SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ‘પરસ્પર વિષયગમન' વ્યતિષ્ઠ:’–એટલે અસ્તિને નાસ્તિ અને નાસ્તિને અસ્તિ ન કહી શકાય. એટલે વ્યતિકર નામના દોષ રહેતે નથી. જ્યારે એક જ ઠેકાણે પરસ્પર વિરોધી ધર્મોનુ અનિશ્ચિત જ્ઞાન થાય છે ત્યારે સ'શય કહેવાય છે. પરંતુ એક વસ્તુમાં અપેક્ષાભેદથી અસ્તિ અને નાસ્તિમાં કોઈ વિરોધ નથી એટલે આવા સ્થાને સશય ન જન્મી શકે. સંશયમાં અનેક ધર્મોના અનિશ્ચય હાય છે જ્યારે અહીં તે નિશ્ચય છે. અસ્તિ છે અથવા નાસ્તિ ?–આવે! પ્રશ્ન તે સંશય છે. અસ્તિ છે અને નાસ્તિ પણ છે એ વિધાન સંશયનું રૂપ નથી. એમાં તે અન્ને ધર્મોને નિણ ય છે. જ્યારે સંશય રહેતે નથી ત્યારે અપ્રતિપત્તિ (નિશ્ચય જ્ઞાનના અભાવ) રૂપ દોષ પણ રહેતા નથી. કારણ, અપ્રતિપત્તિને લઇને જ અભાવ દોષ હતા. અપ્રતિપત્તિના અભાવમાં અભાવ દ્વેષ રહેતા નથી. સ્વપર ચતુષ્ટય : આપણે જોઈ ગયા તેમ સ્વચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ અસ્તિરૂપ છે અને પર ચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ નાસ્તિરૂપ છે. ચતુષ્ટય એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ગુણાના સમૂહને દ્રશ્ય કહેવાય છે. જેમકે જ્ઞાનાદિ અનેક ગુણાના સમૂડ જીવ' દ્રવ્ય છે. જીવ, જીવ દ્રવ્યના રૂપથી છે, જડ દ્રવ્યના રૂપથી નથી. આવી જ રીતે ઘટ ઘટરૂપે છે, પટરૂપે નથી. દરેક વસ્તુ સ્વદ્રવ્ય રૂપથી છે, પરદ્રષ્ય રૂપથી નથી. દ્રવ્યના પ્રદેશે (અણુ જેવા તેના અંશે) ને ક્ષેત્ર કહેવાય છે. ઘડાના અવયવેા ઘડાનુ ક્ષેત્ર છે. જો કે વ્યવહારમાં આધારની જગ્યાને ક્ષેત્ર કહેવાય છે પરંતુ તે વાસ્તવિક ક્ષેત્ર નથી. જેમકે, આપણે કહીએ છીએ કે ખડિયામાં સ્યાહી છે. અહીં વ્યવહારમાં સ્યાહીનું ક્ષેત્ર ખડિયા ગણાય છે; પરંતુ હકીકતે ખડિયા અને સ્યાહીના ક્ષેત્રે ભિન્ન ભિન્ન છે. જો ખડિયા કાચના હાય તે જે જગ્યાએ કાચ છે જગ્યાએ સ્યાહી નથી અને જે જગ્યાએ સ્યાહી છે તે જગ્યાએ કાચ નથી. જો કે કાચે સ્યાહીને ચારેકારથી ઘેરી રાખેલ છે, છતાં પણ અંને પોતપોતાની જગ્યા પર છે. સ્યાહીના પ્રદેશો, અવયવે જ તેનું ક્ષેત્ર છે. જીવ અને આકાશ છતાં તે બન્નેનુ ક્ષેત્ર એક નથી. જીવના પ્રદેશા જીવનુ ક્ષેત્ર છે અને આકાશના પ્રદેશો આકાશનુ ક્ષેત્ર છે. આ બંને દ્રબ્યા પણ ક્ષેત્રની અપેક્ષાથી ભિન્ન ભિન્ન છે. વ્યવહાર માટે અથવા સાધારણ બુદ્ધિના માણસોને સમજાવવા માટે, આધારને પણ ક્ષેત્ર સંજ્ઞા એવુ' નામ આપી દેવાય છે. એક જ જગ્યાએ છે ચલાવવા “જાહે વર્તનમિતિ વા પરિણમન વસ્તુના સ્વમાથેન’– વસ્તુના પરિણમનને કાળ કહેવાય છે. જે દ્રવ્યનુ જે પરિણમન તે જ તેને કાળ છે. સવાર સાંજ આદિ કાળ પણ વસ્તુઓના પરિણમન રૂપ છે. એક સાથે અનેક વસ્તુએના અનેક પરિણમના થઈ શકે છે પરંતુ તેમના કાળ એક ન હાઈ શકે. કારણ તેમના પરિણમનેા જુદા જુદા છે. મિનિટ, સેંકડ, કલાક
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy