SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી : ૩૭૩ છો? કારણ કે આ વિધાનમાં અપેક્ષાભેદ રહે છે. બસ, આ જ વાત અનેકાંતના સંબંધમાં છે. એક જ વસ્તુને અપેક્ષાભેદથી અસ્તિ-નાસ્તિ કહી શકાય છે. જે પુસ્તક અમારા ઓરડામાં છે, તે પુસ્તક અમારા ઓરડાની બહાર નથી એમાં જે છે અને “નથી” એ કથનમાં કઈ પણ પ્રકારને વિરોધ છે એમ કહી શકાય નહિ. આ અવિધ અનેકાંત દષ્ટિનું જ ફળ છે. આ રીતે અનેકાંત દષ્ટિને સામાન્ય રીતે સમજી લીધા પછી, ઉપર બતાવેલા આઠે દોષનું નિરાકરણ સરળતાથી થઈ જાય છે. દેને પરિહાર : શીત અને ઉષ્ણની માફક અસ્તિ અને નાસ્તિમાં વિરોધ ન સંભવી શકે. વિરોધ ત્યારે જ કહી શકાય જ્યારે એક જ કાળમાં એક જ જગ્યાએ આ બંને ધર્મો સાથે ન રહી શકતા હેય. સ્વચતુષ્ટય (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ની અપેક્ષાથી અસ્તિત્વ અને પર ચતુષ્ટય (પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવ)ની અપેક્ષાથી નાસ્તિત્વ તે પ્રત્યક્ષાદ પ્રમાણોથી એક જ વસ્તુમાં સિદ્ધ છે. તે પછી વિરોધ કેમ સંભવે? કઈ બે ધર્મોને વિરોધ છે એ વાત પહેલેથી જ જાણી શકાય નહિ. જ્યારે આપણને એ વાત જણાઈ જાય છે કે આ ધર્મો એક જ સમયમાં એક જ ઠેકાણે નથી રહી શકતા ત્યારે તેમાં આપણે વિરોધ માનીએ છીએ. જે તે સાથે રહી શકતા હોય તે વિરોધ કેમ કહેવાય? સ્વચતુષ્ટયની અપેક્ષાથી જ અસ્તિત્વ અને સ્વચતુષ્ટયની અપેક્ષાથી જે નાસ્તિત્વ કહેવાય તે પરસ્પર વિરે સંભવે પરંતુ અપેક્ષા ભેદથી બંનેમાં કમિપિ વિરોધ સંભવે નહિ. જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ વિરોધી ન રહ્યા તે અસ્તિત્વ અને નાસ્તિત્વનું અધિકરણ પણ જુદું ન રહ્યું, તે પછી વૈયધિકરણ્ય નામના દેષને અવકાશ જ કયાં રહ્યો? કલ્પનાના આમંત્યથી જ અનવસ્થા દેષ નથી આવતું. અનવસ્થા દોષ તે ત્યાં જ સંભવે છે જ્યાં કલ્પના અપ્રમાણિક હેય! દરેક માણસ માતાપિતાથી જન્મે છે એટલે માતૃપિતૃ પરંપરા અનંત છે. પરંતુ ત્યાં અનવસ્થા દોષ ગણી શકાય નહિ. કારણ, માતૃપિતૃ પરંપરા પ્રમાણસિદ્ધ છે. આવી જ રીતે સપ્તભંગ પણ સર્વત્ર પ્રમાણસિદ્ધ છે. એટલે એક જ પદાર્થમાં અનંત સપ્તભંગી થઈ જતી હોય, છતાં પણ પ્રમાણસિદ્ધ હોવાથી, અનવસ્થા દોષ આવતું નથી. બીજી વાત એ છે કે ધર્મમાં ધર્મની કલ્પના ન કરવી જોઈએ. ઘટમાં ઘટત્વ એ ધર્મ છે. ઘટત્વમાં ઘટવ ધર્મ માની, ઘટત્વત્વમાં ઘટતૃત્વત્વમાની, અનંત ધર્મની કલ્પના કરી શકાય છે તે શું અનવસ્થાના ભયથી ઘટત્વ પણ ન સ્વીકારવું? જેવી રીતે અહીં ધર્મમાં ધર્મની કલ્પના ન કરીને અનવસ્થાના ભયથી બચી શકાય છે, તેવી જ રીતે અસ્તિત્વાદિ ભંગમાં પણ બીજા અસ્તિત્વાદિની કલ્પના ન કરીને અનવસ્થા દેશથી બચી શકાય છે. જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને પરસ્પર અવિરૂદ્ધ ધર્મ સિદ્ધ થઈ ગયા ત્યારે સંકર દેષ પણ રહેતું નથી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy