SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર - સતી દ્રૌપદીનાં રૂપલાવણ્યનાં વખાણ શ્રી નારદ પાસેથી સાંભળી ધાતકીખંડ દ્વિીપના રાજા પોત્તરના માનસમાં વિકારનું વિષ જખ્યું. તે વિવેક વિકલ બની ગયે. જેમ કષાય આત્માની વિવેક શકિતને આવૃત્ત કરનાર છે તેમ વિષય-વાસના પણ જીવને આંધળો બનાવી દેનાર છે. કષા અને વિષને પરસ્પરાશ્રય સંબંધ પણ છે; અથવા વિષયે જ કેધાદિ કષાયના ઉત્પાદક છે. કહ્યું પણ છે કે ध्यायतो विषयान्पुंसः संगस्तेषपजायते । સંત રંગાયને કામ: માત્રાધsfમનાથસે || વિષયનું ચિંતન કરનાર પુરુષની વિષયનાં ચિંતનથી આસકિત ઉત્પન્ન થાય છે. આસકિતથી વાસના ઊપજે છે અને વાસનામાં વિન્ન થવાથી કેધ ઊપજે છે. ક્રોધ કષાયરૂપ હોવાથી સંસારનું ઉપાદાન કારણ છે. સંસારની અવસ્થાનનું મૂળ વિષય છે. એટલે કામાંધ વ્યક્તિ બીજા આંધળાઓને પણ રાજા છે. બીજા તે પ્રાયઃ કોઈ દિવાધ હેય છે તે મેઈનકતાં હોય છે તે વળી કેઈને નેત્રા પણ હોય છે. પરંતુ કામાંધ તે તે બધાથી ચડી જાય છે. दिवा पश्यति नो धूकः काका नक्त न पश्यति । अपूर्वः कोऽपि कामान्धा दिवा नक्त न पश्यति ॥ - ધૂવડ દિવસે જોતું નથી. કાગડે રાત્રે તે નથી. પરંતુ કામાંધ વ્યક્તિ તે રાત અને દિવસ જેતે નથી. તેને તે વિવેક દીપક જ બૂઝાઈ જાય છે. તેનાં લજજા, ભય અને શરમ નામ પામી જાય છે. વિષય અને કષાયને એ અપ્રતિમ પ્રભાવ આત્મા ઉપર છે કે વિષય કષાયમાં ફસાએલા पाषाण खडेष्वपि रत्नबुद्धिः कान्तेति धीः शोणित मांस-पिंडे । पश्चात्मके वर्मणि चात्मभावो जयत्यसौ काचन मोहलीला ॥ મેહથી મુંઝાએલા આત્માઓ પાણાના કટકાઓમાં રત્નોની બુદ્ધિ કરે છે, ખરેખર રત્ન પણ પૃથ્વીકાયના જ જીવે છે. શાસ્ત્ર પ્રહાર થતા તે મૃત કલેવર થઈ જાય છે. એકન્દ્રિયના આવા મૃત કલેવરને “રત્ન એવું નામ આપી મમતા સાથે માણસ તેને સંઘરે છે. તેને જોઈ તે આનંદ પામે છે. તેનો નાશ થઈ જતાં, કે તે ચેરાઈ જતાં, વાહથી તે મુગ્ધ અને ગાંડ જે બની જાય છે. આ બધી મેહની જ નાટકીય લીલા છે. આ મોહનાં કારણે જ હાડ, માંસ, મજજા અને મળમૂત્રના સ્થાનરૂપ શરીરમાં માણસ સ્ત્રી બુદ્ધિ કરે છે. સ્ત્રીનું સ્વરૂપ સૌદર્યમાં માણસ ગાંડે ગાંડો થઈ જાય છે. જે સ્ત્રી અસંખ્ય જીની ઉત્પત્તિનું સ્થાન છે, દુર્ગધથી દુર્વાસિત છે, જે વિકૃત અને નાશ થવા સર્જાએલ છે તેમાં આવી ચાહ બુદ્ધિ શા માટે ? આ શરીર પૌદગલિક છે, ભૌતિક છે. જેવી, પાણ- આદિ તોથી તેનું પિષણ અને સંવર્ધન થયું છે, એક દિવસ તેની રાખ થઈ માટીમાં તે મળી જવાનું છે છતાં જીવ તેને માટે નિશ્ચિત છે, એ શું ઓછું
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy