SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ શિવમસ્તુ સવજગત: મહા પાપરૂપી અંધકારમાંથી ઉગારી લેનાર અને સમ્યકત્વ રૂપી સૂર્ય પ્રગટાવનાર કોઈ ભાવના હોય તે તે ફાવમતુ સર્વજ્ઞાતઃ” . માત્ર આ બે શબ્દોમાં જ શાસ્ત્રકાર મહર્ષિઓએ, એ ભાવના ફરમાવી છે. કેઈ કહે છે કે, વિષયોના કારણે જીવ ભટકે છે. કેઈ કહે છે કે, કક્ષાના કારણે જીવ ભટકે છે. કેઈ કહે છે કે, અશુભ ગના કારણે તે ભટકે છે, તે બધાયમાં પ્રાણ પૂરનાર દેષ એક જ છે, અને તે છે મિથ્યાત્વનું સેવન. છવમાં અજીવ જેવી બુદ્ધિ અને અજીવમાં જીવ જેવી બુદ્ધિ, મિથ્યાત્વને પામે છે. બીજા જ પિતાના જેવાં જ જીવો છે, પિતાની જેમ સુખ-દુઃખની લાગણી અનુભવનારા છે; તેઓના તરફ દુર્લાય કરવું; એ જ મિથ્યાત્વરૂપી અંધત્વ છે, અને તે બધા જી તરફ સમાન લાગણી ધરાવવી તે જ સમ્યત્વરૂપી સૂર્યને ઉદય છે. “બધાંને સુખ મળે, અને બધાંનું દુઃખ ટળે.' એ વિચાર આજ પર્યત, જીવે કદી કર્યો નથી જે કર્યો હત, તે તેનું ભવિષમણ હેત નહિ, કેમકે એ વિચારમાં જ અનંત વિષયાભિલાષ નિવારવાનું સામર્થ્ય છે; અનંતાનુબંધી કષાયને રોકવાનું બળ છે અને અત્યંત પ્રમાદ તેમજ અત્યંત અશુભ યેગને ન પ્રવર્તાવા દેવાનું બળ છે. સુખની ઈચ્છા, માત્ર પોતાને માટે હોવી અને બીજા કેઈ માટે ન હોવી, દુઃખ નિવારણ પણ, માત્ર પોતાનું થાય તે ઈષ્ટ માનવું અને બીજા કેઈનું પણ અંતરથી ન ઈચ્છવું એનું નામ ભાવઅંધાપે છે. મિથ્યાત્વને ઘેર અંધકાર આ જ છે. એ અંધકારને ટાળવાનું સામર્થ્ય, “સર્વ સુખી થાઓ, અને સર્વનાં દુઃખ ટળે.” એ ભાવનામાં રહેલું છે. એ ભાવનાના બળે, પિતાના એકનાં જ સુખની અભિલાષારૂપ વિષયસુખની તીવ્ર આસક્તિ ટળી જાય છે, પ્રમાદનું જોર પણ હટી જાય છે અને અશુભ એગોનું બળ પણ ક્ષીણ થાય છે. પતે સર્વના સુખ-દુખને આ રીતે યથાર્થ વિચાર કરે છે, તેનું પરિણામ ઉત્તમ આવે છે અને એ ઉત્તમત્તા અનુભવ્યા પછી “એ વિચાર સહુ કેઈ કરે તે કેવું સારું !” એવી ભાવના સહેજે જાગે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવની બીજી ભાવના એ છે કે, પતિનિતા ભવતુ પૂતળા ” (પ્રાણી માત્ર પરહિતમાં નિરત બને.) “સર્વ સુખી થાઓ અને સર્વ દુઃખ ટળે” એવી ભાવનાવાળા સહુ કંઈ બને. એવી ભાવના ભાવવા છતાં ભવિતવ્યતાને ગે; કે કાળદેષથી, સ્વભાવષથી કે અશુભ (પૂવકૃત)ના કર્મ ઉદયથી જે કઈ તાત્કાલિક આ ભાવનાવાળા ન બની શકે તેમ હોય, તેઓના તે તે દેષ ટળો રોષ થાતુ નારા અને તેઓ પણ આ ભાવનાવાળા બને; એવી ત્રીજી ભાવના સમ્યગ્દષ્ટિ જીવ ભાવે છે. અને એ ત્રણેય ભાવનાના એક સામટા બળથી, જેથી “સર્વત્ર મુવીમg ઢોર ” એ ભાવના આપોઆપ પ્રગટે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy