SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પરિણામ એ આવ્યું કે શ્રી સ્થૂલભદ્ર સુધી ચૌદ પૂર્વનું જ્ઞાન શ્રમણ સંઘમાં રહ્યું. તેમના સ્વર્ગવાસ પછી બાર અંગમાંથી અગિયાર અંગ અને દશ પૂર્વોનું જ જ્ઞાન શેષ રહી જવા પામ્યું. શ્રી સ્થૂલભદ્રનું અવસાન વીર નિર્વાણ પછી ૨૧૫ વર્ષે થયું. --- વાસ્તવિક રીતે વિચારવામાં આવે તે શ્રી સ્થૂલભદ્ર પણ શ્રુતકેવલી નહોતા. કારણકે તેમણે દશ પૂર્વ સુધી અભ્યાસ તે સૂત્ર અને અર્થપૂર્વક કર્યો, પરંતુ બાકીના ચાર પૂર્વે તે તેઓ માત્ર સૂત્રતઃ જ ભણ્યા હતા. ભદ્રબાહુ સ્વામીએ તેમને અર્થનું જ્ઞાન આપ્યું નહતું. શ્વેતાંબરની માન્યતા મુજબ તે શ્રી ભદ્રબાહુ સ્વામીના અવસાન સાથે અર્થાત્ વીર નિર્વાણના ૧૭૦ વર્ષ પછી જ શ્રુતકેવલીની પરિસમાપ્તિ થઈ ગઈ. ત્યાર પછી સંપૂર્ણ શ્રતને જ્ઞાતા કઈ થયે જ નહિ. દિગંબરની માન્યતા મુજબ શ્રુતકેવલીને લેપ વીર નિર્વાણના ૧૬૨ વર્ષ પછી થયે. બન્નેની માન્યતામાં ૮ વર્ષને ફેર છે. નિષ્કર્ષ એ છે કે ગણધરગ્રથિત બાર અંગોમાંથી પ્રથમ વાચના વખતે ચાર પૂર્વ ન્યૂન બાર અંગ શ્રમણ સંઘના હાથમાં રહ્યા. જો કે સ્થૂલભદ્ર સૂત્રતઃ સંપૂર્ણ શ્રુતના જ્ઞાતા હતા પરંતુ આપણે જોઈ ગયા કે તેમને ચાર પૂર્વની વાચના કેઈ બીજાને આપવાની ભદ્રબાહુ સ્વામીની અનુજ્ઞા નહતી એટલે ભદ્રબાહુ સ્વામી પછી શ્રુતકેવલી નહિ પરંતુ દશપૂર્વે જ થયા. એટલે દશ પૂર્વ સુધીનાં જ્ઞાનની સુરક્ષાને જ પ્રશ્ન રહ્યો. . દિગંબરો અને શ્વેતાંબરની શ્રુતકેવલી પરંપરા ... ** દિગંબર શાશ્વેતાંબર કેવલી ગૌતમ ૧૨ વર્ષ સુધર્મા ૨૦ વર્ષ ૧૨ વર્ષ ૪૪ વર્ષ પ્રભવ --- શ્રુતકેવલી વિષ્ણુ શય ભવ નિિમત્ર ૧૬ વર્ષ યશોભદ્ર ૫૦ વર્ષ અપરાજિત ૨૨ વર્ષ સંભૂતિવિજય ૮ ગવર્ધન ૧૯ વર્ષ ભદ્રબાહુ ૧૪ વર્ષ ભદ્રબાહું ર૯ વર્ષ શ્રુતકેવલી પરંપરા ૧૦૦ વર્ષ શ્રુતકેવલી પંરપરા દર વર્ષ સુધમાં ૨૮ વર્ષ ૧૪ વર્ષ ૧૧ વર્ષ ૨૩ વર્ષ ક ૧૭૦ - ૧૬૨ = ૮ વર્ષને અંતર
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy