SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી દ્વાર : ૩૭૯ પ્રવસાભાવ : નષ્ટ થઈ ગયા પછી વસ્તુના અભાવને પ્રવસાભાવ કહેવાય છે. જેમકે, ઠીકરાં ઉત્પન્ન થવાથી અવશ્ય નાશ પામનાર ઘટના, કપાલસમૂહ (ઠીકરા)એ પ્રઘ્નસાભાવ છે. અન્યાન્યાભાવ એક વસ્તુનું ખીજી વસ્તુરૂપ ન થવું અથવા જૈનદર્શન મુજબ પુદ્ગલની એક પર્યાયનું બીજા પર્યાય રૂપે ન થવું તે અન્યાન્યાભાવ છે. જેમકે, સ્ત ંભ સ્વરૂપથી કુંભ સ્વરૂપના જે બ્યાવૃત્તિભેદ છે તે અન્યોન્યાભાવ છે. આમાં અનુયાગીની પ્રધાનતા છે. અત્યતાભાવ : એક વસ્તુમાં ખીજી વસ્તુનું ન રહેવુ તે અત્યંતાભાવ છે. જેમકે, ચેતન અને અચેતનમાં અત્યંતાભાવ છે. આમાં પ્રતિયેાગીની પ્રધાનતા છે. જૈનદર્શન મુજબ તે આ અભાવ નિત્ય છે અને ન્યાયદર્શન અનુસાર અનિત્ય પણ છે. અન્યાન્યાભાવને છેડીને બાકીના ત્રણ અભાવા સંસર્ગોભાવ છે. ‘નાસ્તિ' ભગના સબંધ તે બધા અભાવા સાથે છે. વળી તમે કદાચ કહેશો કે એ ભંગાના પ્રયાગ ભલે આવશ્યક રહ્યો, પરંતુ ત્રીજા અસ્તિ નાસ્તિ ભંગના પ્રયોગ શા માટે કરવા જોઇએ ? ત્રીજો ભાગ તે પ્રારંભના એ ભગોમાં સમાવિષ્ટ જ છે. આના સરળ જવાબ એ છે કે, એ ભંગા મળી ભલે ત્રીજો ભંગ થયેા છે; પર ંતુ તે ત્રીજા ભંગનું કામ અસ્તિ અને નાસ્તિ ભંગ કરતાં જુદા પ્રકારનુ છે. જે કામ અસ્તિનાસ્તિ રૂપ ત્રીજો ભંગ (ઉભય) કરે છે તે કામ એકલું અસ્તિ પણ કરી શકતું નથી અને એકલું નાસ્તિ પશુ. અસંયુક ઉત્તર ખીજી જ વાત છે. એક અને બે મળી ત્રણ થાય છે; પરંતુ ત્રણની સંખ્યા એક અને એથી ભિન્ન જ મનાય છે. જો આમ હોય તે છે અસ્તિ અને એક નાસ્તિ આદિના પણ જુદા જુદા ભગા માનવા પડશે. આ રીતે સચૈાજિત ભગા વધતાં જતાં ભગાની સાત એવી નિયત સ ંખ્યા નિશ્ચિત રહેશે નહિ. હાં, જો કોઇ વસ્તુમાં એ અસ્તિત્વ ઉપલબ્ધ થાત તેા આવા ભંગા બનત. પરંતુ દરેક વસ્તુમાં એક જ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે સાતથી વધારે લગાનેા સંભવ નથી. જે અસ્તિત્વ છે માનવામાં આવે, તે વચતુષ્ટય અને પરચતુષ્ટય પણુએ મનાશે અને એ રીતે એ સપ્તભ'ગીએ થશે. સારાંશ એ છે કે એક એક ધર્મ પાછળ સપ્તભંગી ઊભી થઇ, સેંકડો સપ્તભ ગી થઇ શકે છે; પરંતુ સપ્તભંગીની અષ્ટભંગી કે નવભંગી થઈ શકતી નથી. વસ્તુના અનેક ધર્મને આપણે એક સાથે કહી શકતા નથી. એટલે યુગપત્ સ્નપર ચતુષ્ટયની અપેક્ષાથી વસ્તુ અવકતવ્ય છે. વસ્તુનુ અવકતવ્ય હાવાનુ બીજું કારણ એ પણુ છે કે, વસ્તુમાં જેટલા ધર્મો છે તેને વ્યકત કરવા માટે, તેટલા શબ્દો આપણી પાસે સમુપલબ્ધ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy