સાકલ્યના જ્ઞાનથી રહિત હેાવા છતાં પણ સક્રિય હાય છે. પરંતુ એટલા માત્રથી તેમની સક્રિયતા મુજબ, અન્ય દ્રબ્યાનુ પરિણમન થાય છે એમ કહી શકાય નહિ. જળ સ્વયં ક્રિયાવાન અવશ્ય છે અને માછલાંની ગતિક્રિયામાં નિમિત્ત પણ છે; પરંતુ આને અથ એ નથી કે, જે દિશામાં જળના પ્રવાહ છે તે જ દિશામાં માછલાંનું ગમન થશે. તેમજ આને અએ પણુ નથી કે જળ માછલાંનાં ગમનમાં નિમિત્ત છે. એટલે જળમાં સદા માછલાંનું ગમન થતું જ રહેશે. હાં, આનું તાત્પય એટલું જ છે કે, જ્યારે માધ્યુ ગમન કરશે ત્યારે જળ તેની ગતિ ક્રિયામાં નિમિત્ત થશે. માછલ' કયારે ગતિ કરે અને કયારે ગતિ ન કરે તેને આધાર જળ ઉપર આધારિત નથી, પરંતુ માલા ઉપર અવલખિત છે. જળની માફ્ક વૃક્ષની છાયાના પણ દાખલે લઈ શકાય છે. છાયા ક્રિયાવાન પદા છે. અને વટેમાર્ગુની સ્થિતિમાં નિમિત્ત પણ હોય છે. પરંતુ આના અર્થ એ નથી કે વૃક્ષની છાયા મળતાંની સાથે વટેમાર્ગુને પણ રોકાઈ જ જવું પડે. આને અથ આટલે જ છે કે, કોઈ થાકયાપાકયા પથિક વિશ્રાંતિની ભાવનાથી વૃક્ષને આશ્રય લઈ રાકાવા ઈચ્છે તે તે વખતે છાયા નિમિત્તની ગરજ સારી શકે છે. સારાંશ એ છે કે, કાર્યની ઉત્પત્તિ તે ઉપાદાન અનુસાર જ હોય છે. પરંતુ તેમાં જે ક્રિયાવાન પદાર્થો નિમિત્ત થાય છે તેમની તે નિમિત્તતા ધર્માદિ દ્રવ્યેની જેમ જ જાણવી જોઇએ. તમે શંકા કરશે કે, ધર્માદિ દ્રવ્ય નિષ્ક્રિય છે એટલે તે થવા અને પુદ્દગલેાની ગતિ આદિમાં હેતુ નથી થઈ શકતા. કારણ જળાદિ પદાર્થો ક્રિયાવાન થઈને જ માછલાં આદિની ગતિમાં નિમિત્ત દેખાય છે. આ શંકાનું સમાધાન એ છે કે, આ કાંઈ દોષ નથી. કારણ ચક્ષુરિન્દ્રિયની માફક આ અળાધાનમાં નિમિત્ત છે. જેમ રૂપની ઉપલબ્ધિમાં ચક્ષુ નિમિત્ત છે પરંતુ જેનું મન વ્યાક્ષિપ્ત છે તેને ચક્ષુ આદિ ઈન્દ્રિયાના હાવા છતાં પણ રૂપનુ ગ્રહણ થતુ નથી તેમ પ્રકૃતમાં પણ જાણવું. તાત્પર્ય એ છે કે, કાર્યોત્પત્તિ વખતે મળનું આધાન સ્વયં ઉપાદાન હોય છે; પરંતુ નિમિત્ત અન્ય દ્રવ્ય થાય છે. સક્રિય પદાર્થો પણ નિષ્ક્રિય ધર્માદિ દ્રબ્યાની માફક જ નિમિત્ત હેાય છે. જે રીતે જીવ અને પુદ્ગલ દ્રન્ચ જ્યારે સ્વયં ગતિ આદિ પરિણામથી પરિણત થાય છે ત્યારે ધર્માદ્વિ દ્રવ્ય સ્વય' તે ગતિ આદિ પરિણામમાં નિમિત્ત થાય છે. એવી જ રીતે અન્ય દ્રબ્યા જ્યારે સ્વયં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy