SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણુવાદને વિજ્ય : ૩૯ તેને ઉત્તર સ્પષ્ટ છે કે કેટલાક પ્રમાણ તે એટલા સ્પષ્ટ હોય છે કે તેની પ્રમાણતા જાણવા માટે આપણને વિશેષ સાધનેની આવશ્યકતા રહેતી નથી. પ્રમાણુની સ્પષ્ટતા આદિ જ પ્રમાણુની સત્યતા સિદ્ધ કરી આપે છે. જે વસ્તુઓને તમે સદા ઉપગ કરે છે તેની સત્યતા માટે ક્યાંય પૂછવા જવું પડતું નથી. આપણા ઘરની પાસે જ જે કઈ નદી કે તળાવ હોય અને તેને સ્નાન પાનાદિ કાર્યોમાં રોજ ઉપગ થતું હોય, તે ત્યાં પાણીના સભાવમાં આપણને સંદેહ રહેતું નથી, કે જેથી તે પાણીના સદ્દભાવ વિષે આપણે કઈ બીજાને પૂછવા જવું પડે કે બીજાં ચિહુનેથી નિશ્ચય કરે પડે! જ્યારે તમે મિષ્ટાન ખાઓ છે ત્યારે તેનાં ગળપણના જ્ઞાનની સ્પષ્ટતા કરવા માટે તમારે બીજાને પૂછવું પડતું નથી. કારણ તે જ્ઞાન એટલું વિશદ અને સ્પષ્ટ છે કે તે પિતાની સત્યતા પિતે જ બતાવી દે છે. આવી સ્થિતિમાં પ્રામાણ્યની જ્ઞપ્તિ સ્વતઃ માનવામાં આવે છે. જ્યાં વિશેષ કારણેની આવશ્યકતા હોય છે ત્યાં પ્રામાણ્યની જ્ઞપ્તિ પરતઃ માનવામાં આવે છે. કહ્યું પણ છે– જ્ઞતિઃ ગત્તે વિષ સ્વત: સન્ત તુ તુરતઃ | परिचितस्वग्रामतटाकजलादिरम्यस्तः तव्यतिरिक्तोऽनभ्यस्तः ॥ કેઈ અપરિચિત સ્થાનમાં પાણી જેવું કાંઈ જોઈએ તે સંદેહ સંભવી શકે છે, ત્યાં પાણી છે કે મૃગજળ? એટલી વારમાં તે બાજુએથી કઈ પાણીને ઘડે લઈને આવે, અથવા ત્યાં જ રહેતા કેઈ માણસને પૂછી લેવામાં આવે, તે પિતાના જ્ઞાનની યથાર્થતા જણાઈ આવશે. પરંતુ આ યથાર્થતા, સત્યતાને નિર્ણય, જ્ઞપ્તિ બીજાની સહાયથી થઈ, એટલે પ્રામાણ્યની જ્ઞપ્તિ પરતઃ થઈ ગણાય. જે બધે ઠેકાણે પ્રામાણ્યની જ્ઞપ્તિ પરત જ માનવામાં આવે તે જ્ઞપ્તિનું થવું જ અશક્ય થઈ જાય. ઉપર જ|લા દષ્ટાંતમાં આપણને પાણીના જ્ઞાનની સત્યતા પાણીના ઘડાવાળા કઈ માણસને જોઈને થઈ હતી અને પાણીના ઘડાવાળા માણસના જ્ઞાનની યથાર્થતા માટે જે ત્રીજા જ્ઞાનની આવશ્યકતા માનવામાં આવે, તે ત્રીજા જ્ઞાનની યથાર્થતા માટે ચેથા જ્ઞાનની આવશ્યકતા રહેશે અને ચોથા જ્ઞાન માટે પાંચમા જ્ઞાનની. અંતમાં કેઈ ને કઈ જ્ઞાનની યથાર્થતા સ્વીકારવી પડશે. અન્યથા અનવસ્થા દેશની સંભાવના જન્મવાથી પાણીનું પણ જ્ઞાન થઈ શકશે નહિં. “અપ્રમાણિનાપાર્થરિકાના વિઝાન્ય માનવરથા”– અર્થાત્ અપ્રમાણિક અનંત પદાર્થોની કલ્પના કરવી પડે ત્યાં અનવસ્થા દેષ થાય છે. જેમ ઉપર્યુક્ત ઉદાહરણમાં ત્રીજા, ચોથા, પાંચમા આદિ જ્ઞાનની કલ્પના કરવી પડી છે. એ જ્ઞાનેનું અસ્તિત્વ નથી, એટલે એ જ્ઞાને અપ્રામાણિક છે. જે આવી કલ્પના કરતા જ જશે તે કયાંય વિશ્રાંતિ મળશે નહિ; એટલે આ અનવસ્થા દેષ છે. હા, વિશ્રામ ન મળે છતાં પણ જે પ્રામાણિક કલ્પના હોય તે અનવસ્થા દેષ આવતું નથી. જેમ દેવદત્ત પિતાના માતાપિતાથી જપે, તેના માતાપિતા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy