SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર હાતા નથી. આપણા જેવા લોકોને, આ બધા ધર્મોનું જ્ઞાન પણ હાતું નથી કે જેથી તે બધાને શબ્દોથી કહેવાને, આપણે પ્રયત્ન કરી શકીએ. ત્રીજી અને મુખ્ય વાત એ છે કે દરેક વસ્તુ સ્વભાવથી જ અવકતવ્ય છે. તે અનુભવમાં આવી શકે ખરી, પરંતુ શબ્દોથી તે કહી શકાય નહિં. જેમકે, ગળપણ અનુભવથી સમજી શકાય છે પરંતુ શબ્દોથી તેનું સાચું ચિત્ર ઊભું થઈ શકતુ નથી. એટલે એક દૃષ્ટિથી વરતુ અવકતવ્ય છે તેા મીજી દ્રષ્ટિથી તે વકતવ્ય પણ છે. તેથીજ જ્યારે આપણે અવકતવ્યની સાથે કાઈ ને કાઈ રૂપમાં વસ્તુની વકતવ્યતા પણ અભિવ્યકત કરવા ઈચ્છીએ છીએ ત્યારે વકતવ્ય રૂપના ત્રણ ભંગા—અસ્તિ, નાસ્તિ અને અસ્તિ નાસ્તિ અવકતવ્ય સાથે ભળી જાય છે અને તેમાંથી અસ્તિ અવકતવ્ય, નાસ્તિ અવકતવ્ય અને અસ્તિ નાસ્તિ અવકતવ્ય એવા છેલ્લા ત્રણ ભંગાનું નિર્માણ થાય છે. . આ રીતે ખરાખર સાત ભંગા શકય છે. આ સપ્તભંગી બે જાતની છે. એક પ્રમાણુ સપ્તભંગી અને ખીજી નય સપ્તભંગી. વસ્તુને પૂર્ણ રૂપથી વિષય કરનાર પ્રમાણ છે અને વસ્તુને અંશરૂપથી વિષય કરનાર નય પ્રમાણ છે. આ વાત આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. જેમ સપ્તભ`ગીના બે પ્રકાર છે તેમ વાકાના પશુ એ પ્રકારો છે. (૧) પ્રમાણુવાકય અને (૨) નયવાકય. પ્રમાણુવાકય અને નયવાકયાનું અંતર શબ્દોથી નહિ પણ ભાવાથી જણાય છે. જ્યારે આપણે કોઇ શબ્દવડે પૂરી વસ્તુને કહેવા માંગીએ છીએ ત્યારે તે સકલાદેશ અથવા પ્રમાણવાકય ગણાય છે; અને જ્યારે શબ્દવડે વસ્તુના કોઈ એક ધર્મને કહીએ છીએ ત્યારે તે વિકલાદેશ અથવા નયવાકય મનાય છે. વિદ્યુત શબ્દના અ ગુણવાળી છે એટલે દરેક શબ્દથી વસ્તુના એક જ ધર્મનું કથન અને બેધ થાય છે. ચમકનારા પદાર્થ થાય છે. વિજળી વધારે પ્રકાશવાળી છે, ચમકવાના આપણે તેને વિદ્યુત કહીએ છીએ. વિજળી ઝડપથી ચમકે છે, તેની ચમક ક્ષણ સ્થિતિવાળી છે એટલે તેનું ખીજું નામ ‘ચપલા’ પણ છે. કારણ તેના સ્વભાવ ચંચળ છે. ‘વિદ્યુત’ અને ‘ચપલા’ શબ્દથી એક એક ધર્મનું જ કથન કરવામાં આવેલ છે, છતાં આ શબ્દથી અનેક ધર્મોવાળા એક ધર્મીના આપણે એધ કરીએ છીએ. ‘સંસારના વૈભવવિલાસો વિદ્યુતની માફક ક્ષણુક્ષયી છે’–આ વાકયમાં વિદ્યુત શબ્દના પ્રયોગ સકલાદેશરૂપે કરવામાં આવેલ છે. કારણ અત્રે વિદ્યુત શબ્દના અ મેઘ સમુદાયમાં ઝડપથી ચમકનારી એક વસ્તુ છે. ચમકવું માત્ર જ ત્યાં ઇષ્ટ નથી. પરંતુ ક્ષણિકતા દર્શાવવા માટે ત્યાં વિદ્યુતની ઉપમા આપવામાં આવી છે. આ જ રીતે ‘ચપલાની ચમક’ વગેરે પ્રયાગામાં પણ સકલાદેશ વાકય જ સમજવા જોઇએ. કારણ ચપલા શબ્દથી માત્ર ચપળતાના જ મેધ થતા નથી, ચમકદારના પણ બેધ કરાય છે. જ્યારે શબ્દો વડે ધર્માંના જ એધ કરાય અને ધર્મીની વિવક્ષા (કહેવાની ઈચ્છા) ન હેાય, તે તે વાકય વિકલાદેશ ગણાય છે. જેમકે વિદ્યુત શબ્દથી ચમકવાના જ મેધ કરાય. ચપલા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy