SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલવે લાઈન ઉપર બે ગાય આવી રહી હતી. બીજી બાજુથી ટેન પણ આવતી હતી. ટ્રેન વ્હીસલ વગાડતી હતી, પરંતુ ગાયે ખસતી નહતી. વિદમુનિનું સ્વભાવથી દયાશીલ હૃદય થરથરી ઊયું. મહાઅનુકંપાએ હૃદયમાં આસન જમાવ્યું. હાથમાં રજોહરણ લઈ, જાનના જોખમે ગાયનું રક્ષણ કરવા તેઓ સમુદ્યત થયા. ગાય તે બચી જવા પામી, પરંતુ સાધુઓના પડ જવનિકાયના રક્ષાના સાધનભૂત રજોહરણ કે જે વિનોદમુનિને પિતાના પ્રાણથી પણ પ્યાર હતું, તે રેલવે લાઈન ઉપર પડી જવા પામ્યું. તેને ઊપાડવાની ઉતાવળમાં ધસમસતી આવતી રેલના એન્જિનના ઝપાટામાં તેઓ સપડાઈ ગયા. “અરિહંત, “અરિહંત શબ્દોના ઉચ્ચાર સાથે શરીર તૂટી પડ્યું. રક્ત પ્રવાહ વહેવા લાગ્યા. ગણતરીની ક્ષણોમાં તે અધ્યાત્મ ક્ષિતિજમાં ઉદય પામેલે આ પ્રકાશમાન તારે પ્રકાશમાં વિલીન થઈ ગયે. શ્રી વિનોદ મુનિ તે પુણ્યશાળી આત્માના પુણ્યશીલ રત્નસમા દિવ્ય આત્મા હતા. તેમનાં જીવનની તિર્મય ક્ષણ અને દિવ્યતાને દિવ્ય સંદેશ આપે એ જ મંગળ ભાવના કામ એ જ રામ સિકંદર હિન્દુસ્તાન તરફ આવી રહ્યો હતે. ત્યારે તેને ડાયેજનીજની મુલાકાત થઈ. ડાજનીજે સિકંદરને પૂછયું : “તમે ક્યાં જઈ રહ્યા છો ? શા માટે જઈ રહ્યા છો ?” હું એશિયા માઈનર જીતવા જઈ રહ્યો છું” હાં, સમજ. પછી ઈરાદો છે?” પછી હિન્દુસ્તાન જીતીશ.” પછી શું કરશે?” સિકંદરે ગર્વથી માથું ઊંચું કરી કહ્યું: “પછી હું આખા વિશ્વને મારે આધીન બનાવીશ.” હા, પછી ?” પછી વિશ્રામ કરવાની મારી ભાવના છે.” ડાજનીજ નદીની રેત ઉપર મસ્તીથી આળેટી રહ્યો હતે. સિંકદરના મનની મુરાદે સાંભળી તે ખડખડાટ હસી પડે. તેની સાથે તેની મહુલીમાં તેને હમેશને સાથી એક કૂતરો હતું. તેને બોલાવીને તેણે કહ્યું: “લે સાંભળ આ પાગલ સિકંદરને! આપણે આરામ કરી રહ્યા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy