SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મચેતનાને પ્રતીક અગ્નિ - જીવનના અનુભવના જે શિખરે છે તે શિખરોના અનુભવે સાથે ધર્મ સંબંધિત છે. આ અનુભવો એટલા ગહન છે કે તેમને અભિવ્યકત કરવા માટે આપણને શબ્દો મળવા મુશ્કેલ છે. એવા સમાનાન્તર શબ્દો આપણી પાસે નથી કે જેમના દ્વારા આપણે એ અનુભવોને અભિવ્યકત કરી શકીએ. પરિણામે ધર્મ સંકેતાત્મક અથવા પ્રતીકાત્મક થઈ જાય છે. આમ જીવનના આત્યંતિક અનુભવને પાર્થિવ ભાષામાં અભિવ્યકત કરવા માટે રૂપક, પ્રતીક અથવા સંત નિર્મિત કરવા પડે છે. તે સંકેતે જેમ અભિવ્યકિત લાવે છે તેમ સમય જતાં તે અવધક પણ બની જાય છે. જેઓ તે સંકેત કે ઈશારાઓને જ પકડીને બેસી રહેતા નથી પરંતુ તેમને આશ્રય લઈ મૂળને પકડી મંજિલને પાર પહોંચી જાય છે, તેમને માટે તે તે સંકેત અને ઈશારાઓ જ સાક્ષાત્ અભિવ્યકિત બની જાય છે. પરંતુ જેઓ તેમને મંજિલ માની બેસી જાય છે, રોકાઈ જાય છે, તેમને માટે તેઓ અવરોધક બળ બની જાય છે. ધોરી માર્ગો પર માઈલ બતાવવા માટે માઈલો સૂચક મોટા પાણાઓ ખોડવામાં આવ્યા હોય છે. તે માઈલના પાણુઓને મંજિલ સમજી જેઓ રોકાઈ જાય છે, તેમને માટે તે માઈલ સૂચક પથ્થરે અવરોધક બની જાય છે. એનાં કરતાં સારૂં તે એ હેત કે માર્ગમાં માઈલ સૂચક સંકેત જ ન રાખ્યા હેત કે જેથી માણસને શેકાઈ રહેવાને અવકાશ ન મળત અને તે પિતાની મંજિલ સુધી ગતિ કરી શકત ! આ પાણાઓ માણસને ચાલવામાં સહાયભૂત થવા માટે ખેડવામાં આવ્યા હોય છે. તેમાં જે તીરનું નિશાન મૂકવામાં આવેલું છે, તે આગળ ને આગળ ગતિ કરવા માટેનું સૂચક છે. તે નિશાન માણસને રેકાઈ જવાને સુચવતું નથી. પરંતુ જે લેકે આ સંકેતના અર્થને ઊંડાણથી નથી જેતા તે અટકી જાય છે, બેસી જાય છે. જે પારદશ દૃષ્ટિથી વિચારવાની ક્ષમતા ધરાવતા હોય છે તેઓ રેકાતા નથી અને પ્રતીકને આશ્રય લઈ, મંજિલે પહોંચવા ગતિશીલ રહે છે. આ પ્રતીકે તે મૂક છે. તેમનામાં બોલવાની ક્ષમતા નથી હોતી એટલે જે તેના સંકેતને સમજી શકે છે, એ જ મંજિલે પહોંચી શકે છે. જે નથી સમજી શકતા તે અટકે છે અને મંજિલને પ્રાપ્ત કરી શકતા નથી. ધર્મનાં ઘણાં પ્રતીકે શોધવામાં આવ્યા છે. ધર્મને અનુભવ તો લોકોત્તર હોય છે. પરંતુ પ્રતીકેથીજ તેને ખ્યાલ આપી શકાય છે. તે પ્રતીક ગતિ વધારવામાં પણ સહાયક બની શકે છે અને અત્યવરોધમાં પણ. પ્રતીકને તેમાં કઈ દોષ નથી. પ્રતીકેની સાથે આ રીતે ઘણીવાર અન્યાય પણ થઈ જતો હોય છે. આ વાતને સુસ્પષ્ટ સમજવા એક દાખલો લઈએ. તે મુજબ યજ્ઞને પ્રતીક અગ્નિ માનવામાં આવેલ છે. આ અવિનના પ્રતીકથી પરમ સત્યના પરમ ઈશારાઓ પ્રાપ્ત થાય છે જે આજના પ્રવચનથી જ તમને જણાઈ આવશે. પરંતુ માણસોએ તે પારમાર્થિક
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy